શોધખોળ કરો
Advertisement
આત્મનિર્ભર ગુજરાતઃ રૂપિયા 1 લાખની લોન 2 ટકાના વ્યાજે મળશે, 6 મહિના સુધી હપ્તો કે વ્યાજ નહીં
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખથી વધુ લોકોને લાભ મળશે.
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખથી વધુ લોકોને લાભ મળશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. 6 મહિના સુધી હપ્તો કે વ્યાજ નહીં ચૂકવવું પડે.
1 લાખ રૂપિયા સુધીની લોન જે લોનનું વ્યાજ ઓછામાં ઓછા 12 ટકા છે તે લોન માત્ર 2 ટકા વ્યાજમાં મળશે. કોઓપરેટિવ બેંકો, ક્રેડિટ સોસાયટીઓ અને ડિસ્ટ્રીક્ટ બેંકએ બધા લોકો સાથે વિગતવાર ચર્ચા કરીને આ યોજના બનાવી છે.
જેમાં આ બેંકો માત્ર એમની અરજી અને અરજીના આધાર ઉપર લાખ રૂપિયા સુધીની લોન જે તે વ્યક્તિને આપશે. જેના ઈન્ટ્રેસ્ટના વ્યક્તિએ વાર્ષિક માત્ર 2 ટકા વ્યાજ આપવાનું રહેશે બાકીના 6 ટકા રાજ્ય સરકાર ચૂકવશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપિયાએ કહ્યું, ગુજરાતના નાના વેપારીઓ નાના કારીગરો આ બધાનો વિચાર કરીને, છેલ્લા બે મહિનામાં તેમનો ધંધો ઠપ્પ થયો. બે મહિનામાં તેમને જે માર પડ્યો છે તેમાંથી ઉભા થાય અને આવનારા છ 12 મહિનામાં રિકવરી થઈ જાય એટલા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
for smartphones
and tablets
and tablets