શોધખોળ કરો

કમરના અસહ્ય દુખાવાથી સતત પરેશાન રહો છો ? તમારા આહારમાં સામેલ કરો આ 6 વસ્તુઓ 

આ દિવસોમાં મોટાભાગના લોકો કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઓફિસમાં કલાકો કલાકો સુધી કામ કરવા અને ખોટી સ્થિતિમાં બેસી રહેવાના કારણે લોકોમાં આ સમસ્યા વધી રહી છે.

કમરનો દુખાવો આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ દિવસોમાં મોટાભાગના લોકો કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઓફિસમાં કલાકો કલાકો સુધી કામ કરવા અને ખોટી સ્થિતિમાં બેસી રહેવાના કારણે લોકોમાં આ સમસ્યા વધી રહી છે. આ સિવાય અસ્વસ્થ આહાર અને શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ તેના કેટલાક કારણો છે. કમરના દુખાવાથી રાહત મેળવવા માટે નિષ્ણાતો હંમેશા કસરત કરવાની સલાહ આપે છે. કારણ કે આનાથી સ્નાયુઓને તો આરામ મળશે જ પરંતુ શરીરના અલગ-અલગ ભાગોમાં થતા દુખાવાથી પણ રાહત મળશે.

વ્યાયામ ઉપરાંત તમારે તમારા આહાર પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે અને પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો પડશે જે પીડાથી રાહત આપી શકે છે. આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવાથી તમે દુખાવાથી રાહત મેળવી શકો છો.

1. ઓમેગા-3 ફેટી એસિડસઃ જો તમને વારંવાર કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય તો તમારે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. તમારે બદામ, અખરોટ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ અને માછલીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે. આ સિવાય તમે રસોઈ માટે સરસવનું તેલ અને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને દુખાવામાં રાહત મળી શકે છે.

2. એન્ટી ઈન્ફ્લેમેટરી ફૂડ:  એન્ટી ઈન્ફ્લેમેટરી ફૂડ પણ તમને દુખાવો ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. તમને તમારા રસોડામાં જ આવા ઘણા મસાલા જોવા મળશે, જેમાં  એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેમ કે તજ, લાલ મરચાં અને આદુ વગેરે. આ સિવાય હળદર પણ એક મસાલો છે, જે સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે.


3. પ્રોટીન ફૂડઃ શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે ઘણી વખત દુખાવાની સમસ્યા સર્જાય છે. તેથી તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક (ઇંડા, દૂધ, કઠોળ વગેરે) નો સમાવેશ કરો.

4. લીલા શાકભાજીઃ દુખાવામાં રાહત મેળવવા માટે તમે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન પણ કરી શકો છો.   જેમ કે કોબીજ, બ્રોકોલી, પાલક અને કોબી વગેરે. આમાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન K પણ થોડી માત્રામાં જોવા મળે છે. આ સિવાય સલ્ફોરાફેન નામનું સંયોજન પણ જોવા મળે છે, જે દર્દમાં રાહત આપવાનું કામ કરે છે.

5. કંદમૂળવાળી શાકભાજી: તમે દુખાવામાં રાહત મેળવવા માટે કંદૂમૂળ શાકભાજીનું સેવન પણ કરી શકો છો, જેમાં બીટરૂટ, ગાજર અને કોળું વગેરેનો સમાવેશ થાય છે. આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ મળી આવે છે, જે દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.

6. તાજા ફળો: દુખાવામાં રાહત મેળવવાની સાથે, તમારે એકંદર સ્વાસ્થ્ય માટે દરરોજ તાજા ફળોનું સેવન કરવું જોઈએ. તમે તમારા આહારમાં અનાનસ, સફરજન, ચેરી, જાંબુ, સાઇટ્રસ ફળો અને દ્રાક્ષ વગેરેનો સમાવેશ કરી શકો છો.  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો
Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!
Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!
Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?
Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ 
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ 
Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 2 મહિના પછી રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલો, કહ્યું- 'શરદ પવારને ફક્ત...'
Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 2 મહિના પછી રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલો, કહ્યું- 'શરદ પવારને ફક્ત...'
Embed widget