શોધખોળ કરો

Aditya L1 Launch Live: ISROનું આદિત્ય L1 અવકાશની સફર માટે નીકળ્યું, લાખો લોકો બન્યા સાક્ષી

ચંદ્રયાન-3 દ્વારા ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતે સૂર્ય તરફ છલાંગ લગાવી છે. ISROએ આજે ​​(02 સપ્ટેમ્બર) આદિત્ય L1 લોન્ચ કર્યું છે. આ ભારતનું પ્રથમ અંતરિક્ષ સૌર મિશન છે

LIVE

Key Events
Aditya L1 Launch Live:  ISROનું આદિત્ય L1 અવકાશની સફર માટે નીકળ્યું, લાખો લોકો બન્યા સાક્ષી

Background

Aditya L1 Launch Live: 10 દિવસ પહેલા 23 ઓગસ્ટે ભારતે સ્પેસ ટેક્નોલોજીમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી. જ્યારે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો. અમારું મિશન ચંદ્રયાન હજુ પણ ચાલુ છે પરંતુ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણના 50 દિવસ બાદ ઈસરોનું બીજું મિશન તૈયાર છે. જેનું નામ આદિત્ય L1 છે. આ મિશન સૂરજ સાથે સંબંધિત છે. જે થોડા કલાકો બાદ પોતાની યાત્રા શરૂ કરવાની છે.

ચંદ્રયાન-3ના મૂન લેન્ડિંગના અધ્યાય સાથે ભારત અવકાશ વિજ્ઞાનમાં આગલું અનોખું પગલું ભરવા માટે તૈયાર છે. હવે સૂર્યનો વારો છે. દેશનું આ પ્રકારનું આ પ્રથમ અવકાશ મિશન છે. જે સૂર્યના સંશોધન સાથે સંબંધિત છે.

આદિત્ય L1 મિશનનું કામ સૂર્યના ઉપરના વાતાવરણનો અભ્યાસ કરવાનું રહેશે, તેમાંથી સૂર્યના બાહ્ય પડની માહિતી એકત્ર કરવામાં આવશે. આદિત્ય L1 એ ઉપગ્રહ છે. જેને 15 લાખ કિલોમીટર દૂર મોકલીને અંતરિક્ષમાં જ સ્થાપિત કરવામાં આવશે.

સેટેલાઇટને L1 એટલે કે Lagrange Point 1 માં ઇન્સ્ટોલ કરવું પડશે. ગુરુત્વાકર્ષણ વગરના વિસ્તારને 'લેગ્રેન્જ પોઈન્ટ' કહેવાય છે. આદિત્ય L1 આ L1 બિંદુ પર સૂર્યની પરિક્રમા કરશે. કારણ કે સૂર્યગ્રહણ પણ L1 બિંદુથી ઉપગ્રહને અસર કરશે નહીં.

આ ઉપગ્રહ જ્યાં સ્થાપિત થશે તે ગુરુત્વાકર્ષણની બહારનો વિસ્તાર હશે, જ્યાં ન તો સૂર્ય કે પૃથ્વી તેને પોતાની તરફ ખેંચી શકશે. ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 સૂર્યના રહસ્યોની બારીઓને  ખોલશે અને એ જ બારી દ્વારા સૂર્ય વિશેની માહિતી આપણા સુધી પહોંચશે.

ઈસરો શનિવારે સવારે 11.50 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેનું પ્રથમ સૌર મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચિંગથી લઈને ઓર્બિટ ઈન્સ્ટોલેશન સુધીની પ્રક્રિયામાં ત્રણ તબક્કા હશે.

પ્રથમ તબક્કો પીએસએલવી રોકેટનું પ્રક્ષેપણ છે. પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ એટલે કે પીએસએલવીથી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. તેને પૃથ્વીની નીચેની કક્ષામાં મોકલવામાં આવશે. બીજો તબક્કો પૃથ્વીની આસપાસ આદિત્ય એલ-1ની ભ્રમણકક્ષાને સતત વધારશે અને ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર લઈ જશે. ત્રીજો તબક્કો સૂર્યયાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવાનો હશે. આ પછી, ઉપગ્રહ છેલ્લા તબક્કામાં એટલે કે L1 માં સ્થાપિત થશે.

આદિત્ય L1 ને પૃથ્વી છોડીને લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચવું પડશે અને આ પ્રક્રિયામાં તેને 125 દિવસ એટલે કે લગભગ 4 મહિના લાગશે.

12:00 PM (IST)  •  02 Sep 2023

ISRO Solar Mission: આદિત્ય L1નું લોન્ચિંગ જોવા માટે શ્રીહરિકોટામાં મોટી સંખ્યામાં લોકો હાજર.

ISROના સૌર મિશન આદિત્ય L-1ના પ્રક્ષેપણને જોવા માટે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHAR, શ્રીહરિકોટા ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર છે.

11:59 AM (IST)  •  02 Sep 2023

Aditya L1 Launching: આદિત્ય L1નું થયું લોન્ચ, ભારતનું પ્રથમ સૌર અંતરિક્ષ મિશન

આજે ફરીએ એકવાર ઇસરોએ ઇતિહાસ રચતા આદિત્ એલવનનું પક્ષેપણ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભારતે પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું. આદિત્ય L1 સૂર્યનો વિગતવાર અભ્યાસ કરવા માટે સાત અલગ-અલગ પેલોડ વહન કરે છે.

10:34 AM (IST)  •  02 Sep 2023

Aditya L1 Solar Mission: આદિત્ય L1 પર ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું, પડકારરૂપ તેમજ ફાયદાકારક'

આદિત્ય L1 મિશન પર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક માયલાસ્વામી અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે, "L1 બિંદુને હાંસિક કરીને તેની આજુબાજુ એક કક્ષ બનાવવું અને સટીક  શોધની સાથે પાંચ વર્ષ સુધી ટકી રહેવું તે ટેકનિકલ રીતે પણ મોટા  પડકારરૂપ છે.  જો કે તે વૈજ્ઞાનિક રીતે ફાયદાકારક બનશે.  

10:30 AM (IST)  •  02 Sep 2023

Aditya L1 Solar Mission: આજનો દિવસ મહત્વપૂર્ણ

ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર આરસી કપૂરે આદિત્ય L1 લોન્ચ પર કહ્યું, "આજનો દિવસ  ખૂબ જ મહત્વપૂર્ણ  છે. આદિત્ય L1 પરનું સૌથી મહત્વપૂર્ણ સાધન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. સામાન્ય રીતે, તેનો અભ્યાસ ફક્ત સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ થઈ શકે છે."

10:26 AM (IST)  •  02 Sep 2023

ISRO Solar Mission: ગ્રહનું હવામાન જાણવામાં મદદ કરશે આ સૌર મિશન: JNP પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રા

જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમ, દિલ્હીના પ્રોગ્રામિંગ મેનેજર પ્રેરણા ચંદ્રાએ આદિત્ય L1 પર કહ્યું, 'અન્ય દેશોની અવકાશ એજન્સીઓ સૂર્ય પર અવલોકનો કરી ચૂકી છે. ભારતમાં સૂર્યની વેધશાળા નથી. આદિત્ય L1 સાથે, ભારત સૂર્ય પર અવલોકનો પણ કરી શકશે, જે અમને અવકાશ હવામાન અને આગામી અવકાશ મિશનને સમજવામાં મદદ કરશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : સોસાયટીના પ્રમુખ-મંત્રીથી સાવધાન । abp AsmitaHun To Bolish : સહકારના બહાને સંગ્રામ । abp AsmitaVadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
POK Protest: પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
સેક્સુઅલ હાઇજીન ફોલો ન કરવાથી પાર્ટનરને પણ ખતરો, થઈ શકે છે આવી મુશ્કેલી
સેક્સુઅલ હાઇજીન ફોલો ન કરવાથી પાર્ટનરને પણ ખતરો, થઈ શકે છે આવી મુશ્કેલી
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Embed widget