![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
બંગાળના જલપાઈગુડીમાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ અકસ્માતમાં 15 લોકોના મોત થયાની સત્તાવાર જાણકારી મળી છે.
![જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી jalpaiguri train accident death toll 15 compensation rs 10 lakh જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, રેલવે મંત્રીએ 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/8f4aaf419d3e73211194d588ec409e9b1718602800627236_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kanchanjungha Express Accident: જલપાઈગુડી ટ્રેન અકસ્માત: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જેમાંથી 3 રેલવે કર્મચારી છે, જ્યારે 5 મુસાફરો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ 15 લોકોના મોતની માહિતી આપી છે. અકસ્માતમાં 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે રેલ્વેએ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે ઓછા ઘાયલોને 50 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે પીએમઓએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયનું વચન આપવામાં આવ્યું છે.
Death toll in West Bengal train accident rises to 15, 60 injured: Official
— Press Trust of India (@PTI_News) June 17, 2024
પીએમ મોદીએ કહ્યું બંગાળમાં રેલ દુર્ઘટના દુઃખદ છે
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુઃખદ છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.
આ અકસ્માત પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે થયો હતો. અહીં એક માલગાડી અને સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી. ઉત્તર બંગાળના ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી લગભગ 30 કિમી દૂર ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.
અગાઉ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું હતું કે, 'આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે ઝોનમાં થઈ છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
આ પણ વાંચોઃ
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કાંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, ઘણા ડબ્બા પાટા પરથી ઉતર્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)