શોધખોળ કરો

Diwali Celebration: આ રાજ્યના 7 ગામડાંઓ સાઇલેન્ટલી મનાવે છે દિવાળીનો તહેવાર, કારણ જાણીને ચોંકી જશો

દેશભરમાં અત્યારે દિવાળીના તહેવારોનો માહોલ જામ્યો છે. ગઈકાલે એટલે કે રવિવાર (12 નવેમ્બર)ના રોજ દેશ અને દુનિયામાં દિવાળીના તહેવારની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

Happy Diwali 2023: દેશભરમાં અત્યારે દિવાળીના તહેવારોનો માહોલ જામ્યો છે. ગઈકાલે એટલે કે રવિવાર (12 નવેમ્બર)ના રોજ દેશ અને દુનિયામાં દિવાળીના તહેવારની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર નિમિત્તે લોકોએ દીવા પ્રગટાવીને, મીઠાઈઓ વહેંચીને અને ફટાકડા ફોડીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. વળી, તમિલનાડુ રાજ્યમાં 7 ગામો એવા છે કે જેમણે કોઈપણ અવાજ વિના એકદમ સાયલન્ટલી માત્ર દીવા પ્રગટાવીને દિવાળીના આ તહેવારની ઉજવણી કરી છે.

ખરેખરમાં, તમિલનાડુના ઇરોડ જિલ્લાના સાત ગામોમાં આ તહેવાર એકદમ સાયલન્ટલી અને માત્ર લાઇટો સાથે ઉજવવામાં આવ્યો હતો અને નજીકના પક્ષી અભયારણ્યમાં પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા. આ ગામો ઈરોડથી 10 કિમી દૂર વડામુગમ વેલોડેની આસપાસ આવેલા છે, જ્યાં પક્ષી અભયારણ્ય છે. આ વર્ષે પણ સેલપ્પમપલયમ, વદમુગમ વેલોડે, સેમમંડપલયમ, કારુકંકટ્ટુ વલસુ, પુંગમપાડી અને અન્ય બે ગામોએ 'સાયલન્ટ' દિવાળીની આદરણીય પરંપરા જાળવી રાખી હતી.

22 વર્ષોથી ચાલી આવે છે સાયલન્ટ દિવાળીની પરંપરા 
તેઓ છેલ્લા 22 વર્ષથી દિવાળી પર ફટાકડા ન ફોડીને સંરક્ષણના આ અભિગમને અનુસરી રહ્યા છે. પક્ષીઓની હજારો સ્થાનિક પ્રજાતિઓ અને અન્ય વિસ્તારોમાંથી સ્થળાંતર કરનારા પક્ષીઓ ઓક્ટોબર અને જાન્યુઆરી વચ્ચે ઇંડા મૂકવા અને બહાર કાઢવા માટે અભયારણ્યની મુલાકાત લે છે.

દિવાળી સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવતી હોવાથી પક્ષી અભ્યારણ્યની આસપાસ રહેતા 900 થી વધુ પરિવારોએ પક્ષીઓના રક્ષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ના ફોડવાનું નક્કી કર્યું કારણ કે મોટા અવાજ અને પ્રદૂષણને કારણે પક્ષીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. .

શું કહે છે ગ્રામજનો ?
આ ગામડાઓમાં રહેતા લોકોનું કહેવું છે કે દિવાળી દરમિયાન તેઓ તેમના બાળકો માટે નવા કપડાં ખરીદે છે, દીવા પ્રગટાવે છે અને પક્ષીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ફટાકડા ફોડવા નહીં અને તેઓ ફટાકડા ફોડવા નથી દેતા.

 

દિવાળીના દિવસે રાજ્યમાં અનેક જગ્યાએ લાગી આગ

રાજ્યમાં દિવાળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ફટાકડાના ને કારણે અનેક જગ્યાએ આગના બનાવ બન્યા છે. દિવાળીના દિવસે આગ લાગવાના બનાવ વધ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદમાં ફાયર ઇમરજન્સીને આગના 136 કોલ મળ્યા છે. જો કે મોટા ભાગના કોલ ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના મળ્યા હતા. તો વડોદરામાં પણ દિવાળીના દિવસે આગના બનાવ વધ્યા છે. ફાયર વિભાગને આગના 32 કોલ મળ્યા જેમાં 29 કેસમાં કચરામાં લાગ લાગી. જ્યારે એક મકાનમાં અને એક બંધ દુકાનમાં આગ લાગી હતી. તો ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા મારુતિ આશ્રમમાં મંડપના સામાનમાં આગ લાગી હતી. મારુતિ આશ્રમ ની બાજુમાંથી પસાર થતી ગેસની લાઈનમાં આગ લાગવાના કારણે આગ આશ્રમના મકાનમાં ફેલાઈ ગઈ હતી. ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે.

તો રાજકોટમાં પણ જૂના એયરપોર્ટમાં આગની ઘટના બની. ઘાસમાં અચાનક આગ લાગી. જો કે ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જૂનાગઢના કેશોદમાં પણ ફટાકડાના કારણે આગ લાગી હતી. પોલીસ હેડ ક્વોર્ટર નજીક પોલીસની કારમાં આગ લાગી હતી. સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર કાંટાના કારખાનામાં લાગી આગ હતી. વહેલી સવારે એસ આર પેટ્રોલ પંપ ની સામે આવેલ કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈ સાવરકુંડલા ફાયર વિભાગ અને અમરેલી ફાયર વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. કારખાનામાં રહેલા પુઠાના બોક્સ બળીને ખાખ થયા હતા. તપાસ બાદ નુકસાનીનો અંદાજ મળી શકશે. એકાદ કલાકની જહમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

અમદાવાદમાં સુરધારા સર્કલ નજીક આગની ઘટના બની હતી. મેપલ ટ્રી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. બીજા માળે લાગી હતી. મકાનમાં ફસાયેલા 3 લોકોનુ રેસ્ક્યુ કરાયુ હતું. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

જામનગરમાં આગ

જામનગરમાં જામજોધપુરનાં આઝાદ ચોક વિસ્તારમાં પ્લાસ્ટિકનાં માલ સામાનનાં ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફટાકડાનો તણખો ઊડતાં આગ લાગી હોવાનું અનુમાન છે. ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટિક નો તમામ માલ સામાન બળી ને ખાખ થઈ ગયો છે. જામજોધપુર અને ઉપલેટાના ફાયર બ્રગેડ દ્વાર આગ કાબૂમાં લેવાઈ છે. લાખો રૂપિયા નાં નુકસાન થયું હોવાની સંભાવના છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
Embed widget