શોધખોળ કરો

Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયાને કેમ મનાય છે અતિ શુભ દિવસ, આ અવસરે બની હતી આ 5 મોટી ઘટના

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયાનો તહેવાર બુધવાર 30 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને કેમ કહેવાય છે વણજોયું મૂહૂર્ત કેમ અતિ શુભ મનાય છે.

Akshaya Tritiya 2025: દર વર્ષે અક્ષય તૃતીયા (અખા તીજ) નો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય એટલે કદી ન સમાપ્ત થતું સુખ, જેનો ક્ષય થતો નથી, શાશ્વતતા, સફળતા અને તૃતીયાનો અર્થ થાય છે 'ત્રીજું'. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર બુધવાર 30  એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન પરશુરામ, નર-નારાયણ અને હયગ્રીવ અવતર્યા હતા. ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાનો દિવસ ધનતેરસ અને દિવાળી જેવો શુભ માનવામાં આવે છે. આ દિવસે શુભ અને મૂલ્યવાન વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. અક્ષય તૃતીયા તિથિને તહેવાર તરીકે ઉજવવા માટે પુરાણોમાં ઘણા કારણો આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ 5 મુખ્ય કારણો જેના કારણે અક્ષય તૃતીયાનું મહત્વ વધી જાય છે.

કેમ મનાવાય છે અક્ષય તૃતિયા

ભવિષ્ય પુરાણ અનુસાર, સત્યયુગ, ત્રેતા અને કળિયુગ અક્ષય તૃતીયાથી શરૂ થયો હતો અને દ્વાપર યુગનો અંત પણ આ જ તારીખે થયો હતો. સત્યયુગમાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય, હયગ્રીવ, કૂર્મ, વરાહ અને નરસિંહનું રૂપ ધારણ કર્યું, જ્યારે ત્રેતાયુગમાં અધર્મ પર ધર્મની જીત સુનિશ્ચિત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન, પરશુરામ અને ભગવાન શ્રી રામનું રૂપ ધારણ કર્યું. આવી સ્થિતિમાં જે લોકો અક્ષય તૃતીયાના દિવસે શ્રી હરિના પરશુરામ અવતારની પૂજા કરે છે તેમને તેમના પિતૃના આશીર્વાદ મળે છે અને આ દિવસે મળેલા આશીર્વાદ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

પૃથ્વી પર માતા ગંગાનું અવતરણ  થયું

પુરાણો અનુસાર, રાજા ભગીરથે માતા ગંગાને પૃથ્વી પર લાવવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવના આશીર્વાદ અને રાજા ભગીરથની સફળ તપસ્યાને કારણે માતા ગંગા અક્ષય તૃતીયાના દિવસે પૃથ્વી પર અવતર્યા. કહેવાય છે કે, આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાછલા સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે.

બદ્રીનારાયણ અને બાંકે બિહારી જીના દર્શન

અક્ષય તૃતીયા પર ભગવાન શ્રી બદ્રીનારાયણના ચાર ધામોમાંથી એકના દ્વાર ખુલે છે. તેમજ મથુરામાં શ્રી બિહારીજીના ચરણોના દર્શન કરાવવામાં આવે છે, બાંકે બિહારીજીના ચરણ વર્ષભર કપડાથી ઢંકાયેલા રહે છે. કહેવાય છે કે આ દિવસે જે કોઈના ચરણોના દર્શન કરે છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે.

માતા અન્નપૂર્ણાનો જન્મ દિવસ અને અક્ષય પાત્રની પ્રાપ્તિ

પુરાણો અનુસાર અન્નદાતા ગણાતા માતા અન્નપૂર્ણાનો જન્મ પણ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરે છે અને પૈસા અને અન્નનું દાન કરે છે, તેના ભંડાર ક્યારેય ખાલી થતા નથી. પૌરાણિક કથાઓ અનુસાર, યુધિષ્ઠિરને અક્ષય તૃતીયાના શુભ દિવસે અક્ષયપત્ર પ્રાપ્ત થયું હતું. તેનું મહત્વ એ છે કે મહાભારતના લેખનની શરૂઆત

મહાભારતને પાંચમો વેદ કહેવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરી હતી. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતમાં જ સમાવિષ્ટ છે. એવું કહેવાય છે કે જે આ દિવસે ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરે છે તેને જીવનમાં ક્યારેય દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડતો નથી.

દાન કરવાથી શાશ્વત ફળ મળે છે

અક્ષય તૃતીયા વિશે એવું કહેવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલ દાનનો વ્યય થતો નથી, એટલે કે તમે જે પણ દાન કરો છો, તેનાથી અનેક ગણી વધારે રકમ તમારા દૈવી તિજોરીમાં જમા થઈ જાય છે. કહેવાય છે કે આ દિવસે દાન કરનારને મૃત્યુ પછી યમરાજની સજા ભોગવવી પડતી નથીઆ પાત્ર ક્યારેય ખાલી થતું નથી. આ જ કારણ છે કે, અક્ષય તૃતીયાથી ખેડૂતો તેમના ખેતરોમાં ખેડાણ શરૂ કરે છે.

અક્ષય તૃતીયા ક્યારે છે?

 વૈદિક કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલે સાંજે 05:31 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 30 એપ્રિલે બપોરે 02:12 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

ઉદયતિથિ અનુસાર, અક્ષય તૃતીયા 30 એપ્રિલ, બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે 5:41 થી 12:18 સુધીનો રહેશે. આ દિવસે સોનું ખરીદવું વિશેષ શુભ માનવામાં આવે છે. 30મી એપ્રિલે સવારે 5:41 થી બપોરે 2:12 સુધી સોનું ખરીદવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Embed widget