શોધખોળ કરો
એલ્યુમિનિયમ ભંગારની આયાત પર કસ્ટમ ડ્યૂટી વધશે તો ગુજરાતના 350 એકમોનું ભાવિ જોખમાશે, દેશમાં 1.50 લાખ લોકો ગુમાવશે નોકરી, જાણો વિગત
1/4

ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એસોસિયેશનના સેક્રેટરી જ્યંત જૈને જણાવ્યું હતું કે, દેશમાં એલ્યુમિનિયમ ક્રેપની ડિમાન્ડ વધી છે. વર્ષ 2017-18માં 11,19,768 મેટ્રીક ટન એલ્યુમિનિયમ ક્રેપની આયાત થઇ હતી જે વર્ષ 2016-17ની આયાતની તુલનાએ 20.45 ટકાનો વધારો દર્શાવે છે. વાહનોની વધેલી માગને જોતાં આ વધારો નોર્મલ ગણાય તેવો છે. તેની સામે વર્ષ 2018-19માં એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં એલ્યુમિનિયમ ક્રેપની આયાતમાં 21.66 ટકાની વૃદ્ધિ થઇ છે.
2/4

તેમણે એમ પણ કહ્યું કે, પ્રાઇમરી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરનારાઓને તેમનો નફો વધારવો હોવાથી નાના એકમોને ખતમ કરવા માટે કેન્દ્રમાં ફરિયાદ કરી રહ્યા છે કે ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરને કારણે એલ્યુમિનિયમ ક્રેપની આયાત વધી રહી છે. વાસ્તવમાં રસાઇકલીંગ એલ્યુમિનિયમની ગુણવત્તા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની છે અને મારુતિ, હોન્ડા, હીરો અને ટોયેટા જેવી કંપનીઓ તેમના પ્રોડક્ટ્સ ખરીદે છે.'
Published at : 28 Oct 2018 06:58 PM (IST)
View More





















