![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
corona third wave:કોરોના સંક્રમણને રોકવા માટે આગામી 6થી8 સપ્તાહ શા માટે મહત્વપૂર્ણ,જાણો એમ્સ ડિરેક્ટર ગુલેરિયાએ શું કહ્યું
કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે.
![corona third wave:કોરોના સંક્રમણને રોકવા માટે આગામી 6થી8 સપ્તાહ શા માટે મહત્વપૂર્ણ,જાણો એમ્સ ડિરેક્ટર ગુલેરિયાએ શું કહ્યું Next 6 To 8 Weeks Are Very Crucial For Covid Pandemic In India Says Aiims Director Dr Randeep Guleria corona third wave:કોરોના સંક્રમણને રોકવા માટે આગામી 6થી8 સપ્તાહ શા માટે મહત્વપૂર્ણ,જાણો એમ્સ ડિરેક્ટર ગુલેરિયાએ શું કહ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/04/0734cab388cb060aec3fa8cfdbc87297_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Corona third wave:કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુજ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શૂર થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો સમયે થોડું સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછી કરવામાં સફળતા મળી શકશે.
ગુલેરિયાએ ફેસ્ટિવલને લઇને શું આપી ચેતાવણી
ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપે છે.
છેલ્લા 3 દિવસમાં નોંધાયેલા કેસ
- 1 ઓક્ટોબરઃ 26,727
- 2 ઓક્ટોબરઃ 24,534
- 3 ઓક્ટોબરઃ 22,842
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 31 લાખ 21 હજાર 247
- કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 64 હજાર 458
- કુલ મોતઃ 4 લાખ 48 હજાર 997
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 90,79,32,861 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.
.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)