શોધખોળ કરો

Mahashivratri: મહાશિવરાત્રીના દિવસે આ મોટા શહેરમાં ઇંડા-નૉનવેજ અને કતલખાના નહીં ખુલી શકે, પાલિકાનું કડક જાહેરનામું

મહાશિવરાત્રીનો તહેવાર આગામી 8 માર્ચ, શુક્રવારના રોજ છે, જેને લઇને વડોદરા શહેરમાં કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે

Mahashivratri 2024: આગામી 8મી માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીના પર્વ મનાવવામાં આવીશે, દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને લઇને તંત્ર પણ એક્શનમા છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, વડોદરામાં આ દિવસે કતલખાના અને ઇંડા-નૉન વેજની લારીઓને બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

મહાશિવરાત્રીનો તહેવાર આગામી 8 માર્ચ, શુક્રવારના રોજ છે, જેને લઇને વડોદરા શહેરમાં કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વડોદરા નગર પાલિકા તંત્રએ એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. મહાશિવરાત્રી નિમિત્તે 8 માર્ચે શહેરમાં તમામ નૉનવેજની લારીઓ બંધ રાખવા અનુરોધ કરાયો છે, આ ઉપરાંત પાલિકા સંચાલિત સરકારી કતલખાનાઓ પણ બંધ રહેશે. પશુઓના કતલ કરનારા વ્યવસાય બંધ રાખવા અનુરોધ કરાયો છે. 

ગાંધીનગરમાં પણ નૉનવેજ અને કતલનાખા બંધ રાખવા કરાઇ રજૂઆત - 
માહિતી છે કે, વડોદરા ઉપરાંત ગાંધીનગરમાં પણ મહાશિવરાત્રી પર્વને લઇને પત્ર લખવામાં આવ્યો છે. આ દિવસે શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે નૉનવેજ, ઈંડાની દુકાનો અને લારી તેમજ કતલખાના બંધ રાખવા રજૂઆત કરાઇ છે. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કલેકટર અને મ્યૂનિ. કમિશનરને પત્ર લખ્યો છે. આગામી 8મી માર્ચે મહાશિવરાત્રી દરમિયાન કતલખાનાં, નૉનવેજ અને ઈંડાની લારી અને દુકાન બંધ રાખવા રજૂઆત કરી છે. 

માર્ચમાં હોળી, રમઝાન, ચંદ્રગ્રહણ ક્યારે? જાણો આ મહિનાના ઉપવાસ અને તહેવારોની સંપૂર્ણ યાદી

આ મહિનો 1લી માર્ચે યશોદા જયંતિથી શરૂ થઈ રહ્યો છે. માર્ચ 2024 વ્રત અને તહેવારોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ મહિનામાં શિવની પ્રિય મહાશિવરાત્રી અને રાધા-કૃષ્ણના પ્રિય તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવશે. હિંદુઓ ઉપરાંત મુસ્લિમ ધર્મ માટે પણ માર્ચ મહિનો ખાસ રહેવાનો છે, કારણ કે આ વખતે માર્ચમાં રમઝાન શરૂ થઈ રહ્યો છે. ખરમાસ અને વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ માર્ચમાં જ થશે. ચાલો જાણીએ આ વર્ષે માર્ચમાં ઉપવાસ અને તહેવારો જેમ કે હોલિકા દહન, મહાશિવરાત્રી, એકાદશી, ખરમાસ, ચંદ્રગ્રહણ, રમઝાન વગેરેની તારીખ અને મહત્વ.

માર્ચ વ્રત તહેવાર 2024

  • માર્ચ 1, 2024 (શુક્રવાર) - યશોદા જયંતિ
  • 3 માર્ચ 2024 (રવિવાર)- શબરી જયંતિ, ભાનુ સપ્તમી, કાલાષ્ટમી
  • 4 માર્ચ 2024 (સોમવાર) - જાનકી જયંતિ
  • 5 માર્ચ 2024 (મંગળવાર) - મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ
  • 6 માર્ચ 2024 (બુધવાર) – વિજયા એકાદશી
  • 8 માર્ચ, 2024 (શુક્રવાર) - મહાશિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ)
  • 10 માર્ચ 2024 (રવિવાર) – અમાસ
  • માર્ચ 11, 2024 (સોમવાર) - રમઝાન શરૂ થશે
  • માર્ચ 12, 2024 (મંગળવાર) - ફુલેરા દૂજ, રામકૃષ્ણ જયંતિ
  • 13 માર્ચ 2024 (બુધવાર) - વિનાયક ચતુર્થી
  • માર્ચ 14, 2024 (ગુરુવાર) - મીન સંક્રાંતિ, ખરમાસ શરૂ થશે
  • માર્ચ 15, 2024 (શુક્રવાર) - સ્કંદ ષષ્ઠી
  • 20 માર્ચ 2024 (બુધવાર) – અમલકી એકાદશી
  • 21 માર્ચ 2024 (ગુરુવાર) – નરસિંહ દ્વાદશી
  • 22 માર્ચ 2024 (શુક્રવાર) - પ્રદોષ વ્રત (શુક્લ)
  • 24 માર્ચ 2024 (રવિવાર) – હોલિકા દહન, ફાલ્ગુન પૂર્ણિમા વ્રત
  • 25 માર્ચ 2024 (સોમવાર) – હોળી (ધુલેંદી), ચૈતન્ય મહાપ્રભુ જયંતિ, ચંદ્રગ્રહણ, લક્ષ્મી જયંતિ
  • 26 માર્ચ 2024 (મંગળવાર) – ચૈત્ર મહિનો શરૂ થશે
  • 27 માર્ચ 2024 (બુધવાર) - હોળી ભાઈ બીજ
  • 28 માર્ચ 2024 (ગુરુવાર)- ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી, છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ
  • 30 માર્ચ 2024 (શનિવાર) - રંગ પંચમી


March Vrat Tyohar 2024: માર્ચમાં હોળી, રમઝાન, ચંદ્રગ્રહણ ક્યારે? જાણો આ મહિનાના ઉપવાસ અને તહેવારોની સંપૂર્ણ યાદી

માર્ચના મુખ્ય તહેવારો

  • હોળી 2024 - ફાગણી પૂર્ણિમાના રોજ હોલિકા દહનનો તહેવાર રાક્ષસ રાજા હિરણ્યકશ્યપની બહેન હોલિકા સામે શ્રી હરિ ભક્ત પ્રહલાદની જીતની યાદમાં ઉજવે છે. હોળીનો તહેવાર લોકોના જીવનમાં ખુશીના રંગો ભરવાનો સંદેશ આપે છે.
  • રમઝાન 2024 - રમઝાન મહિનો ઇસ્લામ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આમાં ઉપવાસ કરનારાઓ લગભગ 1 મહિના સુધી દરરોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે. આ વર્ષે રમઝાન 11 માર્ચથી શરૂ થશે અને 10 એપ્રિલે સમાપ્ત થશે.
  • ચંદ્રગ્રહણ 2024 - વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે હોળીના રોજ પડી રહ્યું છે, જો કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.
  • મહાશિવરાત્રિ - આ દિવસ શિવ અને પાર્વતીના મિલનનું પ્રતીક છે, આ દિવસે મહાદેવ અને તેમની શક્તિ પાર્વતીની પૂજા કરવાથી લગ્નજીવન સુખી બને છે અને લગ્ન યોગ્ય જીવનસાથી મળે છે. પતિનું આયુષ્ય લાંબુ છે. પૈસા કમાવવાના રસ્તા ખુલે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Kunal Kamra: હું મુંબઈ પાછો ફરીશ તો મારી ધરપકડ થશે, મારો જીવ જોખમમાં છે, મદ્રાસ હાઇકોર્ટના શરણે કુણાલ કામરા
Kunal Kamra: હું મુંબઈ પાછો ફરીશ તો મારી ધરપકડ થશે, મારો જીવ જોખમમાં છે, મદ્રાસ હાઇકોર્ટના શરણે કુણાલ કામરા
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
Embed widget