શોધખોળ કરો

LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સએ હૈદરાબાદને આપ્યો 166 રનનો ટાર્ગેટ, પૂરન-બદોની છવાયા

LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. તેમની ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 165 રન જ બનાવી શકી છે. શરૂઆતની ઓવરોમાં ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગે LSGને બેકફૂટ પર ધકેલી દીધી હતી.

LSG vs SRH: લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. તેમની ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 165 રન જ બનાવી શકી છે. શરૂઆતની ઓવરોમાં ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગે LSGને બેકફૂટ પર ધકેલી દીધી હતી. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યા વચ્ચે 36 રનની નાની પરંતુ મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી અને આ ભાગીદારીએ લખનૌને મેચમાં વાપસી કરવામાં ઘણી મદદ કરી હતી. એલએસજી તરફથી સૌથી વધુ રન આયુષ બદોનીએ બનાવ્યા હતા, જેણે 30 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ રમી હતી. નિકોલસ પુરને પણ 26 બોલમાં 48 રનની મહત્વની ઈનિંગ રમીને લખનૌના સ્કોરને 160ની પાર લઈ ગયો હતો.

 

LSG પાવરપ્લે ઓવરોમાં સંઘર્ષ કરતી દેખાઈ, કારણ કે ટીમ 2 વિકેટના નુકસાન પર માત્ર 27 રન જ બનાવી શકી હતી. ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે લખનૌના બેટ્સમેનો પ્રથમ 10 ઓવરમાં માત્ર 57 રન જ બનાવી શક્યા હતા. 6 કરતા ઓછો રન રેટ જોઈને એવું લાગતું હતું  કે LSG કદાચ 130 રનનો આંકડો પણ પાર કરી શકશે નહીં. કેએલ રાહુલ 10મી ઓવરમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. માત્ર 8 બોલ બાદ કૃણાલ પંડ્યા પણ 24 રનના સ્કોર પર આઉટ થયો હતો. પરંતુ અહીંથી લખનૌની ઇનિંગ્સ બદલાવાની હતી. નિકોલસ પુરન અને આયુષ બદોની વચ્ચે 99 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. 15 ઓવરમાં ટીમે 4 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા. છેલ્લી 5 ઓવરમાં 63 રન આવ્યા, જેના કારણે લખનૌ 165 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. હવે હૈદરાબાદે જીતવા માટે 166 રન બનાવવા પડશે.

નિકોલસ પુરન અને આયુષ બદોનીએ બાજી સંભાળી
એક સમયે ટીમ 120 કે 130 રનના સ્કોર પર સિમિત થવાની સંભાવના હતી. રનની ગતિ ઘણી ધીમી થઈ ગઈ હતી. 12મી ઓવરમાં કૃણાલ પંડ્યાની વિકેટ પડી ત્યાં સુધી ટીમ 4 વિકેટે 66 રન જ બનાવી શકી હતી. પૂરન અને બદોનીએ ખાસ કરીને છેલ્લી 5 ઓવરમાં હૈદરાબાદના બોલરોને પછાડ્યા હતા. પુરન અને બદોનીએ છેલ્લી 5 ઓવરમાં 63 રન બનાવ્યા અને 99 રનની ભાગીદારી કરીને લખનૌને ઓછા સ્કોર સુધી પહોંચતું બચાવ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget