શોધખોળ કરો

IND vs WI, 2nd Test: કોહલીએ બ્રેડમેનના રેકોર્ડની કરી બરાબરી, વેસ્ટ ઈન્ડિઝની પણ મજબૂત શરૂઆત, આવો રહ્યો બીજો દિવસ

બીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 438 રન પર સમાપ્ત થયો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને 86 રન હતો.

India vs West Indies 2nd Test Day 2 Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 438 રન પર સમાપ્ત થયો હતો. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને 86 રન હતો.

કેરેબિયન કેપ્ટન ક્રેગ બ્રેથવેટ 37 અને ક્રિક મેકેન્ઝી 14 રને સ્ટમ્પ પર અણનમ પરત ફર્યા હતા. બ્રેથવેટે અત્યાર સુધીમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે જ્યારે મેકેન્ઝીએ એક ફોર અને એક સિક્સર ફટકારી છે તેજનારાયણ ચંદ્રપોલ ચાર ચોગ્ગાની મદદથી 33 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનમાં મોકલ્યો હતો.

કોહલીએ 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી, બ્રેડમેનના રેકોર્ડની કરી બરાબરી

આ પહેલા, તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવતા, વિરાટ કોહલીએ તેની 29મી ટેસ્ટ સદી ફટકારી, ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે તેની પ્રથમ ઇનિંગમાં 128 ઓવરમાં 438 રન બનાવવામાં મદદ કરી. આ સાથે કોહલીએ ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેન ગણાતા સર ડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીની બરાબરી કરી લીધી.

છેલ્લી ટેસ્ટમાં સદી ચૂકી ગયેલા કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા હતા. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી દરમિયાન (ટેસ્ટ, ODI અને T20 સહિત), તેણે રવિન્દ્ર જાડેજા (61) સાથે પાંચમી વિકેટ માટે 159 રનની ભાગીદારી કરીને ભારત માટે મજબૂત પુનરાગમન કર્યું. કોહલી રન આઉટ થયો હતો જ્યારે જાડેજા કેમાર રોચની બોલ પર જોશુઆ ડા સિલ્વાના હાથે કેચ આઉટ થયો હતો.

અશ્વિને પણ ફટકારી ફિફ્ટી

લંચ બાદ રવિચંદ્રન અશ્વિને (56) અડધી સદી ફટકારી અને નીચલા ક્રમના બેટ્સમેનો સાથે શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 438 રન સુધી પહોંચાડ્યો. તે આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો. તે આઉટ થતાની સાથે જ અમ્પાયરે ચા બ્રેકની જાહેરાત કરી. તેણે ઈશાન કિશન (25) સાથે સાતમી વિકેટ માટે 33 રન અને જયદેવ ઉનડકટ (07) સાથે આઠમી વિકેટ માટે 23 રનની ભાગીદારી કરીને ટીમને 400 રનની પાર પહોંચાડી હતી. અશ્વિને 78 બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ માટે રોચે 104 અને જોમેલ વોરિકને 89 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 57 રન આપ્યા હતા જ્યારે શેનન ગેબ્રિયલને એક વિકેટ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Embed widget