શોધખોળ કરો

Imran Khan : ઈસ્લામાબાદ હાઈકોર્ટની ફરી એકવાર ઈમરાનને મોટી રાહત

શાહબાઝ સરકારના કાર્યકાળ દરમિયાન ઈમરાન અને તેની પાર્ટી સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ સેંકડો કેસ નોંધાયેલા છે.

Imran Khan Pakistan News: ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે, ઈસ્લામાબાદમાં નોંધાયેલા કોઈપણ કેસમાં ઈમરાનની 31 મે સુધી ધરપકડ કરવામાં ન આવે. હાઈકોર્ટના આ આદેશથી પોલીસ-પ્રશાસન ઈમરાનની ધરપકડ કરતા અટકી ગયું છે. શાહબાઝ શરીફની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકાર માટે આ મોટો ફટકો છે.

વડાપ્રધાન શાહબાઝ શરીફ ઈચ્છે છે કે,ઈમરાનને એક યા બીજા કેસમાં જલ્દીથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે. શાહબાઝ સરકારના કાર્યકાળ દરમિયાન ઈમરાન અને તેની પાર્ટી સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ સેંકડો કેસ નોંધાયેલા છે. એકલા ઈમરાન પર 120 થી વધુ કેસ ચાલી રહ્યા છે. તાજેતરમાં, અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટમાંથી અચાનક તેની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યાર બાદ આખા પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો. વિવિધ સ્થળોએ હિંસા અને આગચંપી થઈ હતી. શાહબાઝ સરકારે સોમવાર, 15 મેના રોજ સંસદમાં જણાવ્યું હતું કે, ઇમરાનના સમર્થકોની હિંસાથી 6 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના રહેઠાણોને નિશાન બનાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સેનાની સંપત્તિને નિશાન બનાવવામાં આવી હતી

પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે, 9 મે 2023ના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ લાહોરમાં પીએમના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત સેના કમાન્ડરોના નિવાસસ્થાન અને ઓફિસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ હિંસક પ્રદર્શનોમાં દેશભરમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

જ્યારે 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઈમરાન વિરુદ્ધ આર્મી એક્ટની કલમ 59 અને 60 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ કલમ નાગરિક અપરાધો માટે લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત જો દોષી સાબિત થાય તો ગુનેગાર માટે મૃત્યુદંડની જોગવાઈ છે.

Pakistan : ઈમરાનના ઘરમાં 30-40 આતંકીઓ છુપાયા-ચારેકોર પોલીસ તૈનાત

પાકિસ્તાનમાં વિવાદ જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે પોલીસે દાવો કર્યો છે કે, જમાન પાર્ક સ્થિત પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ઘરમાં 30-40 આતંકીઓ છુપાયેલા છે. આ જાહેરાત બાદ પોલીસે ઈમરાન ખાનના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. ઈમરાન ખાન પર લાહોરના કોર્પ્સ કમાન્ડરના ઘર પર હુમલો કરવાનો આરોપ છે.

પાકિસ્તાનની પંજાબ સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને પૂર્વ વડાપ્રધાન અને પાર્ટીના વડા ઈમરાન ખાનના લાહોરમાં જમાન પાર્ક હાઉસમાં છુપાયેલા 30-40 આતંકવાદીઓને પોલીસને હવાલે કરી દેવાનો આદેશ આપ્યો છે. સરકારે આ આદેશમાં પાર્ટીને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે. પંજાબ સરકારના કાર્યકારી માહિતી મંત્રી આમિર મીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી છે. મીરે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જો પીટીઆઈ આ આતંકવાદીઓને નહીં આપે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit: રાહુલની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો, ભાજપ નેતાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
આજે કારગિલ વિજય દિવસ: ભારતે કેવી રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, જાણો કારગિલ યુદ્ધની સંપૂર્ણ ગાથા
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
અંદાજે 900 વર્ષ પહેલાં એવું શું બન્યું કે, બૌદ્ધ ધર્મ છોડી ઇસ્લામિક દેશ બન્યો માલદીવે ? જાણો સંપૂર્ણ કહાની
Test Records: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારા ટોપ 5 બેટ્સમેન કોણ? જુઓ યાદી
Test Records: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારા ટોપ 5 બેટ્સમેન કોણ? જુઓ યાદી
ODI Records: વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનારા ટોપ 5 વિકેટકીપર કોણ? જાણો એક ક્લિકે
ODI Records: વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનારા ટોપ 5 વિકેટકીપર કોણ? જાણો એક ક્લિકે
Shiv Puja: લગ્નમાં ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે?
Shiv Puja: લગ્નમાં ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે?
Embed widget