શોધખોળ કરો

Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી

Prayagraj Mahakumbh Stampede: મહા કુંભ મેળા વિસ્તારમાં ગૂંગળામણને કારણે કેટલીક વધુ મહિલાઓ બેભાન થઈ ગઈ હતી અને તેમના પડવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી

Prayagraj Mahakumbh Stampede: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રણ વખત ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ યુપીના સીએમ યોગી પાસેથી મહાકુંભ મેળાની પરિસ્થિતિ વિશે માહિતી લીધી અને ઘાયલો માટે અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી. આ સાથે, પીએમએ શ્રદ્ધાળુઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા પણ કહ્યું છે.

મૌની અમાસના અમૃત સ્નાન પહેલા થયેલી ભાગદોડ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર તરફથી યુપી સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે.

મૌની અમાસના દિવસે કરોડો ભક્તો સ્નાન માટે મહાકુંભ પહોંચ્યા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સંગમ નાક પર સ્નાન દરમિયાન નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ઉત્તર પ્રદેશ સરકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મહા કુંભ મેળા વિસ્તારમાં ગૂંગળામણને કારણે કેટલીક વધુ મહિલાઓ બેભાન થઈ ગઈ હતી અને તેમના પડવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસી જતાં, તાત્કાલિક એમ્બ્યૂલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી અને 25 થી 30 લોકોને પ્રયાગરાજની અન્ય હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા, જેમાં મહાકુંભમાં બનેલી સેન્ટ્રલ હૉસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

ગ્રીન કોરિડૉર બનાવીને ઘાયલોને પહોંચાડ્યા હૉસ્પિટલ 
સુરક્ષા દળોએ ઘાયલોને હૉસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક ગ્રીન કોરિડૉર બનાવ્યો. તેમની સારવાર માટે હૉસ્પિટલમાં ડોક્ટરોની આખી ટીમ હાજર છે. આ ઉપરાંત, જરૂર પડ્યે ઘાયલોને એર એમ્બ્યૂલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.

10 થી વધુ જિલ્લાધિકારીઓને ક્રાઉડ મેનેજમેન્ટની જવાબદારી 
હકીકતમાં, મૌની અમાસના અવસર પર દેશ-વિદેશથી કરોડો ભક્તો અમૃત સ્નાન કરવા માટે પહોંચ્યા છે. આ ભીડને નિયંત્રિત કરવા માટે યુપી સરકારે 10 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટને જવાબદારી સોંપી છે. પ્રયાગરાજ સરહદી વિસ્તારોમાં અધિકારીઓને સક્રિય કરવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓ આરામથી સ્નાન કરી શકે.

આ પણ વાંચો

Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ

                                                                                                                                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પરMahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp AsmitaHun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede:  મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Mahakumbh Stampede: મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM   મોદીએ આપ્યાં આ આદેશ
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM મોદીએ આપ્યાં આ આદેશ
Embed widget