શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Delhi : 45 વર્ષ બાદ યમુનાએ રાજધાનીને ઘેરી, દિલ્હીવાસીઓના શ્વાસ અદ્ધર

દિલ્હીમાં પૂરનુ સંકટ ઉભુ થયું છે. આ મામલે દિલ્હીના સીએમ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.

Yamuna River Level : ઉત્તર ભારતના ઘણા રાજ્યો અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે દિલ્હીમાં યમુનાનું જળસ્તર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. યમુનાનું પાણી 207.55 મીટરે વહી રહ્યું છે, જે અગાઉ 45 વર્ષ પહેલા વર્ષ 1978માં 207.49ના સ્તરે પહોંચ્યું હતું. યમુનાના જળસ્તરમાં આ રેકોર્ડ વધારાને કારણે નદીના કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ દિલ્હીમાં પૂરનુ સંકટ ઉભુ થયું છે. આ મામલે દિલ્હીના સીએમ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. 

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુનામાં પાણીના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરતા ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ પહેલા તેમણે કહ્યું હતું કે, દિલ્હી સરકાર ચોમાસાના પ્રકોપને કારણે ઉભી થયેલી દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. જો કે, તેમણે હવે કહ્યું છે કે, કેન્દ્રીય જળ આયોગની આજની રાતની આગાહી રાષ્ટ્રીય રાજધાની માટે સારા સમાચાર નથી.

સેન્ટ્રલ વોટર કમિશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યે 207.49 મીટરનો સર્વોચ્ચ રેકોર્ડ તોડ્યા બાદ યમુનાનું જળસ્તર બુધવારે મધ્યરાત્રિ સુધીમાં 207.72 મીટર સુધી પહોંચવાની સંભાવના છે. આ સ્થિતિમાં દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે પૂર પ્રભાવિત વિસ્તારોમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે.

સીએમ કેજરીવાલે કેન્દ્ર પાસે મદદ માંગી

બીજી તરફ, સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમિયાન દિલ્હીમાં વરસાદ ન થયો હોવા છતાં હરિયાણા દ્વારા હથનીકુંડ બેરેજમાં અસામાન્ય રીતે વધુ પ્રમાણમાં પાણી છોડવાને કારણે યમુનામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ યમુનામાં જળસ્તર વધુ ન વધે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની પણ માંગ કરી હતી.

સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, કેન્દ્રીય જળ આયોગે આજે યમુનાનું જળસ્તર 207.72 મીટર સુધી પહોંચવાની આગાહી કરી છે. જે દિલ્હી માટે સારા સમાચાર નથી. દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી વરસાદ નથી પડ્યો, પરંતુ હરિયાણા દ્વારા હથિનીકુંડ બેરેજમાં અસામાન્ય રીતે વધારે પાણી છોડવાને કારણે યમુનાનું સ્તર વધી રહ્યું છે.

આ સાથે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તેમને હસ્તક્ષેપ કરવા અને યમુનાનું સ્તર વધુ ન વધે તેની ખાતરી કરવા વિનંતી કરી.

ઉલ્લેખનીય છે કે, યમુના નદીમાં જળસ્તર વધવાને કારણે ઘરો અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નદીની નજીક રહેતા ઘણા લોકો હવે તેમના સામાન સાથે નીચેના માળેથી પહેલા માળે શિફ્ટ થઈ ગયા છે અને પાણીના વધતા સ્તરને નિહાળી રહ્યા છે.

સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર 2013 પછી પ્રથમ વખત બુધવારે સવારે 4 વાગ્યે 207-મીટરના આંકને વટાવી ગયું હતું અને બપોરે 1 વાગ્યા સુધીમાં વધીને 207.55 મીટર થયું હતું. સીવીસીની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, નદીનું જળ સ્તર 207.72 સુધી વધવાની અને ત્યારબાદ સ્થિર રહેવાની સંભાવના છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
IPL 2026 મેગા ઓક્શન: CSK જાડેજા સહિત આ 5 મોટા ખેલાડીઓને છૂટા કરી શકે છે, ચેન્નાઈ ટીમમાં મોટા ફેરફારની સંભાવના
IPL 2026 મેગા ઓક્શન: CSK જાડેજા સહિત આ 5 મોટા ખેલાડીઓને છૂટા કરી શકે છે, ચેન્નાઈ ટીમમાં મોટા ફેરફારની સંભાવના
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
Embed widget