શોધખોળ કરો

કાળઝાળ ગરમીમાં ઘરમાં AC ચલાવતી વખતે આ પાંચ વસ્તુનુ રાખો ધ્યાન, લાઇટ બિલમાં થશે ફાયદો.......

ભૂલથી પણ ખૂબ ઓછા તાપમાન પર AC ઓન ન રાખવું જોઈએ. આવું કરવાથી તબિયત પણ બગડે છે અને વિજળી બિલનું ટેન્શન તમને હેરાન કરી મુકે છે.

AC Tips: દેશભરમાં અત્યારે ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. હજુ પણ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આવામાં ઘર હોય કે ઓફિસ તમામ જગ્યાઓ પર એસીની ખુબ જરૂરિયાત ઉભી થઇ છે, પરંતુ એસી ચલાવતી વખતે સૌથી મોટી સમસ્યા ઇલેક્ટ્રિસિટી બિલમાં વધારો થવાની રહે છે. ઘરમાં સતત AC - એર કંડીશનર ચાલુ રાકવામાં કોઈ તકલીફ નથી, પરંતુ લાઈટ બિલનું ટેન્શન દરેકને ચિંતામાં મુકી દે છે. આવામાં જો તમે અહીં બતાવેલી કેટલીક ટિપ્સને ફોલો કરશો તો તમારુ લાઇટ બિલ એર કંડીશનર ચલાવવા છતાં ઓછુ આવી શકે છે. જાણો................. 

બેસ્ટ ટેમ્પરેટરથી AC સેટ કરો -
ભૂલથી પણ ખૂબ ઓછા તાપમાન પર AC ઓન ન રાખવું જોઈએ. આવું કરવાથી તબિયત પણ બગડે છે અને વિજળી બિલનું ટેન્શન તમને હેરાન કરી મુકે છે. બ્યૂરો ઓફ એનર્જી ઇન્ફીશંસી કે BEEનું માનીએ તો 24 ડિગ્રી પર AC સેટ કરવું જોઈએ. આપણા શરીર માટે આ જ યોગ્ય તાપમાન છે અને આમ કરવાથી વિજળી બિલ પણ વધારે આપવું નથી. 

પાવર બટનનુ હંમેશા ધ્યાન રાખો -
આપણે એ આદત પાડવી પડશે કે જ્યારે AC બંધ હોય ત્યારે પાવર બટન પણ ઓફ જ હોવું જોઈએ. મોટાભાગના લોકો AC રીમોટથી જ ઓફ કરે છે. આમ કરવાથી વિજળી બિલ વધે છે. એટલા માટે પાવર બટન ઓફ કરવાનું ન ભૂલવું જોઈએ. 

ACમાં હંમેશા ટાઈમરનો ઉપયોગ કરો-
આજકાલ બધા ACમાં ટાઈમર આવે જ છે. આખી રાત AC ઓન રાખવાને બદલે તેમાં ટાઈમર સેટ કરી દેવું જોઈએ. 2-3 કલાક સતત ઓન રાખ્યા બાદ ટાઈમર સેટ કરી AC ઓફ કરી દેવું જોઈએ. આમ કરવાથી વધારે વિજળી બિલથી બચી શકાય છે. 

સમયાંતરે ACનું સર્વિસિંગ જરૂર કરાવો -
બધા વિજળી ગેજેટ્સનું સમય સમય પર સર્વિસિંગ કરાવવું પડે છે. આમ કરવાથી તેની ક્વોલિટી જળવાઈ રહે છે. ભારતમાં આખું વર્ષ ACની જરૂર પડતી નથી, શીયાળામાં તો AC બંધ જ રહે છે, એટલા માટે તેનું સર્વિસિંગ જરૂરી બની જાય છે.  ACમાં હૂલ વગેરે જામી જાય, તો મશીનને નુકસાન પહોંચી શકે છે. 

ઘરના બારી-બારણાં બંધ કરવા - 
AC ઓન કરતા પહેલા દરવાજો અને બારીઓ જોઈ લેવા જોઈએ કે બંધ છે કે નહી. બહારની હવા અંદર આવવાથી કે અંદરની હવા બહાર જવાથી ACનો પ્રભાવ ઘટે છે. આમ કરવાથી કારણ વિના વિજળી બિલ વધારે આવે છે અને રૂમ ઠંડો થવામાં વધારે સમય પણ લાગે છે. 

આ પણ વાંચો.........

IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ

Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ

LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે

Biscuits Prices Likely To Be Hiked: હવે બિસ્કિટ ખાવા મોંઘા પડશે, બ્રિટાનિયાએ ભાવમાં વધારાના સંકેત આપ્યા

Thirst At Mid Night:અડધી રાત્રે આપને તીવ્ર તરસ લાગે છે, ગળું સુકાય છે? આ સમસ્યા માટે આ કારણો છે જવાબદાર

Twitter Update: ટૂંક સમયમાં ટ્વિટર વાપરવા માટે રૂપિયા ચૂકવવા પડશે, ઈલોન મસ્કે ટ્વિટ કરી આપી માહિતી, જાણો કોના માટે તે ફ્રી હશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget