શોધખોળ કરો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં ભાગેડુ વિજય માલ્યાની મિલકતોમાંથી થયેલી રિકવરીની જાણકારી આપી હતી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં ભાગેડુ વિજય માલ્યાની મિલકતોમાંથી થયેલી રિકવરીની જાણકારી આપી હતી. સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે વિજય માલ્યાની સંપત્તિઓ વેચીને પબ્લિક સેક્ટરની અનેક બેન્કોને તેમની બાકી રકમ 14,131.6 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.

પીડિતોને હકના પૈસા પરત કરવામાં આવી રહ્યા છેઃ નાણામંત્રી

વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 માટે અનુદાન માટેની પૂરક માંગ પર લોકસભાની ચર્ચા દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભાગેડુ આર્થિક અપરાધીઓની મિલકતો જપ્ત કરી છે અને વિવિધ કૌભાંડોના પીડિતોને તેમના હકના 22,280 કરોડ રૂપિયા પરત કર્યા છે.

નીરવ મોદીની પણ 1,052.58 કરોડ રૂપિયાની મિલકતો પણ વેચીને પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની બેન્કોને પરત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન મેહુલ ચોક્સીની જપ્ત સંપત્તિની પણ હરાજી કરવામાં આવશે અને તેમાંથી 2,565.90 કરોડ રૂપિયા વસૂલવામાં આવશે.

તપાસ એજન્સી આર્થિક ગુનેગારોનો પીછો કરી રહી છે

નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL) ના કિસ્સામાં નાણાકીય કૌભાંડનો ભોગ બનેલા રોકાણકારોને 17.47 કરોડ રૂપિયા પણ પરત કરવામાં આવ્યા હતા. સીતારમણે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ કોઈપણ આર્થિક અપરાધીને છોડ્યો નથી અને દેશ છોડીને ભાગી ગયેલા લોકોનો પણ સતત પીછો કરવામાં આવ્યો હતો.

EDએ તેમની પાસેથી નાણાં એકત્ર કર્યા અને બેન્કોને પરત કર્યા હતા. નાણામંત્રીએ કહ્યું, અમે આર્થિક ગુનેગારોની ઓળખ કરી અને તેમની પાછળ પડી ગયા હતા. અમે એ સુનિશ્ચિત કરીશું કે જે પૈસા બેન્કોમાં પાછા જવા જોઈએ તે પાછા જાય.

સરકાર ગુનેગારો સામે સતત કાર્યવાહી કરી રહી છે

નાણામંત્રીએ કહ્યું કે 2015નો બ્લેક મની એક્ટ ખરેખર કરદાતાઓ પર સકારાત્મક અસર કરી રહ્યો છે. હવે તેઓ પોતે જ વિદેશમાં હસ્તગત કરેલી મિલકતોનો ખુલાસો કરવા આગળ આવી રહ્યા છે. નાણામંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે વિદેશી સંપત્તિની વિગતો આપનારા કરદાતાઓની સંખ્યા 2021-22માં 60,467 થી વધીને 2024-25માં 2 લાખ થઈ ગઈ છે.

એક્ટ હેઠળ જૂન 2024 સુધીમાં 697 કેસોમાં 17,520 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી છે. કુલ 163 કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે અઘોષિત વિદેશી સંપત્તિઓ પર ટેક્સ લાદવાની કાર્યવાહી પણ કરી છે. આ સિવાય HSBC, ICIJ, પનામા, પેરેડાઈઝ અને પેન્ડોરા લીક સંબંધિત મામલાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ સાથે 582 કેસમાં 33,393 કરોડ રૂપિયાની અઘોષિત આવક પણ મળી આવી છે. નાણાપ્રધાને કહ્યું કે સરકારે વિવિધ તપાસ એજન્સીઓ સાથે મળીને એક મલ્ટી-એજન્સી ગ્રુપ (MAG) ની રચના કરી છે, જે વિદેશી સંપત્તિની માહિતી મેળવ્યા બાદ તાત્કાલિક પગલાં લઈ રહી છે.

ગડકરી અને સિંધિયા જેવા નેતાઓને નૉટિસ આપવાની તૈયારી, ONOE બિલ રજૂ થવાના સમયે હતા ગેરહાજર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
Iran-US Ceasefire: 'હું શાહબાઝ શરીફ અને આસીમ મુનીરનો આભાર...', બે અઠવાડિયાના સીઝફાયર પર શું બોલ્યા ઈરાની વિદેશમંત્રી
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
Embed widget