શોધખોળ કરો

Inflation : મોંઘવારીમાંથી મળેલી રાહત લાંબી નહીં ટકે, થઈ શકે છે મોટો ખેલ!

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, હાલની સ્થિતિ ખૂબ જ ગતિશીલ છે અને મોંઘવારી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. આ સ્થિતિમાં આપણે સતર્ક રહેવાની જરૂર છે. આત્મસંતોષનું કોઈ કારણ નથી.

War Against Inflation: દેશમાં મોંઘવરી મોટો મુદ્દો છે. જોકે એપ્રિલ મહિનામાં છૂટક મોંઘવારી દર 4.70 ટકાના 18 મહિનાના નીચલા સ્તરે આવતા આંશિક રાહત જરૂર મળી હતી. છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ફરીથી ફુગાવાને લઈને ચેતવણી આપી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે, ફુગાવા સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી અને કેન્દ્રીય બેંક અલ નીનો પરિબળ પર નજર રાખી રહી છે કારણ કે તેની અસર ફુગાવા પર પડી શકે છે.

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, હાલની સ્થિતિ ખૂબ જ ગતિશીલ છે અને મોંઘવારી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. આ સ્થિતિમાં આપણે સતર્ક રહેવાની જરૂર છે. આત્મસંતોષનું કોઈ કારણ નથી. આપણે એ જોવાનું છે કે, અલ નીનો પરિબળ જેની આશંકા છે તે તેની અસર કેવી રીતે દર્શાવે છે.

હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય વરસાદની આગાહી કરી છે. પરંતુ ઘણા સંશોધન અહેવાલો માને છે કે, આ વર્ષે અલ નીનોની અસરને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે અનાજનું ઉત્પાદન ઘટી શકે છે. અમેરિકા સાથે સંકળાયેલી સંસ્થા MOAA (નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન)એ જૂન અને ડિસેમ્બર 2023 વચ્ચે અલ નીનોના આગમનની આગાહી કરી છે. તેનાથી ભારતમાં ચોમાસાને અસર થઈ શકે છે.

જાન્યુઆરી મહિના માટે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માસિક આર્થિક સમીક્ષામાં હવામાન સંબંધિત એજન્સીઓના અનુમાનને ટાંકીને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભારતમાં અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી શકે છે. જો આ આગાહી સાચી ઠરશે તો વરસાદમાં ઘટાડો થઈ શકે છે. આના કારણે કૃષિ ઉત્પાદન ઓછું રહી શકે છે, જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધી શકે છે.

અલ નીનો એ પ્રશાંત મહાસાગરના દરિયાઈ સપાટીના તાપમાનમાં સમયાંતરે થતા ફેરફારોનો ઉલ્લેખ કરે છે, જેની અસર હવામાન પર જોવા મળે છે. અલ નિનોના કારણે તાપમાન વધુ ગરમ છે. અલ નીનોના કારણે ઠંડીની ઋતુમાં પણ ગરમી હોય છે જ્યારે ઉનાળાની ઋતુમાં તાપમાન વધે છે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. તેની અસરથી વરસાદ પડતા વિસ્તારોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ઓછા વરસાદવાળા સ્થળોએ વધુ વરસાદ પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
Embed widget