શોધખોળ કરો

WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા સ્ટીવ સ્મિથ પર ભડક્યો એલન બોર્ડર, જાણો શું કહ્યું ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલ ખાતે રમાશે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે.

Allan Border On Steve Smith:   ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલ ખાતે રમાશે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે તેનું નિવેદન આપ્યું છે.  એલન બોર્ડરે કહ્યું કે તેઓ ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પાસે આક્રમક ક્રિકેટ રમવાની આશા રાખે છે. ખાસ કરીને, સ્ટીવ સ્મિથ તરફથી... તેણે કહ્યું કે પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ વિપક્ષી ટીમો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ  માહોલમાં ઢળી ગઈ છે, જે યોગ્ય નથી.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડર સ્ટીવ સ્મિથ પર કેમ ગુસ્સે થયા ?

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડરનું માનવું છે કે મૈત્રીપૂર્ણ માહોલ હોવો જોઈએ, પરંતુ મને નથી લાગતું કે વધુ પડતી આક્રમકતા યોગ્ય છે. આ સાથે જ તેણે સ્ટીવ સ્મિથનું ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું કે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમી રહી હતી ત્યારે સ્ટીવ સ્મિથ ભારતીય બોલરોની સારી બોલિંગની પ્રશંસા કરી રહ્યો હતો, પરંતુ મને તે યોગ્ય નથી લાગતું, કારણ કે તમે ત્યાં વિરોધી ટીમ સાથે મેચ રમી રહ્યા છો, તમે જીતવા માંગો છો. જો હું હોત તો મેં આક્રમક ક્રિકેટ રમવાનું પસંદ કર્યું હોત.

'હું હંમેશાથી આક્રમક ક્રિકેટનો ચાહક રહ્યો છું, પરંતુ...'

એલન બોર્ડરે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ રમવાની રીત હંમેશા અલગ રહી છે. હું હંમેશાથી આક્રમક ક્રિકેટની તરફેણમાં રહ્યો છું, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વિરોધી ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરો. આ સાથે જ તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રકારની ક્રિકેટ રમવા માટે જાણીતી છે. આ કારણે કિવી ટીમને 'Mr Nice Guy'  કહેવામાં આવે છે.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી રમાશે. ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર બંને ટીમો આમને-સામને થશે. 

ઓવલમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ છે

ભારતીય ટીમે ઓવલ ખાતે અત્યાર સુધી 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ટીમ માત્ર 2 જીતી શકી છે અને 5 મેચ હારી છે, જ્યારે 7 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે અહીં છેલ્લી ટેસ્ટ મેચ 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 157 રનથી જીત મેળવી હતી. તે મેચમાં વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 127 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાનો આવો છે રેકોર્ડ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની વિરોધી ઓસ્ટ્રેલિયા ટીમનો રેકોર્ડ પણ અહીં ખાસ નથી. કાંગારૂ ટીમે અહીં અત્યાર સુધીમાં કુલ 38 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ટીમ માત્ર 7 જીતી છે અને 17માં હાર્યું છે, જ્યારે 14 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 અને ભારતીય ટીમે 32 મેચ જીતી છે. જ્યારે 29 મેચ ડ્રો અને એક મેચ ટાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે છેલ્લી આઈસીસી ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફીના તરીકે 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા નિશ્ચિતપણે 10 વર્ષથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાએ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad Rath Yatra Live: રથયાત્રામાં DJના વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા, બેથી ત્રણ લોકોને પહોંચી ઈજા
Ahmedabad Rath Yatra Live: રથયાત્રામાં DJના વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા, બેથી ત્રણ લોકોને પહોંચી ઈજા
Ahmedabad: કોમી એખલાસનું પ્રતીક બની રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા: મુખ્યમંત્રી
Ahmedabad: કોમી એખલાસનું પ્રતીક બની રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા: મુખ્યમંત્રી
Ahmedabad Rath Yatra 2025: રથયાત્રામાં ખાડિયા પાસે ત્રણ ગજરાજ બન્યા બેકાબૂ, ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા
Ahmedabad Rath Yatra 2025: રથયાત્રામાં ખાડિયા પાસે ત્રણ ગજરાજ બન્યા બેકાબૂ, ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા
IND vs ENG 2nd Test: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત
IND vs ENG 2nd Test: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rath Yatra: રથયાત્રામાં ડીજેના અવાજથી ભડક્યા ગજરાજ, 3 લોકો ઘાયલ
Rathyatra 2025: રથયાત્રામાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા?, જુઓ આ અહેવાલ
Rathyatra 2025: ‘આજે મારા દિલમાં દિવાળી..’ રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ
રથયાત્રાના પ્રસ્થાન પહેલા CM ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને પાઠવી નવા વર્ષની શુભકામનાઓ કંઈક આવા અંદાજમાં
રથયાત્રાના પ્રસ્થાન પહેલા CM ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને પાઠવી નવા વર્ષની શુભકામનાઓ કંઈક આવા અંદાજમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rath Yatra Live: રથયાત્રામાં DJના વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા, બેથી ત્રણ લોકોને પહોંચી ઈજા
Ahmedabad Rath Yatra Live: રથયાત્રામાં DJના વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા, બેથી ત્રણ લોકોને પહોંચી ઈજા
Ahmedabad: કોમી એખલાસનું પ્રતીક બની રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા: મુખ્યમંત્રી
Ahmedabad: કોમી એખલાસનું પ્રતીક બની રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા: મુખ્યમંત્રી
Ahmedabad Rath Yatra 2025: રથયાત્રામાં ખાડિયા પાસે ત્રણ ગજરાજ બન્યા બેકાબૂ, ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા
Ahmedabad Rath Yatra 2025: રથયાત્રામાં ખાડિયા પાસે ત્રણ ગજરાજ બન્યા બેકાબૂ, ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા
IND vs ENG 2nd Test: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત
IND vs ENG 2nd Test: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત
HIVથી બચવા માટે પ્રથમ શરત છે ટેસ્ટિંગ, National HIV Testing Day પર જાણો કેમ જરૂરી છે સમય પર ટેસ્ટ
HIVથી બચવા માટે પ્રથમ શરત છે ટેસ્ટિંગ, National HIV Testing Day પર જાણો કેમ જરૂરી છે સમય પર ટેસ્ટ
અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો કેવી રીતે કરવામાં આવે છે સારવાર , શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ?
અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો કેવી રીતે કરવામાં આવે છે સારવાર , શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ?
શું  1 લાખથી ઓછા ડાઉન પેમેન્ટમાં મળી જશે Tata Punch? ખરીદતા પહેલા જાણોલો EMI ગણતરી
શું 1 લાખથી ઓછા ડાઉન પેમેન્ટમાં મળી જશે Tata Punch? ખરીદતા પહેલા જાણોલો EMI ગણતરી
ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા મોટા સંકેત, કહ્યુ- 'ભારત સાથે કરવા જઈ રહ્યા છીએ મોટી ડીલ', ચીન અંગે શું કહ્યુ?
ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા મોટા સંકેત, કહ્યુ- 'ભારત સાથે કરવા જઈ રહ્યા છીએ મોટી ડીલ', ચીન અંગે શું કહ્યુ?
Embed widget