શોધખોળ કરો

ટ્રુડોનો ભારત વિરોધી એજન્ડા ફરી આવ્યો સામે, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પર હસતા જોવા મળ્યા કેનેડિયન પીએમ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે સત્ય, ન્યાય, કરુણા, સેવા અને માનવ અધિકાર એ એવા મૂલ્યો છે જે શીખ ધર્મનો આધાર છે. આ શીખ કેનેડિયન સમુદાયના મૂલ્યો છે.

India-Canada Tension: કેનેડાના ટોરોન્ટોમાં ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો મામલો સામે આવ્યો છે. પરંતુ આ વખતે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની હાજરીમાં ખાલિસ્તાનના સમર્થનમાં આ નારા લગાવવામાં આવ્યા છે.

પીએમ ટ્રુડોએ ખાલસા દિવસ અને શીખ નવા વર્ષ નિમિત્તે ટોરોન્ટોમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા ટ્રુડોએ કહ્યું કે આજે અમે અહીં એ યાદ રાખવા માટે એકઠા થયા છીએ કે કેનેડાની સૌથી મોટી તાકાત તેની વિવિધતા છે. અમારા મતભેદો હોવા છતાં અમે એક છીએ. પરંતુ જ્યારે આપણે આ તફાવતોને જોઈએ છીએ, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે શીખ મૂલ્યો કેનેડિયન મૂલ્યો છે.

તેમણે કહ્યું કે આ કારણોસર અમે અમારા સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ગુરુદ્વારા સહિત ધર્મસ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમે કોઈપણ ડર વિના તમારા ધર્મનું ખુલ્લેઆમ પાલન કરી શકો છો, જે મૂળભૂત અધિકાર છે. આ કારણે અમે તમારી સુરક્ષા માટે તમારી પડખે ઊભા રહીશું.

તમને જણાવી દઈએ કે જ્યારે ટ્રુડો પોતાનું સંબોધન આપી રહ્યા હતા ત્યારે ભીડમાંથી ખાલિસ્તાન ઝિંદાબાદના નારા સંભળાયા હતા. આ દરમિયાન ટ્રુડો હસતા જોવા મળ્યા હતા. આ રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રુડોએ પોતાના સંબોધનની શરૂઆત 'વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ'થી કરી હતી. બાદમાં રેલીના આયોજકોએ ટ્રુડોને તલવાર ભેટમાં આપી હતી.

આ કાર્યક્રમમાં ટ્રુડો ઉપરાંત તેમના કટ્ટર હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના પિયર પોઈલીવરે અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ પણ હાજર હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે કહ્યું કે કેનેડામાં શીખ મૂળના આઠ લાખ કેનેડિયન નાગરિકો છે. અમે હંમેશા તમારા અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરીશું. અમે હંમેશા તિરસ્કાર અને ભેદભાવ સામે તમારું રક્ષણ કરવા તૈયાર રહીશું.

ટ્રુડોના સંબોધન દરમિયાન, ખાલિસ્તાન સમર્થિત શીખોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ટ્રુડોના સંબોધન અંગે શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે ટ્રુડોનું સંબોધન ખાતરી આપે છે કે ખાલિસ્તાન સમર્થક શીખોને પંજાબની આઝાદીની હિમાયત કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે નિજ્જરની હત્યાની તપાસમાં ભારત કેનેડાને સહયોગ કરી રહ્યું છે.

ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો.

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.

જ્યારે ટ્રુડોએ 2018માં ભારતની મુલાકાત લીધી હતી. તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010માં પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
Advertisement

વિડિઓઝ

Mehsana News: મહેસાણામાં પિતા-પુત્ર કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : હજુ કેટલા મોતના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : દુર્ઘટના કે હત્યા?
Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
બિહાર મતદાર યાદી સુધારા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો ચૂંટણી પંચે શું આપી દલીલ
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
છ દિવસ પછી યમનમાં ફાંસી, કેરળની નર્સ નિમિષાને બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
ભારતીયોએ હવે અમેરિકા જવું પડશે મોંઘું, ટ્રમ્પે વીઝા ફી વધારીને આટલા ડૉલર કરી
ભારતીયોએ હવે અમેરિકા જવું પડશે મોંઘું, ટ્રમ્પે વીઝા ફી વધારીને આટલા ડૉલર કરી
આજે સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરનો 10 જુલાઈનો લેટેસ્ટ ભાવ
આજે સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરનો 10 જુલાઈનો લેટેસ્ટ ભાવ
આ 10 ભારતીય બોલરોનું લોર્ડ્સના મેદાનમાં રહ્યું છે રાજ, જાણો કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી છે
આ 10 ભારતીય બોલરોનું લોર્ડ્સના મેદાનમાં રહ્યું છે રાજ, જાણો કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી છે
Embed widget