શોધખોળ કરો

Rajkot: કોરોનાકાળની કમાણીને લઇને ઇન્કમટેક્સ વિભાગની 5 હજાર લોકોને નૉટિસ, ડૉક્ટરોમાં ફફડાટ

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોરોના કાળની લેવડદેવડને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરવામાં આવી છે

Rajkot: વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં કોરોનાની ભયંકર લહેર આવી, આ દરમિયાન ભારત સહિતના કેટલાય દેશોમાં મોટા પાયે દર્દીઓ મૃત્યુ પામ્યા અને કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ દરમિયાન ફાઇનાન્સિયલ કેટલીય લેવડદેવડ થઇ હતી, જોકે, આ મામલે હવે ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં એકસાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરતાં કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. 

મળતી માહિતી પ્રમાણે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોરોના કાળની લેવડદેવડને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. આટલી બધી મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ વિભાગની નૉટિસ ઇશ્યૂ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના સમયની કમાણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડૉક્ટરો-તબીબોને પણ નૉટિસો ફટકારવામાં આવી છે. આ લિસ્ટમાં ડૉક્ટરો ઉપરાંત ઉદ્યોગપતિઓ, સોની વેપારીઓ સહિતાના લોકો સામેલ છે, આ તમામ લોકોને નૉટિસ ફટકારીને ખુલાસો પુછવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, આઇટી વિભાગની આ કામગીરીમાં એક હજારથી વધુ તબીબોને પણ નૉટિસ મોકલવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવી રીતે ધડાધડ નૉટિસ ઇશ્યૂ થતાં કરદાતાઓમાં દોડધામ મચી ગઇ છે.

આવકવેરો ભરનાર લોકો માટે ગૂડ ન્યુઝ, હવે ઓછો આપવા પડ઼શે ટેક્સ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ભાડા મુક્ત મકાનો માટે પગારદાર લોકોને મોટી રાહત આપી છે. આ હેઠળ, જે કર્મચારીઓને તેમની કંપની દ્વારા ભાડા-મુક્ત રહેવાની સુવિધા આપવામાં આવી છે તેઓ હવે વધુ બચત સાથે ઉચ્ચ પગાર મેળવી શકશે. કારણ કે, IT વિભાગે ભાડા-મુક્ત રહેઠાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ પહેલાથી જ આવકવેરા નિયમોમાં સુધારાની સૂચના આપી ચૂક્યું છે. સીબીડીટીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાયના કર્મચારીઓના મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે કંપનીની માલિકીના મકાનોમાં રહે છે.

નવા નિયમોમાં શું છે?

આવકવેરા વિભાગે કંપની દ્વારા તેના કર્મચારીઓને આપવામાં આવતા ભાડામુક્ત રહેઠાણનું મૂલ્યાંકન કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, જ્યાં એમ્પ્લોયર દ્વારા કર્મચારીઓને અનફર્નિશ્ડ આવાસ આપવામાં આવે છે, અને આવા આવાસની માલિકી કંપની પાસે છે, તેનું મૂલ્યાંકન હવે અલગ રીતે કરવામાં આવશે, નવા નિયમો હેઠળ, હવે શહેરી વિસ્તારોમાં જેમની વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ 40 લાખથી વધુ છે, HRA પગારના 10 ટકા હશે. અગાઉ તે 2001ની વસ્તી ગણતરી મુજબ 15 ટકા હતો. AKM ગ્લોબલ ટેક્સ પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “કર્મચારી જેઓ પર્યાપ્ત પગાર મેળવે છે અને એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલા આવાસમાં રહે છે તેઓ હવે વધુ બચત કરી શકશે કારણ કે તેમનો કરપાત્ર આધાર હવે સુધારેલા દરો સાથે ઓછો થવા જઈ રહ્યો છે. . આવી સ્થિતિમાં તેમના ઘરની કિંમત ઘટશે અને તેમનો પગાર પણ વધશે. AMRG એન્ડ એસોસિએટ્સના CEO ગૌરવ મોહનના જણાવ્યા અનુસાર, HRA મેળવતા કર્મચારીઓના કરપાત્ર પગારમાં ઘટાડો થશે, જેનાથી નેટ ટેઇક હોમ સેલેરી  વધશે. આનાથી એક તરફ કર્મચારીઓની બચત વધશે તો બીજી તરફ સરકારની આવકમાં ઘટાડો થશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
Embed widget