![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehengai Pe Halla Bol Rally: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કરશે મોટી રેલી, 28 ઓગસ્ટે દિલ્હીમાં 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી'ની જાહેરાત
જયરામ રમેશે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 5 ઓગસ્ટ, 2022 ના રોજ મોદી સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ આયોજિત આંદોલન, સામાન્ય જનતાની લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.
![Mehengai Pe Halla Bol Rally: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કરશે મોટી રેલી, 28 ઓગસ્ટે દિલ્હીમાં 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી'ની જાહેરાત Congress Mehengai Pe Halla Bol Rally Delhi Ramlila Maidan Mehengai Chaupal at All Mandis Retail Markets Mehengai Pe Halla Bol Rally: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કરશે મોટી રેલી, 28 ઓગસ્ટે દિલ્હીમાં 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી'ની જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/4acd428552fbfb45cac68bc0dc5c11c8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehengai Pe Halla Bol Rally: વડાપ્રધાન મોદીએ 5 ઓગસ્ટે કોંગ્રેસના પ્રદર્શનને "કાળો જાદુ" ગણાવ્યા બાદ કોંગ્રેસ મોંઘવારી મુદ્દે બીજી મોટી રેલી યોજવા જઈ રહી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે મોંઘવારી સામે મોટી રેલીની જાહેરાત કરતા એ પણ માહિતી આપી છે કે 17 થી 23 ઓગસ્ટ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોની મંડીઓ, છૂટક બજારો અને અન્ય સ્થળોએ 'મોંઘવારી ચૌપાલ'નું આયોજન કરવામાં આવશે.
જયરામ રમેશનું નિવેદન
માહિતી આપતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, "ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 5 ઓગસ્ટ, 2022 ના રોજ મોદી સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ આયોજિત આંદોલન, સામાન્ય જનતાની લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રવ્યાપી ન્યાયી વિરોધને 'કાળા જાદુ' તરીકે કલંકિત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ભયાવહ પ્રયાસ ભાજપ સરકારની ભયંકર રીતે વધતી જતી કિંમતો અને બેરોજગારીને નિયંત્રિત કરવામાં સંપૂર્ણ નિષ્ફળતાને કારણે ઊભી થતી અસુરક્ષાની ભાવનાને છતી કરે છે."
પાર્ટી મોંઘવારી ચૌપાલનું આયોજન કરશે
રમેશે વધુમાં જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટી આ લડાઈને આગામી સપ્તાહોમાં વધતી મોંઘવારી અને બેરોજગારી સામે શ્રેણીબદ્ધ વિરોધના રૂપમાં આગળ લઈ જશે. અને અન્ય સ્થળોએ પરસ્પર પરામર્શ માટે 'મોંઘવારી ચૌપાલ'નું આયોજન કરશે. 28 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે 'મહેંગાઈ પે હલ્લા બોલ રેલી' યોજાશે. આ રેલીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે. તમામ રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે કોંગ્રેસ સમિતિઓ એક સાથે રાજ્યમાં 'મહંગાઈ પે હલ્લા બોલ-દિલ્લી ચલો' કાર્યક્રમનું આયોજન કરશે.
જાહેર મિલકતો મૂડીવાદીઓને સોંપવામાં આવી રહી છે
પોતાના નિવેદનમાં જયરામ રમેશે મોદી સરકારની નીતિઓ વિશે જણાવ્યું હતું કે, "ભારતના લોકો મોદી સરકારના આર્થિક ગેરવહીવટનો માર સહન કરી રહ્યા છે. દહીં, છાશ, પેકેજ્ડ ફૂડ, અનાજ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ઊંચા ટેક્સને કારણે મોંઘવારી વધી રહી છે.
જ્યારે સાર્વજનિક મિલકતો મિત્ર મૂડીવાદીઓને સોંપવામાં આવી રહી છે. આ સાથે દિશાવિહીન અગ્નિપથ યોજના શરૂ થવાથી રોજગારીની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ જનવિરોધી નીતિઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખશે અને ભાજપ સરકાર પર તેની ખોટી નીતિઓ બદલવા માટે દબાણ વધારશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)