શોધખોળ કરો

T20 World Cup: દિલ્હીથી ઓછી વસ્તી ધરાવતો દેશ હવે ટીમ ઈન્ડિયાને આપશે ટક્કર, 18 વર્ષ જૂની યાદો તાજી થશે

કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમે એક નાનો દેશ છીએ જેમાં બહુ ઓછા લોકો ક્રિકેટ રમે છે. અમને પોતોના પર ગર્વ હોવો છે. હજુ વિજયનો પારો ચડ્યો નથી.

શારજાહઃ ટીમ ઈન્ડિયાને આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021ના ગ્રુપ-2માં રાખવામાં આવી છે, હવે આ ગ્રુપમાં એક એવો દેશ સામેલ થયો છે જેની વસ્તી દિલ્હીથી ઘણી ઓછી છે.

નામીબિયાની ટક્કર ટીમ ઈન્ડિયા સાથે થશે

અમે નામીબિયાની વાત કરી રહ્યા છીએ, જ્યાં સૌથી મહાન ખેલાડી ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સ્પ્રિંટર ફ્રેન્કી ફ્રેડરિક્સ રહી ચૂક્યા છે, પરંતુ હવે આ દેશની ક્રિકેટ ટીમ હવે ભારત સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે.

નામિબિયાની વસ્તી દિલ્હી કરતાં ઓછી છે

નામિબિયાના સુકાની ગેરહાર્ડ ઈરાસ્મસે તે કરી બતાવ્યું જેની તેના દેશવાસીઓએ કલ્પના પણ નહીં કરી હોય. આ એક એવો દેશ છે જેની વસ્તી 25 લાખ કરતાં થોડી વધુ છે. આ આફ્રિકન દેશે આયર્લેન્ડને હરાવીને ટી 20 વર્લ્ડ કપ સુપર 12 માં પ્રવેશ કર્યો.

નામિબિયાએ આયર્લેન્ડને હરાવ્યું

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા આયર્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 125 રન બનાવ્યા હતા. જવાબમાં નામિબિયાએ 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા અને 8 વિકેટના મોટા અંતરથી મેચ જીતી લીધી હતી.

18 વર્ષ પહેલા ભારત સાથે ટક્કર થઈ હતી

નામીબિયાએ 2003માં 50 ઓવરનો વર્લ્ડ કપ રમ્યો હતો જેમાં ટીમ ઈન્ડિયાએ તેને હરાવ્યું હતું, પરંતુ છેલ્લા 18 વર્ષમાં તેણે પોતાની રમતમાં ઘણો સુધારો કર્યો છે.

નામિબિયાના કેપ્ટનને ગર્વ છે

નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમે એક નાનો દેશ છીએ જેમાં બહુ ઓછા લોકો ક્રિકેટ રમે છે. અમને પોતોના પર ગર્વ હોવો છે. હજુ વિજયનો પારો ચડ્યો નથી.

આ ખેલાડીઓ નામિબિયાના મેચ વિનર બન્યા હતા

ગેરહાર્ડ ઇરાસ્મસ અને ડેવિડ વિઝ નામિબિયા માટે મેચ વિનર સાબિત થયા. આ અંગે ખુશી વ્યક્ત કરતા કેપ્ટન ઇરાસ્મસે કહ્યું, "દબાણના સમયે સિનિયર ખેલાડીઓ પર જવાબદારી છે, જે આજે અમે બંનેએ ભજવી હતી. આશા છે કે અમે ભવિષ્યમાં પણ આવું કરી શકીશું."

આયર્લેન્ડનું તુટ્યું દિલ

આયર્લેન્ડના કેપ્ટન એન્ડી બાલબર્નીએ સ્વીકાર્યું કે તેમની ટીમ આ હારને ભૂલી શકશે નહીં. તેણે કહ્યું, 'અમને દુખ થયું છે. અમે જીતવા માંગતા હતા પરંતુ અમે રન બનાવી શક્યા ન હતા. આ હારને ભૂલવી સહેલી નહીં હોય.”

ભારત-નામીબીયા મેચ ક્યારે છે?

ભારત અને નામિબિયા વચ્ચેની મેચ 8 નવેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સ્વાભાવિક છે કે 18 વર્ષ પછી બંને ટીમોની ટક્કર ઐતિહાસિક હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget