શોધખોળ કરો

Human Rights Day 2021: શા માટે મનાવાય છે માનવાધિકારી દિવસ? ક્યારથી થઇ શરૂઆત, આ વિશે બધું જ જાણો

10મી ડિસેમ્બર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે,

માનવ અધિકાર દિવસ:10મી ડિસેમ્બર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, આ વર્ષે પણ તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ 'સમાનતા - અસમાનતા ઘટાડવી, માનવ અધિકારોને આગળ વધારવી' છે.

માનવ અધિકાર દિવસનો ઇતિહાસ

10 ડિસેમ્બર, 1948 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ માનવ અધિકાર ઘોષણાપત્ર કરીને પ્રથમ વખત માનવ અધિકારની વાત કરી. જોકે સત્તાવાર રીતે આ દિવસની જાહેરાત 1950માં કરવામાં આવી હતી. એસેમ્બલીએ આ દિવસે 'આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ' ઉજવવા માટે તમામ દેશોને આમંત્રિત કર્યા, ત્યારબાદ એસેમ્બલીએ ઠરાવ 423 (V) પસાર કર્યો અને આ દિવસની ઉજવણી કરવા માટે તમામ દેશો અને સંબંધિત સંસ્થાઓને નોટિસ જાહેર કરી. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા 500 થી વધુ ભાષાઓમાં કરાઇ .  ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ' ની રચના કરવામાં આવી હતી, પરંતુ 10 ડિસેમ્બર 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી. પરંતુ માનવ અધિકાર દિવસ માટે 10 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.


ભારતમાં 12 ઓક્ટોબર 1993ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરવામાં આવી હતી, ત્યારથી માનવ અધિકાર આયોગ રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યના ક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે વેતન, HIV એઇડ્સ, આરોગ્ય, બાળ લગ્ન, મહિલા અધિકાર, માનવ અધિકાર પંચનું કામ વધુને વધુ લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનું છે. જો કે ભારતમાં માનવાધિકારની વાત કરીએ તો સ્પષ્ટ થાય છે કે, આજે પણ ઘણા લોકો પોતાના અધિકારો હોવા છતાં માનવ અધિકારો વિશે જાગૃત નથી. પછાત રાજ્યો અને ગામડાઓમાં જ્યાં સાક્ષરતાનું સ્તર થોડું નીચું છે ત્યાં માનવ અધિકારોનું ઉલ્લંઘન સામાન્ય છે. આવા વિસ્તારોમાં સત્તા ધરાવતા લોકો તેમને અનુસરતા નથી અને સામાન્ય લોકો પર દબાણ બનાવે છે. શહેરોમાં માનવ અધિકારો પ્રત્યે જાગૃત લોકો હોય છે, પરંતુ તેઓ તેનો ખોટો ફાયદો પણ ઉઠાવે છે

મોદી સરકાર આવી પછી કેટલી વિદેશી કંપનીઓ ભારતમાંથી જતી રહી

નવી દિલ્લીઃ ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી પછી 2800 વિદેશી કંપની ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી છે. ભારત માટે વિદેશી રોકાણ મહત્વનું છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં વિદેશી કંપનીઓ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી એ સમાચાર આંચકાજનક છે. ખૂદ કેન્દ્ર સરકારે આ કબૂલાત કરી છે.

સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, લોકસભાની 2014ની ચૂંટણી બાદ સત્તામાં આવેલી કેન્દ્રની મોદી સરકારના શાસનમાં  છેલ્લા સાત વર્ષમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સંસદમાં આ માહિતી આપતા કહ્યું કે, 2014થી અત્યાર સુધીમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.  તેમણે કહ્યું કે હાલમાં લગભગ ૧૨,૫૦૦ વિદેશી કંપનીઓ ભારતમાં પેટાકંપનીઓ એટલે કે સબસિડરીઝ દ્વારા કામકાજ કરી રહી છે.

એક લેખિત પ્રશ્નના જવાબમાં ભારતના કોમર્સ મિનિસ્ટર ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષમાં 2783 વિદેશી કંપનીઓએ ભારતમાં તેમની કામગીરી બંધ કરી છે. આ કંપનીઓની સંપર્ક ઓફિસ, બ્રાન્ચ ઓફિસ, પ્રોજેક્ટ ઓફિસ અથવા પેટાકંપનીના બેનર હેઠળ ભારતમાં નોંધાયેલી હતી. તેમણે કહ્યું કે, આ કંપનીઓએ વ્યવસાયિક હેતુ કે પ્રોજેક્ટ પૂરા થતાં પેરેન્ટ કંપનીનું પુનર્ગઠન, મર્જર અથવા મેનેજમેન્ટના અન્ય કોઈ નિર્ણયને કારણે ભારતમાં કામ કરવાનું બંધ કર્યું છે.

ગોયલે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં 10,756 વિદેશી કંપનીઓએ બિઝનેસ શરૂ કર્યો છે. આ કંપનીઓના રજીસ્ટ્રેશન બાદ હવે ભારતમાં કુલ 12,458 સક્રિય વિદેશી કંપનીઓ છે. ગોયલે કહ્યું કે આ આંકડો 30 નવેમ્બર, 2021 સુધીનો છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget