શોધખોળ કરો

Helmet Celebration: બાંગ્લાદેશી ક્રિકેટરના સેલિબ્રેશનથી વિવાદ, 'ટાઇમ આઉટ' પર શ્રીલંકાને આપ્યો આવો જવાબ, જુઓ VIDEO

Mushfiqur Rahim Helmet Celebration:બાંગ્લાદેશી ખેલાડીઓ વનડે શ્રેણી જીત્યા બાદ ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા હતા

Mushfiqur Rahim Helmet Celebration:  ક્રિકેટમાં ફરી એકવાર ટાઈમ આઉટનો વિવાદ સામે આવ્યો છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી T20 અને ODI શ્રેણીમાં આ વિવાદ પેદા થયો હતો. વાસ્તવમાં  અગાઉ શ્રીલંકાએ બાંગ્લાદેશને ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.

આ પછી શ્રીલંકાના ખેલાડીઓએ ટાઈમ આઉટની ઉજવણી કરી અને બાંગ્લાદેશી ટીમને ચીડવી હતી. પરંતુ હવે બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને 3 મેચની વનડે શ્રેણીમાં 2-1થી હરાવીને સ્કોર સેટલ કરી લીધો છે.

બાંગ્લાદેશી ખેલાડીઓએ બદલો લીધો

આ સિવાય ટાઈમ આઉટ સેલિબ્રેશનનો પણ જોરદાર રીતે બદલો લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશી ખેલાડીઓ વનડે શ્રેણી જીત્યા બાદ ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશની ટીમને ટ્રોફી આપવામાં આવી, ત્યારબાદ મુશ્ફિકુર રહીમ તૂટેલું હેલ્મેટ લઈને આવ્યો અને તેને પોતાના સાથી ખેલાડીઓને બતાવવા લાગ્યો. આ પછી તમામ ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

બાંગ્લાદેશ ટીમનું આ હેલ્મેટ સેલિબ્રેશન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જ્યારે શ્રીલંકાની ટીમે ટી-20 સીરિઝ જીતી ત્યારે આખી ટીમે હાથમાં ઘડિયાળ તરફ ઈશારો કરીને પોઝ આપ્યો હતો.

આ રીતે 'ટાઇમ આઉટ વિવાદ' શરૂ થયો

નોંધનીય છે કે ગયા વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાયો હતો. દરમિયાન, 6 નવેમ્બરે, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં આ 'ટાઈમ આઉટ વિવાદ'  થયો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ સામેની મેચમાં શ્રીલંકાની ઈનિંગ દરમિયાન એન્જેલો મેથ્યુઝને 25મી ઓવરમાં ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો.

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ અપાયો હતો. આ 25મી ઓવર શાકિબે ફેંકી હતી, જેના બીજા બોલ પર સાદિરા સમરવિક્રમા આઉટ થઈ ગયો હતો. આ પછી મેથ્યુઝ મેદાનમાં આવ્યો, પરંતુ પીચ પર પહોંચતા જ તેના હેલ્મેટની પટ્ટી પહેરતી વખતે તૂટી ગઈ હતી.

ત્યારબાદ મેથ્યુઝે તરત જ ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કર્યો અને બીજું હેલ્મેટ મંગાવ્યુ હતું પરંતુ નઝમુલ હુસૈન સેન્ટોની વિનંતી પર બોલર શાકિબ અલ હસને અપીલ કરી જેના પર મેદાન પરના અમ્પાયરે મેથ્યુઝને ટાઈમ આઉટ આપ્યો હતો. આ રીતે મેથ્યુઝ એકપણ બોલ રમ્યા વગર આઉટ થઈ ગયો હતો. ત્યારથી જ્યારે પણ આ બંને ટીમો આમને-સામને આવે છે, ત્યારે 'ટાઇમ આઉટ વિવાદ' તાજો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
Advertisement

વિડિઓઝ

Cyclone Shakhti Update: શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે  શું કરી આગાહી?
Kheda news : ખેડા-પંચમહાલને જોડતો મહિસાગર બ્રિજ શરૂ કરવાની માગ સાથે આંદોલન
Surendranagar Accident News : સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર-કાર વચ્ચે અકસ્માતમાં ચારના મોત
Gandhinagar News: કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, રાજ્યના નવા 17 તાલુકાના કેટલાક ગામોમાં કરાયો ફેરફાર
Jagdish Thakor: કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સક્રિય રાજનીતિથી સન્યાસના આપ્યા સંકેત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
બિલાસપુરમાં ભયંકર ભૂસ્ખલન: બસ પર કાટમાળ પડતાં 18 લોકોના મોત, 30 લોકો હતા સવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિવાળી ભેટ: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 9.51 લાખ કર્મચારી-પેન્શનર્સને થશે ફાયદો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
રેલવે આપશે મોટી ખુશખબરી! કન્ફર્મ ટિકિટની બદલી શકાશે તારીખ, નહીં આપવો પડે કોઈ ચાર્જ
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
વર્લ્ડ બેંકનો ભારત પર વધ્યો ભરોસો, FY2026 માટે GDP ગ્રોથ રેટમાં કર્યો વધારો
સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત
સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
Embed widget