શોધખોળ કરો

કોરોના કાળમાં આ વસ્તુની માંગમાં થયો જોરદાર વધારો, જાણીને રહી જશો દંગ

સમ એસ્યોર્ડની પસંદગીની વાત આવે ત્યારે 60 ટકા ભારતીયોએ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડ વચ્ચે અને 25 ટકા લોકોએ રૂ. 1 કરોડથી ઉપરના કવરની પસંદગી કરતા ટર્મ પ્લાન ખરીદ્યા છે.

નવી દિલ્હીઃ પોતાની નાણાકીય સલામતી અને માનસિક શાંતિ માટે હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ અત્યંત મહત્વના છે તેમ 90 ટકાથી વધુ ભારતીયોનું માનવું છે. વિશેષરૂપે કોરોના મહામારીના ભય સામે સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે તેમ તેમનું માનવું છે. આ સંશોધન નેશનલ ઈન્સ્યોરન્સ અવેરનેસ ડે : 2021ની ઊજવણી માટે પોલિસીબજાર.કોમ દ્વારા 6000 લોકો પર કરવામાં આવ્યું હતું. આ સરવે 18મી જૂનથી 21મી જૂન 2021 વચ્ચે હાથ ધરાયો હતો.

સ્વાસ્થ્ય વીમો

સરવેમાં 61 ટકા પ્રતિવાદીઓએ કોવિડ-19 બીમારીની ઝપેટમાં આવવાના ભયથી વ્યાપક હેલ્થ પ્લાનમાં રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ 10 ટકા પ્રતિવાદીઓએ કોવિડ-સ્પેસિફિક પોલિસી ખરીદી હોવાનું જણાવ્યું હતું. સરવેના સંશોધનો મુજબ લોકો દ્વારા હેલ્થ કવરની ખરીદી માટે ઊંચો મેડિકલ ખર્ચ (40 ટકા), કોવિડ-19ના ભય અને કર બચતના લાભ પ્રાથમિક કારણ છે. અંદાજે એક ચતુર્થાંશ પ્રતિવાદીઓએ ઘરમાં સારવાર મેળવવા માટે કોવિડ ક્લેમ મેળવ્યો હતો, જ્યારે હોસ્પિટલમાં સારવાર મેળવવા બદલ 77 ટકા લોકોના ક્લેમ મંજૂર થયા હતા. સરવેના સંશોધનોએ દર્શાવ્યું છે કે પ્રત્યેક 10માંથી 7 લોકો તેમની વીમા પોલિસી હાયર સમ ઈન્સ્યોર્ડ અને ઝીરો કો-પેમેન્ટ, નો રૂમ રેન્ટ કેપિંગ અને નીચા વેઈટિંગ પિરિયડ જેવા વધુ સારા ફીચર્સ માટે વિવિધ વીમા કંપનીઓમાં પોર્ટ કરવા માગે છે.

ટર્મ ઈન્સ્યોરન્સ

જીવન વીમાની વાત આવે ત્યારે સંશોધનો દર્શાવે છે કે ત્રણ ચતુર્થાંશ પ્રતિવાદીઓએ કોવિડના ભયના કારણે છેલ્લા બે વર્ષમાં ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદ્યો હતો. પ્રત્યેક 10માંથી 9 પ્રતિવાદીઓએ માત્ર કર બચતના સાધન (2 ટકા) તરીકે જ નહીં પરંતુ પરિવારના નાણાકીય ભાવીના રક્ષણ માટે ટર્મ પ્લાન ખરીદ્યો હતો. સરવે સંશાધનો સંકેત આપે છે કે 72 ટકા પ્રતિવાદીઓએ તેમનો સૌપ્રથમ ટર્મ પ્લાન પોલિસીબજારમાંથી ઓનલાઈન ખરીદ્યો હતો. સમ એસ્યોર્ડની પસંદગીની વાત આવે ત્યારે 60 ટકા ભારતીયોએ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડ વચ્ચે અને 25 ટકા લોકોએ રૂ. 1 કરોડથી ઉપરના કવરની પસંદગી કરતા ટર્મ પ્લાન ખરીદ્યા છે.

 ‘કોવિડ-19ની વર્તમાન સ્થિતિ જેવા અસાધારણ સમય દરમિયાન વીમા ઉત્પાદનો તરફ અમારા ગ્રાહકોનો દૃષ્ટિકોણ સમજવો અને તેમની જરૂરિયાતો મુજબ યોગ્ય ઉકેલો સાથે તેમની સેવા કરવી તે ખૂબ જ મહત્વનું છે. વીમાથી સારી રીતે સજ્જ રાષ્ટ્ર આર્થિક અનિશ્ચિતતાઓનો હંમેશા સારી રીતે સામનો કરી શકે છે. એ બાબત સ્પષ્ટ છે કે વિશેષરૂપે કોવિડ-19ની અસરને ધ્યાનમાં રાખતાં સંરક્ષણ ઉત્પાદનો નાણાકીય આયોજનોનો પાયો બન્યા છે. કોરોના મહામારીએ નિશ્ચિતપણે લોકોમાં વીમા અંગે જાગૃતિ અને યોગ્ય વીમાની ખરીદી માટેની ઈચ્છા વધારી છે,’ તેમ પોલિસીબજાર.કોમના સીઈઓ સર્બવીર સિંહે જણાવ્યું હતું.

મોટર ઈન્સ્યોરન્સ

કોવિડ-19 મહામારીએ ગ્રાહકોની ખરીદીની વર્તણૂક પર અસર કરી છે. 95 ટકા લોકો હવે તેમનો કાર વીમો ઓનલાઈન રીન્યુ કરવાનું પસંદ કરે છે જ્યારે માત્ર પાંચ ટકા લોકો જ ઓફલાઈન મોડ પસંદ કરે છે. છેલ્લા 15 મહિનામાં 80 ટકાથી વધુ પ્રતિવાદીઓએ તેમનો મોટર વીમો રીન્યુ કરાવ્યો હતો જ્યારે બાકીના 20 ટકા લોકોએ રીન્યુઅલ ટાળવાનું પસંદ કર્યું. પરીણામે તેઓ નો-ક્લેમ બોનસ અને નીચા પ્રીમિયમ જેવા રીન્યુઅલ લાભ લેવાનું ચૂકી ગયા.

રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને ધ્યાનમાં રાખીને પોલિસીબજાર અફોર્ડેબલ પ્રીમિયમમાં વાહનોના કવરેજને આવરી લેવા થર્ડ પાર્ટી + આગ + ચોરી જેવી મોટર વીમા પોલિસી સાથે આગળ આવી છે. પ્રત્યેક 10માંથી 6 લોકોએ આ પ્લાનના બે મહત્વના ફીચર્સ એવા સસ્તા પ્રીમિયમ અને ઓછા વપરાશ માટે આ પ્લાન ખરીદ્યો હતો. આ સરવે મુજબ અંદાજે 70 ટકા ભારતીયોએ તેમના વાહન માટે માત્ર ફરજિયાત થર્ડ-પાર્ટી કવર જ નહીં પરંતુ વ્યાપક કવરની પસંદગી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget