શોધખોળ કરો

ગ્રાહકોને પરેશાન કરતા બિઝનેસ કોલ અને SMSથી હવે મળશે છૂટકારો, જાણો DoTએ કેટલા દંડની જોગવાઈ કરી

પ્રથમ વખત ઉલ્લંઘનના કેસમાં તમામ નંબર ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે તેની સાથે જોડાયેલ તમામ આઈએમઈઆઈ નંબર શંકાસ્પદ યાદીમાં મુકવામાં આવશે.

નવી દિલ્હી : બોગસ અને છેતરપીંડીની ભાવનાથી મોકલવામાં આવતા કથિત કોમર્શિયલ મોબાઇલ એસએમએસ વિરૂદ્ધ ટેલિકોમ વિભાગે કડક લેવાની તૈયારી કરી દીધી છે. ટેલિકોમ વિભાગ હવે નકલી હેડિંગ સાથે બોગસ એસએમએસ મોકલીને ગ્રાહકોને છેતરતા કોમર્શિયલ એસએમએસ મોકલનાર તમામ ટેલિકોમ રિસોર્સ કાયમી ડિશકનેક્ટ એટલે ટેલિકોમ નંબરને હંમેશા માટે બંધ કરશે અને નિયમ ભંગ બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારશે.

પ્રસ્તાવની અંતર્ગત શૂન્યથી 10 ઉલ્લંઘનો માટે પ્રતિ ઉલ્લંઘન 1000 રૂપિયા, 10 થી 50 ઉલ્લંઘનો માટે પ્રતિ ઉલ્લંઘન 5000 અને 50થી વધુ વખત ઉલ્લંઘન કરવા પર દરેક ઉલ્લંઘન પર રૂ.10,000 આપવાની જોગવાઇ છે. ફોન પર TCCCPR 2018ની અંતર્ગત દંડનો સ્લેબ શૂન્યથી રૂ.100, રૂ.100 થી 1000 અને રૂ.1000 રખાયો છે. આ સિવાય DOTનું ડિજિટલ ગુપ્તચર એકમ સાધનના સ્તર પર પણ ઉલ્લંઘનની તપાસ કરશે. ડીઆઇયુની ખરાઇ માટે શંકાસ્પદ ફોન નંબરો પર સિસ્ટમ જનરેટેડ મેસેજ મોકલશે.

ટેલિકોમ વિભાગ દ્વારા સોમવારે જારી કરાયેલી નોટિસમાં જણાવ્યા મુજબ, કોઇ પણ સેન્ડર (એસએમએસ મોકલનાર) અમાન્ય હેડરનો ઉપયોગ કરીને એસએમએસ મોકલતા પકડાશે તો તેને પ્રત્યેક નિયમ ભંગ બદલ 1000થી 10,000 રૂપિયા સુધીનો દંડ કરાશે.

ટેલિકોમ વિભાગે જણાવ્યુ કે, કેન્દ્રીય સ્તરે એક ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ (ડીઆઇયુ) અને વિભાગના સર્વિસ એરિયા ફિલ્ડ યુનિટ ખાતે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન (ટીએએફસીઓપી) માટે ટેલિકોમ એનાલિટિક્સ બનાવશે.

બંને એકમો ટેલિકોમ સેવાનો ઉપયોગ કરીને છેતરપીંડીની જાણકારી મેળવવા, યુઝર્સની ફરિયાદનું મોનેટરિંગ કરવુ, નકલી આઇડી પ્રૂફથી મેળવેલ નકલી સિમકાર્ડને ઓળખી કાઢવા અને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ફ્રોર્ડ વગેરેને ઓળખી કાઢવા અને તમામ ગ્રાહકોની ફરિયાદોનો સમયસર ઉકેલ લાવવાની ખાતરી કરવા માટે વિવિધ સરકારી વિભાગો સાથે સમન્વય કરશે.

પ્રથમ વખત ઉલ્લંઘનના કેસમાં તમામ નંબર ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે તેની સાથે જોડાયેલ તમામ આઈએમઈઆઈ નંબર શંકાસ્પદ યાદીમાં મુકવામાં આવશે. આ નંબર પરથી 30 દિવસ સુધી કોઈપણ કોલ કે એસએમએસ કરી શકાશે નહીં. આવા IMEI નંબરને ફરીથી વેરિફિકેશન માટે કહેવામાં આવશે.

આ બાદ જો ફરીથી અલગ IMEI નંબરથી કોલ કે એસએમેસ કરે તો તેને ફરીથી શંકાસ્પદ યાદીમાં મૂકીને તેનું ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન બાદ નંબર એક્ટવિ થયા બાદ જો ફરીથી નિયમોનું ઉલ્લંઘન કરશે તો છ મહિના માટે દરરોજ 20 કોલ અને 20 એસેએમએસ સુધી મર્યાદિત કરી દેવામાં આવશે. અને બાદમાં પણ જો ઉલ્લંઘન થશે તો ઓળખના પુરાવા માટે આપેલ ડોક્યમેન્ટને બે વર્ષ સુધી રોકી દેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Embed widget