શોધખોળ કરો

Punjab: કોંગ્રેસના નેતાઓ સાથે અણબનાવ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ CM ભગવંત માન સાથે મુલાકાત કરશે

પંજાબ ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સતત પાર્ટી વિરુદ્ધ જતા જોવા મળી રહ્યા છે. આ અંગે પાર્ટીના નેતાઓ વતી તેમનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે.

પંજાબ ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સતત પાર્ટી વિરુદ્ધ જતા જોવા મળી રહ્યા છે. આ અંગે પાર્ટીના નેતાઓ વતી તેમનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર પક્ષ બદલી શકે છે. દરમિયાન, હવે સિદ્ધુ 9મી મે, સોમવાર એટલે કે આવતીકાલે પંજાબના સીએમ ભગવંત માનને મળવા જઈ રહ્યા છે. સિદ્ધુ પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

આર્થિક સુધારાને લઈ બેઠકઃ
જોકે સત્તાવાર રીતે સિદ્ધુ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે, ભગવંત માન સાથેની આ મુલાકાત પંજાબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા અંગે છે. તેમણે કહ્યું કે, પંજાબનો વિકાસ સામૂહિક પ્રયાસોથી જ શક્ય છે. જે દિવસે સિદ્ધુ પંજાબના મુખ્યમંત્રીને મળવાના છે તે દિવસે એટલે કે, આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ છે. આ બેઠકમાં ચિંતન શિબિરનો એજન્ડા નક્કી કરવામાં આવશે.

સિદ્ધુ સામે કાર્યવાહી કરી શકે છે કોંગ્રેસઃ
ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પંજાબના પ્રભારી હરીશ ચૌધરીએ સિદ્ધુ સામે અનુશાસનાત્મક કાર્યવાહીની માંગ કરી છે. થોડા દિવસ પહેલાં સામે આવેલા 23 એપ્રિલના એક પત્રમાં હરીશ ચૌધરીએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ તરફથી સિદ્ધુની હાલની ગતિવિધિઓ વિશે એક વિસ્તૃત નોંધ મોકલી હતી. ચૌધરીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સિદ્ધુએ ગત કોંગ્રેસ સરકારની સતત આલોચના કરી હતી. સિદ્ધુએ આવું નહોતું કરવાનું એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

સિદ્ધુએ કર્યો આ ઈશારોઃ
નવજોત સિંહ સિદ્ધુ પણ આ મામલે મૌન તોડી ચુક્યા છે. સિદ્ધુએ ઈશારો કરતાં કહ્યું કે તેઓ સમય આવ્યે બધી વાતોનો જવાબ આપશે. સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, મારી વિરોધમાં થતી વાતો હું હંમેશાં શાંતિથી સાંભળું છું. જવાબ આપવાનો હક મેં સમયને આપેલો છે. જો કે સિદ્ધુએ પોતાના ટ્વીટમાં કરેલી વાતનો કોઈ સંદર્ભ નહોતો આપ્યો પરંતુ આ ટ્વીટને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને હરીશ ચૌધરીએ મોકલેલી ચિઠ્ઠી ઉપર પ્રતિક્રિયાની રીતે જોવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget