શોધખોળ કરો

કેરળ હાઇકોર્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતને પડકારતી અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ના ઉમેદવારોને નોકરીઓ અને એડમિશનમાં 10 ટકા અનામત આપવાના કેંદ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર કેરળ હાઈકોર્ટમાં  કાર્યવાહી પર રોક લગાવી.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ના ઉમેદવારોને નોકરીઓ અને એડમિશનમાં 10 ટકા અનામત આપવાના કેંદ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર કેરળ હાઈકોર્ટમાં  કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કેન્દ્ર સરકારે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ પણ આપી હતી. સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ મામલાને હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી હતી, જેમાં આ મામલાને હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે અગાઉ પણ આવી જ બાબત પાંચ જજની બંધારણીય બેન્ચને મોકલી હતી. જણાવી દઈએ કે  નુઝૈમ પીકેએ કેરળ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકાર્યો છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર તરફથી હાજર થઈને હાઈકોર્ટ સમક્ષ કાર્યવાહી પર સ્ટે માંગ્યો હતો ઉપરાંત નુજૈમ પીકેને નોટિસ આપી હતી, જેમણે ત્યાં પીઆઈએલ દાખલ કરી હતી.

નુજૈમ પીકે તરફથી દલીલ કરવામાં આવી કે આ નિર્ણય સંવિધાનની મૂળ સંરચનાનું ઉલ્લંઘન કરે છે. કેરળ હાઈકોર્ટમાં દાખલ આ અરજી પર કેંદ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં રજૂ થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે કેરળ હાઇકોર્ટમાં કાર્યવાહી પર સ્ટે મુકવામાં આવે અને નુઝમ પીકેને નોટિસ આપવામાં આવે. કેન્દ્ર સરકાર વતી અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે રિટ પિટિશનમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડીંગ અરજીઓ સમાન છે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, કેરળ હાઇકોર્ટમાં પેન્ડિંગ અરજીનું ટ્રાન્સફર ખૂબ જરુરૂી છે કારણ કે આ પ્રકારની અરજી અને  કાયદાની માન્યતાને પડકારતી અન્ય  સમાન અરજીઓ સુપ્રીમ કોર્ટમાં જ પેન્ડિંગ છે. આ રિટ અરજીને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાથી તમામ બાબતોની સુનાવણી એક સાથે થઈ શકશે. તમામ કેસોની એકસાથે સુનાવણી કરીને જુદી જુદી અદાલતો તરફથી અસંગત આદેશો પસાર થવાની શક્યતા ટાળવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget