શોધખોળ કરો

Income Tax Saving Formula: નહી આપવો પડશે એક પણ રૂપિયો ઇન્કમટેક્સ, કપાયેલો પગાર પણ પાછો મળશે

Income Tax Saving Formula:જો તમે ઇચ્છો તો તમે હજુ પણ ટેક્સ બચત માટે પગલાં લઈ શકો છો, તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે.

Income Tax Saving Formula: જો તમારો પગાર ફેબ્રુઆરી મહિનામાં કાપવામાં આવ્યો છે અને માર્ચમાં પણ કાપવામાં આવશે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે તેને કેવી રીતે બચાવી શકાય કે પાછા કેવી રીતે મેળવવી શકાય કારણ કે ઈન્કમ ટેક્સના દાયરામાં આવવાને કારણે તમારો પગાર કપાઈ ગયો છે. જો તમે ઇચ્છો તો તમે હજુ પણ ટેક્સ બચત માટે પગલાં લઈ શકો છો, તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે.

વાસ્તવમાં જૂની કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓ રોકાણની વિગતો આપીને કર મુક્તિ મેળવી શકે છે. પરંતુ નાણાકીય વર્ષ 2023-24માં આવકવેરામાં છૂટ મેળવવા માટે માત્ર 31 માર્ચ સુધીનો સમય છે. ચાલો જાણીએ કે જો તમારો પગાર આવકવેરાને કારણે કાપવામાં આવ્યો છે તો તેને પાછો મેળવવા માટે કયા વિકલ્પો છે?

સૌ પ્રથમ કર્મચારીએ તેના રોકાણ વિશેની માહિતી એટલે કે રોકાણના પુરાવો અને HRA વિગતો તેની કંપનીને આપવી પડશે જ્યાં તે કામ કરી રહ્યો છે. મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને જાન્યુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં રોકાણના પુરાવો સબમિટ કરવાનું કહે છે. જેથી વેરિફિકેશન બાદ તેને આવકવેરા વિભાગમાં જમા કરાવી શકાય.

31મી માર્ચ સુધી તક

દેશના મોટાભાગના લોકો છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ટેક્સ બચાવવા માટે પગલાં ભરે છે. મોટાભાગના લોકો માર્ચના અંતિમ સપ્તાહમાં ટેક્સ બચાવે છે. જો તમારી સંસ્થામાં પણ રોકાણનો પુરાવો સબમિટ કરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી સુધી હતી તો હવે કયો વિકલ્પ બચ્યો છે? તમારા મનમાં એક પ્રશ્ન પણ હશે કે જ્યારે ટેક્સ બચાવવા માટે રોકાણની છેલ્લી તારીખ 31 માર્ચ છે તો પછી કંપનીઓ અત્યાર સુધીની વિગતો અગાઉથી કેમ એકત્રિત કરે છે?

નોંધનીય છે કે આવકવેરાના નિયમો અનુસાર, જો તમે તમારી સંસ્થામાં જ્યાં તમે કામ કરો છો ત્યાં નાણાકીય વર્ષ 2023-24 માટે રોકાણના પુરાવો સબમિટ કર્યા છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે 31મી માર્ચ સુધી રોકાણ કરીને ટેક્સમાં છૂટ મેળવી શકો છો. આ માટે ખૂબ જ સરળ પદ્ધતિઓ છે.

ITRમાં 31 માર્ચ સુધીના રોકાણનો ઉલ્લેખ કરો

નિયમો અનુસાર, જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરામાં છૂટ મેળવવા માંગતા હોવ તો તમે કોઈપણ ચિંતા વિના 31 માર્ચ સુધી રોકાણ કરીને લાભ મેળવી શકો છો. જો તમે જ્યાં કામ કરો છો ત્યાં આવકવેરા સંબંધિત રોકાણના પુરાવો અને HRA દસ્તાવેજો સબમિટ કર્યા હોય તો પણ તમે 31મી માર્ચ સુધી રોકાણ કરીને અને 31મી જૂલાઈ પહેલા ITR ફાઇલ કરીને સંપૂર્ણ મુક્તિ મેળવી શકો છો. જેમાં તમે HRA સહિત તમામ રોકાણ દસ્તાવેજો સબમિટ કરી શકો છો, જે આવકવેરાના નિયમો હેઠળ માન્ય છે.

એટલે કે ટેન્શન ફ્રી હોવાને કારણે તમે 31મી માર્ચ સુધીમાં જીવન વીમો, PPF, NPS અને તબીબી વીમો ખરીદી શકો છો અને આ દસ્તાવેજના આધારે 31મી જૂલાઈ સુધીમાં ITR ફાઇલ કરી શકો છો અને તેનો દાવો કરી શકો છો. આટલું જ નહીં, જો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ટેક્સના કારણે તમારો પગાર કાપવામાં આવે છે તો તમે ક્લેમ કરતાની સાથે જ તે રકમ પણ પરત મળી જશે. તેથી આ માટેની અંતિમ તારીખ 31 માર્ચને ધ્યાનમાં લો.

ટેક્સ ના પૈસા કેવી રીતે બચાવવા?

આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રોકાણ કરીને તમે તમારી કરપાત્ર આવકમાંથી 1,50,000 રૂપિયા સુધીની રકમ કાપી શકો છો. તેમાં જીવન વીમા પૉલિસી માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ, બાળકોની શાળાની ટ્યુશન ફી, PPF, KVP, સુકન્યા સમૃદ્ધિ યોજના, NSC હોમ લોન હેઠળ ચૂકવવામાં આવેલી મુખ્ય રકમ જેવી રકમનો સમાવેશ થાય છે.

NPSમાં રોકાણ કરવાથી 50 હજાર રૂપિયાનો વધારાનો ફાયદો

આ સિવાય તમે NPSમાં રોકાણ કરીને 50 હજાર રૂપિયાનો વધારાનો લાભ મેળવી શકો છો. તમે તબીબી વીમો ખરીદીને પણ ટેક્સમાં છૂટ મેળવી શકો છો. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણ પર પણ ટેક્સમાં છૂટ ઉપલબ્ધ છે. તમે કલમ 80CCD (1B) હેઠળ વાર્ષિક 1.5 લાખ અને વધારાના 50 હજાર રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો. એનપીએસમાં રોકાણ કરીને તમે આવકવેરામાં  2 લાખ રૂપિયાની છૂટ મેળવી શકો છો.

શું કપાઇ ગયો છે ઇન્કમ ટેક્સ?

તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરીને પણ ટેક્સમાં છૂટ મુક્તિ મેળવી શકો છો. આ માટે તમારે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS)માં રોકાણ કરવું પડશે, જે એક પ્રકારનું ઇક્વિટી ફંડ છે. આમાં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે. ELSSમાં વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીના વળતર/નફા પર કોઈ ટેક્સ નથી. ELSS પાસે 3 વર્ષનો સૌથી ટૂંકો લોક-ઇન સમયગાળો છે જે તમામ કર બચત રોકાણ વિકલ્પોમાં શ્રેષ્ઠ છે. આ સિવાય તમે ટેક્સ સેવિંગ એફડી અને યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (યુલિપ) ખરીદીને પણ ટેક્સ બચાવી શકો છો.

હેલ્થ ઇન્શ્યોરન્સ

આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ તમે તમારા, તમારા જીવનસાથી અને બાળકો માટે સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમની ચૂકવણી માટે 25,000 સુધીની કપાતનો દાવો કરી શકો છો. જો તમે તમારા માતાપિતા માટે સ્વાસ્થ્ય વીમો ખરીદો છો તો તમે 50,000 રૂપિયાની વધારાની રકમ બચાવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget