શોધખોળ કરો

Congress President Election: 'અંતરઆત્માનો અવાજ સાંભળી કરો વોટ'-કૉંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીના મતદાન પહેલા થરુરની અપીલ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી(Congress President Election)માં મતદાન કરતા પહેલા શશિ થરૂરે પ્રતિનિધિઓને છેલ્લી અપીલ કરી છે.

Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી(Congress President Election)માં મતદાન કરતા પહેલા શશિ થરૂરે પ્રતિનિધિઓને છેલ્લી અપીલ કરી છે. તેમણે કહ્યું, "પાર્ટીનો દરેક કાર્યકર અને આ દેશનો દરેક નાગરિક તમારા જવાબની રાહ જોઈ રહ્યો છે. પાર્ટીના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું, "હું પાર્ટીમાં વિકેન્દ્રીકરણ, આધુનિકીકરણ અને તેને વધુ સમાવિષ્ટ બનાવવાનું સપનું જોઉં છું. હું ખૂબ જ આશાવાદી છું. કારણ કે હું માનું છું કે કોંગ્રેસ પાર્ટીનું મૂળ હિમ્મત છે. કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હિંમતવાન છે."

"કોંગ્રેસે પહેલા પણ પરિવર્તન સ્વીકાર્યું છે"

શશિ થરૂરે કહ્યું કે હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પણ સમય અને પરિસ્થિતિની માંગ કરી ત્યારે પરિવર્તન અપનાવ્યું. તેમણે કહ્યું કે વર્ષ 1991માં અમે નવી આર્થિક વ્યવસ્થા અપનાવી હતી, 60 અને 70ના દાયકામાં અમે હરિયાળી ક્રાંતિ અપનાવી હતી અને 1984માં મુશ્કેલ સંજોગોમાં અમારા પક્ષના એક મોટા નેતાને ગુમાવ્યા બાદ, અમે રાજીવ ગાંધીના રુપમાં લાવવામાં આવેલા  એક પેઢીગત પરિવર્તનને અપનાવ્યું હતું.  ઘણાને લાગ્યું હશે કે આ દરેક ઘટનામાં પરીવર્તનના કારણે જ પક્ષ મજબૂત બની રહ્યો છે. 

 

"તમારા અંતરાત્માને સાંભળીને પરિવર્તન માટે મત આપો"

કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું કે આવતીકાલે (17 ઓક્ટોબર) જ્યારે તમે ગુપ્ત મતદાન માટે તે બૂથ પર ઉભા થાવ તો એ જ હિંમત બતાવીને અને તમારા અંતરાત્માની વાત સાંભળીને પરિવર્તન માટે મત આપો. તેમણે વધુમાં કહ્યું કે હું આશા રાખું છું કે તમે માત્ર તમારા મતનો જ નહીં પરંતુ તમારા હિંમતના વારસાનો પણ ઉપયોગ કરશો. હું આશા રાખું છું કે તમે બધા આ ધર્મને સારી રીતે નિભાવશો. જય હિન્દ, જય કોંગ્રેસ.

સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ માટે મતદાન થશે

જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શશિ થરૂરની ચૂંટણીની હરીફાઈ મલ્લિકાર્જુન ખડગે સાથે છે, જેના માટે આવતીકાલે (17 ઓક્ટોબર) મતદાન થશે. આ દરમિયાન, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (પીસીસી) ના 9,000 થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા અધ્યક્ષની પસંદગી કરશે. સમગ્ર દેશમાં 65 થી વધુ કેન્દ્રો પર મતદાન યોજાશે. તે જ સમયે, કોંગ્રેસમાં 24 વર્ષ પછી, નેહરુ-ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget