શોધખોળ કરો

Aliens on Mars: મંગળ ગ્રહ પર 50 વર્ષ પહેલા જ મળી ગયા હતા એલિયન્સ, પરંતુ NASAએ.....

નાસાએ વાઇકિંગ પ્રૉગ્રામ 1970ના મધ્યમાં શરૂ કર્યો હતો. આ અંતર્ગત મંગળ પર બે લેન્ડર્સ મોકલવામાં આવ્યા હતા. મિશન દ્વારા દુનિયાએ પહેલીવાર મંગળની સપાટીની તસવીર જોઈ

Aliens News: દુનિયાનો સૌથી મોટો અને વણઉકેલાયેલો કોયડો જો કોઇ હોય તો તે છે એલિયન્સ, દરેકના મનમાં વિચાર આવે કે શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે. આ એવો સવાલ છે જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. માણસે ચંદ્રથી સૂર્ય સુધી મિશન મોકલ્યા છે, પરંતુ આજ સુધી એલિયન્સના કોઈ પુરાવા મળ્યા નથી. આ દરમિયાન એલિયન્સને લઈને એક સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે એલિયન્સ 50 વર્ષ પહેલા મળી આવ્યા હતા.

ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, બર્લિનની ટેકનિકલ યૂનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર અને એસ્ટ્રૉબાયોલૉજીના પ્રૉફેસર ડર્ક શુલ્ઝે-માકુચનું કહેવું છે કે, એલિયન્સની શોધ 50 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અજાણતાં જ બધાનો નાશ કર્યો. તેઓ દાવો કરે છે કે એલિયન્સની શોધ સૂક્ષ્મ જીવોના સ્વરૂપમાં કરવામાં આવી હતી, જે મંગળની જમીનમાં રહેતા હતા. પરંતુ નાસાની ભૂલને કારણે તમામના મોત થયા હતા.

નાસાએ 1970ના દાયકામાં મોકલ્યું હતું મંગળ પર મિશન - 
વાસ્તવમાં, નાસાએ વાઇકિંગ પ્રૉગ્રામ 1970ના મધ્યમાં શરૂ કર્યો હતો. આ અંતર્ગત મંગળ પર બે લેન્ડર્સ મોકલવામાં આવ્યા હતા. મિશન દ્વારા દુનિયાએ પહેલીવાર મંગળની સપાટીની તસવીર જોઈ. લાલ ગ્રહ પર જીવનની શક્યતા ચકાસવા માટે તેની જમીનનું જૈવિક વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું. પ્રૉફેસરના જણાવ્યા અનુસાર મંગળ પર ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા, જેથી તેની જમીનની રચના સમજી શકાય.

મંગળ ગ્રહ પર કેવી રીતે માર્યા ગયા એલિયન્સ ? 
વાઇકિંગ પ્રૉગ્રામ હેઠળ હાથ ધરાયેલા પ્રયોગના ભાગરૂપે મંગળની જમીનમાં પોષક તત્વોથી ભરપૂર પાણી અને કિરણોત્સર્ગી કાર્બન એડ કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકો માનતા હતા કે જો મંગળ પર સંભવિત સૂક્ષ્મજીવાણુઓ હશે, તો તેઓ જીવન માટે પોષક તત્વો પર ખોરાક લેશે. આ કિરણોત્સર્ગી કાર્બન ગેસ છોડશે. મંગળ પર કયા એલિયન્સનું જીવન છે તે શોધી કાઢવાથી પુષ્ટિ થશે.

અહીં આશ્ચર્યની વાત એ છે કે, પ્રારંભિક પરિણામોમાં રેડિયૉએક્ટિવ ગેસ પણ બહાર આવ્યો હતો, પરંતુ સૂક્ષ્મજીવો વિશે કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી. એસ્ટ્રોબાયોલૉજીના પ્રૉફેસર ડર્ક શુલ્ઝે-માકુચનું કહેવું છે કે નાસાના આ પ્રયોગને કારણે સૂક્ષ્મજીવોને તેમની જરૂરિયાત કરતા વધુ પોષક તત્વો મળ્યા હશે, જેના કારણે તેમના જીવ ગયા હશે.

એક્સપેરિમેન્ટ પર શું બોલ્યા પ્રૉફેસર ?
પ્રૉફેસર ડર્ક શુલ્ઝે-માકુચે તેમની દલીલને આગળ ધપાવતા કહ્યું કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર પાણી હાજર છે. અમને લાગે છે કે જો આપણે મંગળની ભૂમિ પર પાણીનો ઉપયોગ કરીએ, તો ત્યાં હાજર સૂક્ષ્મજીવો તેના પર પ્રતિક્રિયા આપી શકે છે અને તેમની હાજરી જણાવી શકે છે. આ અભિગમ અમુક અંશે સાચો છે. તેમનું કહેવું છે કે મંગળ પર હાજર સૂક્ષ્મજીવોમાં પાણીને સંભાળવાની તાકાત ન હતી, જે તેમના મૃત્યુનું કારણ બન્યું.

પ્રૉફેસર વધુમાં જણાવે છે કે તે બિલકુલ અર્ધ-મૃત હાલતમાં રણમાં જોવા મળેલા મનુષ્ય જેવું છે. પછી તે વ્યક્તિ કોઈને શોધે છે અને તે વ્યક્તિ તેનો જીવ બચાવવા માટે તેને પાણી આપે છે. પરંતુ મીઠા પાણી આપવાને બદલે વ્યક્તિને ખારા પાણીના દરિયામાં ફેંકી દેવામાં આવે છે. જેના કારણે વ્યક્તિનો જીવ બચાવવાને બદલે તે મૃત્યુ પામે છે. તેમણે કહ્યું કે મંગળ પર જીવનની શોધ માટે નવું મિશન મોકલવું જોઈએ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget