શોધખોળ કરો

અમદાવાદ-ડીસામાં આરોગ્ય વિભાગના દરોડા, 5000 કિલો માવો અને 116 ઘીના ડબ્બા સીઝ કરાયા

આગામી સમયમાં દિવાળીના પર્વ નિમિત્તે રખાયેલા માલસામાનનું પણ ચેકીંગ કરવામાં આવ્યં છે. વાડીલાલ કોલ્ડ સ્ટોરેજમાંથી ગુલાબ જાંબુનો 1474 કિલો માવો સિઝ કરાયો કરાયો છે.

તહેવાર ટાણે ભેળસેળીયાઓ પર તંત્રની તવાઈ આવી છે.  અમદાવાદમાં એએમસી દ્વારા પાર્ટી પ્લોટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મણિનગર વિસ્તારનાં મણિનગરનો મણિયારો, ચાંદખેડા વિસ્તારના અવનીભવનમાં ચેકીંગ હાથ ધરાયુ તો સરદારનગર વિસ્તારમાં ખેલૈયા ગરબા અને નિકોલ વિસ્તારમાં ખોડલ ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

આગામી સમયમાં દિવાળીના પર્વ નિમિત્તે રખાયેલા માલસામાનનું પણ ચેકીંગ કરવામાં આવ્યં છે. વાડીલાલ કોલ્ડ સ્ટોરેજમાંથી ગુલાબ જાંબુનો 1474 કિલો માવો સિઝ કરાયો કરાયો છે. 3474 કિલો મોળો માવો અને 1498 કિલો મીઠો માવો સિઝ કરવામાં આવ્યો છે. તો પદ્માવતી કોલ્ડ સ્ટોરેજમાંથી 314 કિલો બ્રેડ સ્પ્રેડ અને 64000 કિલો મીડીયમ ફેટ ક્રીમ સિઝ કરવામાં આવ્યં છે. 319 કિલો બટરનો જથ્થો પણ સિઝ કરવામાં આવ્યો છે. અંદાજે 1 કરોડ 82 લાખ 80 હજારની કિંમતનો મુદ્દામાલ બે સ્ટોરેજમાંથી સીલ કરવામાં આવ્યો છે.

ડીસામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

તહેવાર સમયે જ ભેળસેળિયા તત્વો સક્રિય બન્યા છે. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. સોનમ બ્રાંડના 116 ડબ્બા ફૂડ વિભાગે સીલ કર્યા છે. ડબ્બા પર પેકેજિંગ અને એક્સપાયરી ડેટ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેથી ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. આ ઘી ડીસાના જ વેપારી બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

મિલાવટખોરોથી સાવધાન

17 ઓક્ટોબર

ગાંધીનગરના દહેગામમાં જલારામ

ડેરીમાંથી લુઝ ક્રીમનો જથ્થો સીઝ  

16 ઓક્ટોબર

આણંદની ઉમેટા ચોકડી પાસેથી

519 કિલો ભેળસેળયુક્ત માવો ઝડપાયો

16 ઓક્ટોબર

જામનગરના ગોકુલનગરમાંથી

ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો

14 ઓક્ટોબર

બનાસકાંઠાના રિસાલા બજારમાંથી

શંકાસ્પદ એસેન્સનો જથ્થો ઝડપાયો

13 ઓક્ટોબર

પીપળજની દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ એકમમાંથી

600 ટન શંકાસ્પદ બટરનો જથ્થો સીઝ

11 ઓક્ટોબર

રાજકોટમાં રવિરાજ કોલ્ડ સ્ટોરેજમાંથી

7 હજાર કિલો અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો

10 ઓક્ટોબર

ભાવનગરની એકમાત્ર માહી ડેરીમાં દૂધના

સેમ્પલમાં આલ્ફા ટોક્સિનની માત્રા વધારે

ઘીમાં ભેળસેળ કેવી રીતે ઓળખશો

તમને જણાવી દઈએ કે ભેળસેળના આ જમાનામાં દેશી ઘી પણ તેનાથી અછૂત નથી. વાસ્તવિક ઘી મોંઘું હોવાને કારણે, ઘણા નફાખોર વેપારીઓ વનસ્પતિ ઘી, બટેટા, શક્કરીયા, હાઇડ્રોજનયુક્ત તેલ અથવા નાળિયેર તેલમાં ભેળસેળ કરે છે. આવી સ્થિતિમાં, તમે કેટલીક પદ્ધતિઓની મદદથી ઓળખી શકો છો કે ઘી અસલી છે કે નકલી. તો ચાલો જાણીએ આ પદ્ધતિઓ વિશે.

મીઠું વાપરો

મીઠું તમને અસલી અને નકલી ઘી ઓળખવામાં મદદ કરી શકે છે. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી લો. હવે તેમાં અડધી ચમચી મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી તેને લગભગ વીસ મિનિટ માટે આમ જ રહેવા દો. જો આ દરમિયાન ઘીનો રંગ બદલાઈ જાય તો આ ઘી નકલી છે. જ્યારે વાસ્તવિક ઘીનો રંગ બિલકુલ બદલાતો નથી.

પાણીનો ઉપયોગ કરો

ઘી શુદ્ધ છે કે ભેળસેળવાળું છે તે ઓળખવા માટે પાણીની મદદ પણ લઈ શકાય છે. આ માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી ઘી નાખો. જો ઘી પાણીમાં ઉપર તરફ તરતા લાગે તો આ ઘી વાસ્તવિક છે. પાણીમાં તરતા બદલે નકલી ઘી વાસણના તળિયે ડૂબી જાય છે.

હાથ દ્વારા પરીક્ષણ

ઘીની શુદ્ધતા ચકાસવા માટે, તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. વાસ્તવિક ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેવું છે તેવું જ રહેશે.

રંગ દ્વારા ઓળખો

ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે વાસ્તવિક છે. નકલી ઘી મોડેથી ઓગળશે અને તેનો રંગ પીળો રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget