શોધખોળ કરો

India Corona Update : દેશમાં આજે 43,509 કેસ નોંધાયા, રિકવરી રેટ 97.38 ટકા

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ સ્વાસ્થ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું. 

નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું. 


 એકબાજુ જ્યાં દેશમાં દરરોજ નવા કોરોના કેસોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે કેરાલામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેરાલા દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે જ્યાં છેલ્લા 50 દિવસમાં પહેલીવાર 20 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. કેરાલામાં મંગળવારે કૉવિડ-19ના 22,129 નવા કેસો સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33,05,245 થઇ ગઇ છે. વળી તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરીથી 12 ટકાને પાર થઇ ગયો છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 દર્દીઓના મોત થયા બાદ મૃતકોની સંખ્યા વધીને 16,326 થઇ ગઇ છે. 13,145 દર્દીઓના સંક્રમણ મુક્ત થયા બાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 31,43,043 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 1,45,371 એક્ટિવ કેસો છે. રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં સંક્રમણના 2,000 થી વધુ કેસો સામે આવ્યા છે. સૌથી વધુ 4,037 કેસો મલ્લાપ્પુરમમાંથી નોંધાયા છે. 


આ પછી ત્રિશૂરમાં 2,623, કોઝિકૉડથી 2,397 અને અર્નાકુલમથી 2,352 અને પલ્લકડથી 2,115, કોલ્લમથી 1,914 અને કોટ્ટાયમથી 1,136, તિરુવનંતપુરમથી 1,100, કન્નૂરથી 1,072 અને અલપ્પુઝાથી 1,064 કેસો સામે આવ્યા છે. જાહેરાતમાં બતાવવામાં આવ્યુ કે નવા દર્દીઓમાં 116 સ્વાસ્થ્ય કર્મીઓ છે. 


કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી-
ઉલ્લેખનીય છે કે સાત રાજ્યોમાં 22 જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકવાર વધારાથી કેન્દ્ર અને પ્રદેશ સરકારોની ચિંતાઓ વધારી દીધી છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાના કેસોમાં આ વધારો ચિંતાનો વિષય છે. લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં 54 જિલ્લામાં 10 ટકાથી વધુ પૉઝિટીવી કેસ છે. 

 

દેશમાં કોરોનાનો ભોગ બનવાના અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોમાં કોરોના વાઈરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિકસી છે તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. એઈમ્સના કોવિડ-૧૯ આઈસીયુનું સંચાલન કરી રહેલા ડૉ. યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તે મહત્વનું છે. જોકે, લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કોરોનાના કેસ ઓછા છે તેમ માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતાં મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ છે. ભારતમાં પણ કેસોમાં હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાત હવામાન અપડેટ: કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રૂજશે! આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
Bihar Politics: ચૂંટણી હારતા જ RJD લાલઘૂમ, 32 ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ; જાણો શું છે કારણ?
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
IND vs SA ODI Squad: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કેએલ રાહુલ સંભાળશે કેપ્ટનશીપ; જાણો કોને મળ્યું સ્થાન
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Rajkot Crypto Scam: રાજકોટમાં રાજકીય ભૂકંપ! ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ, જાણો ક્રિપ્ટો કૌભાંડ વિશે
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Smriti Mandhana Wedding Postponed: ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્નમાં વિઘ્ન, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક, લગ્ન મોકૂફ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Arshad Madani vs BJP: ‘લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતમાં કેમ નહીં?’ મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ
Embed widget