શોધખોળ કરો

Manipur Violence: મણિપુર હિંસા મામલે તપાસ ઝડપી, CBIએ 29 મહિલાઓ સહિત 53 અધિકારીઓને કર્યા તૈનાત

Manipur Violence: રાજ્યમાં 3 મેના રોજ પહેલીવાર જાતિય હિંસા ફાટી નીકળી હતી

Manipur Violence: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ બુધવારે (16 ઓગસ્ટ) મણિપુર હિંસા કેસોની તપાસ માટે વિવિધ રેન્કના 29 મહિલા અધિકારીઓ સહિત 53 અધિકારીઓની નિમણૂક કરી છે. તૈનાત મહિલાઓ અધિકારીઓ સીબીઆઈને નિવેદનો નોંધવામાં અને પૂછપરછ કરવામાં મદદ કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓ લવલી કટિયાર અને નિર્મલા દેવી સહિત ત્રણ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીઓ રાજ્યમાં હિંસાના કેસોની તપાસ માટે તેમની સંબંધિત ટીમોનું નેતૃત્વ કરશે. ઉપરાંત, તમામ અધિકારીઓ સંયુક્ત નિયામક ઘનશ્યામ ઉપાધ્યાયને રિપોર્ટ કરશે, જેઓ વિવિધ કેસોમાં તપાસની દેખરેખ રાખશે.

હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા

રાજ્યમાં 3 મેના રોજ પહેલીવાર જાતિય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 160થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. હિંસા ત્યારે ફાટી નીકળી હતી જ્યારે બહુમતી મૈતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

મૈતેઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના લગભગ 53 ટકા હિસ્સો ધરાવે છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસી નાગા અને કુકી સમુદાયો 40 ટકા હિસ્સો ધરાવે છે અને મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) એ 'આદિવાસી એકતા માર્ચ' કાઢી હતી. આ રેલી ચૂરચાંદપુરના તોરબંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. આ રેલી મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કાઢવામાં આવી હતી. મૈતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે.

આ રેલી દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સાંજ સુધીમાં સ્થિતિ એટલી બગડી કે સેના અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને ત્યાં તૈનાત કરવામાં આવી.

સીબીઆઈ એક્શનમાં છે

વાસ્તવમાં સીબીઆઈ મણિપુર હિંસા સંબંધિત વધુ 9 કેસોની તપાસ હાથ ધરવા જઈ રહી છે, જેનાથી એજન્સી દ્વારા તપાસ કરવાના કુલ કેસોની સંખ્યા વધીને 17 થઈ જશે. મહિલાઓ સામેના ગુના અથવા જાતીય સતામણી સંબંધિત અન્ય કોઈ કેસ પણ પ્રાથમિકતાના આધારે સીબીઆઈને મોકલી શકાય છે.

સૂત્રોએ અગાઉ એવી પણ માહિતી આપી હતી કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની જોગવાઈઓ સીબીઆઈ દ્વારા તપાસવામાં આવતા ઘણા કેસોમાં લાગુ થઈ શકે છે, જેની તપાસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
Embed widget