શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અજિત પવારને મોટો ઝટકો, સવારે તેમના સમર્થમાં ગયેલા ધારાસભ્યો સાંજે શરદ પવારની બેઠકમાં પહોંચ્યા
અજિત પવારે ભાજપને સમર્થન આપીને રાજ્યમાં સરકાર બનાવી લીધી પરંતુ સાંજ પડતા પડતા ચિત્ર બદલાતું નજર આવ્યું. સવારે અજિત પવારના સમર્થનમાં ગયેલા 11 ધારાસભ્યમાંથી 8 ધારાસભ્ય સાંજે શરદ પવારની બેઠકમાં પહોંચ્યા હતા.
![અજિત પવારને મોટો ઝટકો, સવારે તેમના સમર્થમાં ગયેલા ધારાસભ્યો સાંજે શરદ પવારની બેઠકમાં પહોંચ્યા maharastra politics sharad pawar meeting eight mlas including dhananjay munde join meeting અજિત પવારને મોટો ઝટકો, સવારે તેમના સમર્થમાં ગયેલા ધારાસભ્યો સાંજે શરદ પવારની બેઠકમાં પહોંચ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/23183831/sharrd-power.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે સવારથી જ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સવારે અજિત પવારે ભાજપને સમર્થન આપીને રાજ્યમાં સરકાર બનાવી લીધી પરંતુ સાંજ પડતા પડતા ચિત્ર બદલાતું નજર આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે સવારે અજિત પવાર જ્યારે નાયબ મુખ્યમંત્રીના શપથ લઈ રહ્યાં હતા ત્યારે તેમની સાથે એનસીપીના 11 ધારાસભ્ય હાજર હતા પરંતુ સાંજે જ્યારે શરદ પવારે બેઠક બોલાવી ત્યારે તેમાંથી આઠ ધારાસભ્ય બેઠકમાં પહોંચ્યા હતા.
શરદ પવારે બોલાવેલી બેઠકમાં કુલ 48 ધારાસભ્ય પહોંચ્યા હતા. એનસીપી પાસે કુલ 54 ધારાસભ્ય છે. સૌથી મોટી વાત એ કે ખુદ ધનંજય મુંડે પણ શરદ પવારની બેઠકમાં પહોંચ્યા હતા. આ એટલા માટે મહત્વનું છે કે ધનંજય મુંડે અજિત પવારના પક્ષમાં હતા.
સવારે અજિત પવારના સમર્થનમાં ગયેલા 11 ધારાસભ્યમાંથી આ 8 ધારાસભ્ય પરત ફર્યા હતા. જેમાં સુનીલ શેલકે, સંદીપ, ક્ષીરસાગર, રાજેન્દ્ર શિંગણે, સુનીલ ભુસારા, માણિકરાવ કોકાટે, દિલીપ બનકર, સુનીલ ટિંગલ અને ધનંજય મુંડે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)