શોધખોળ કરો

Chandrayaan-3 mission: શું ધરતી પર પરત ફરશે ચંદ્રયાન-3, 14 દિવસ બાદ શું કરશે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન?

Chandrayaan-3 mission: આવનારા 14 દિવસ ચંદ્રયાન-3 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

Chandrayaan-3 mission:  આવનારા 14 દિવસ ચંદ્રયાન-3 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ પછી હવે નજર પ્રજ્ઞાન રોવર પર છે, જે સ્થિતિ સામાન્ય થયા પછી ચંદ્રની સપાટી પર દોડશે. વિક્રમ લેન્ડરની અંદર રોવર પ્રજ્ઞાનની બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

14 દિવસ પછી શું થશે?

રોવર અને લેન્ડરથી ઈસરોને જે માહિતી મળશે તે માત્ર 14 દિવસની હશે, કારણ કે આ સમયગાળામાં જ ચંદ્રને સંપૂર્ણ પ્રકાશ મળશે. આ દિવસોમાં લેન્ડર અને રોવર એક્ટિવ રહીને ISROને માહિતી મોકલશે. વાસ્તવમાં 14 દિવસ પછી ચંદ્ર પર રાત પડશે. આ રાત એક દિવસ માટે નહીં પરંતુ આખા 14 દિવસની હશે. રાત્રે અહીં ખૂબ જ ઠંડી રહેશે. કારણ કે, વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર સૂર્યપ્રકાશમાં જ કામ કરી શકે છે તેથી તેઓ 14 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે. ઈસરોના વૈજ્ઞાનિકોએ જો કે, સૂર્ય ઉગે ત્યારે વિક્રમ અને પ્રજ્ઞાન ફરીથી ચંદ્ર પર કામ કરે તેવી શક્યતાને નકારી નથી. જો બંને 14 દિવસ પછી યોગ્ય રીતે કામ કરે છે તો તે ભારતના ચંદ્ર મિશન માટે બોનસ હશે.

શું ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું આવશે?

એવું નથી કે ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું ફરશે. વિક્રમ અને પ્રજ્ઞાન ભલે કામ ન કરે પરંતુ તેઓ ચંદ્ર પર રહેશે.

ચંદ્રયાન-3નું કુલ વજન?

ભારતના ચંદ્રયાન-3નું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિગ્રા છે અને લેન્ડર મોડ્યુલનું વજન 1,752 કિગ્રા છે, જેમાં 26 કિગ્રા રોવરનો સમાવેશ થાય છે.

ચંદ્રયાન 3 ક્યાં ઉતર્યું?

ISRO પહેલા જ ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટની તસવીર શેર કરી ચૂક્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે થયેલા ચોક્કસ સોફ્ટ લેન્ડિંગ પછી વિક્રમના કેમેરા દ્વારા આ તસવીર લેવામાં આવી હતી. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રમાણમાં સપાટ વિસ્તારમાં લેન્ડ થયું હતું.

રોવર પ્રજ્ઞાન હવે શું કરશે?

પ્રજ્ઞાન ચંદ્રની સપાટીની રાસાયણિક રચના, માટી અને ખડકોની તપાસ કરશે. તે ધ્રુવીય પ્રદેશની નજીક ચંદ્રની સપાટીના આયનો અને ઇલેક્ટ્રોનની ઘનતા અને થર્મલ ગુણધર્મોને માપશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તારની પહેલા ક્યારેય કોઈએ મુલાકાત લીધી નથી. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જવાની હિંમત કરી હોય.

ચંદ્રની સપાટી પરથી 14 દિવસ સુધી માહિતી એકત્રિત કરશે

વૈજ્ઞાનિકોના મતે, સોફ્ટ લેન્ડિંગ પછી રોવર અને લેન્ડરથી ઈસરોને જે માહિતી મળશે તે માત્ર 14 દિવસ માટે જ હશે, કારણ કે આ સમયગાળા દરમિયાન જ ચંદ્રને સંપૂર્ણ પ્રકાશ મળશે. તેમનું કહેવું છે કે રોવર પાસેથી મળેલી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ચંદ્રની સપાટી પર આગળ વધતું રહે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 14 દિવસની અંદર રોવર ન માત્ર ચંદ્ર પર પોતાનો નિર્ધારિત રસ્તો પૂરો કરશે પરંતુ તેની સંપૂર્ણ માહિતી ઈસરોના ડેટા સેન્ટરને મોકલતું રહેશે. માહિતી માત્ર રોવર દ્વારા જ નહીં પરંતુ લેન્ડર દ્વારા પણ મળતી રહેશે. જો કે, અવકાશ વૈજ્ઞાનિકોનું માનવું છે કે 14 દિવસમાં પ્રાપ્ત માહિતી એ અવકાશમાં ચંદ્ર પર કરવામાં આવનારી તમામ શક્યતાઓ વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget