શોધખોળ કરો

પાણી-આઇસક્રીમના કપને પ્લાસ્ટિકની ડિશો-ચમચીઓ, ચોકલેટના રેપર બજારમાં જોવા નહીં મળે! જાણો ક્યા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકશે

સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં 70 હજાર લોકોની રોજગારીને અસર થઈ શકે છે.

કેન્દ્ર સરકારે આગામી વર્ષ સુધીમાં ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. દેશભરમાં મોટા પાયે પ્લાસ્ટિક કચરાના સંકટ સામે લડવાની માંગ વચ્ચે કેન્દ્રએ 'સિંગલ-યુઝ પ્લાસ્ટિક આઇટમ્સ'ના ઉપયોગ પર આવતા વર્ષે 1 જુલાઈથી પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય સરકારે પોલીથીન બેગની જાડાઈ 50 માઈક્રોનથી વધારીને 120 માઈક્રોન કરી છે. જોકે, જાડાઈ નિયમન 30 સપ્ટેમ્બરથી બે તબક્કામાં અમલમાં આવશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયની ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર પણ અસર થશે. રાજ્યમાં અંદાજે 3500 નાના ઉત્પાદકો છે જેમને આ નિર્ણયને કારણે પોતાના યુનિટને અપગ્રેડ કરવા પડશે. જેના માટે દરેકે 5 લાખ જેટલો ખર્ચ કરવો પડશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં 70 હજાર લોકોની રોજગારીને અસર થઈ શકે છે.

ગુજરાતમાં પ્લાસ્ટિકના કેટલા યુનિટ

ગુજરાતમાં હાલમાં એક અંદાજ મુજબ 10થી 12 હજાર આસપાસ પ્લાસ્ટિક યુનિટ છે. જેમાંથી 3500 યુનિટ એવા છે જે 75 માઈક્રોનવાળી પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં કેરી બેગ, થર્મોકોલ, ચાના કપ સહિતની વસ્તુઓ સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધની અસર આ જ યુનિટોને સૌથી વધારે થવાની છે.

નાના યુનિટેને મુશ્કેલી થશે

સરકારના પ્રતિબંધની સૌથી વધુ અસર આ નાના યુનિટને જ થવાની છે. કારણ કે હવે તેમણે પોતાની મશીનરીને અપગ્રેડ કરવી પડશે. 50માંથી 75 માઈક્રોન સુધી અપગ્રેડ કરવામાં વધારે ખર્ચ નથી પરંતુ 120 માઈક્રો સુધી અપગ્રે કરવામાં લાખોનો ખર્ચ પહોંચી શકે છે. જેના કારણે નાના ઉત્પાદકો પર ખર્ચનો ભાર વધશે. કોરોનાના પ્રકોપને કારણે પહેલાથી જ નુકસાનનો સામનો કરી રહેલ આ નાના યુનિટો માટે હવે નવા નિયમને કારણે મુશ્કેલી વધવાની છે. બીજી બાજુ બેંકમાંથી લોન પણ મળતી નથી. વેપારીઓનું કહેવું છે કે, સરકારે 1 કરોડ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવાની વાત કહી હતી પરંતુ કોઈ બેંક લોન આપતી નથી.

પ્લાસ્ટિકથી બનતી પ્રોડ્ક્ટના ભાવ વધશે
સરકારના નવા નિયમને કારણે સામાન્ય વ્યક્તિને પણ નુકસાન થવાનું છે. કારણ કે યુનિટ અપગ્રેડ કરવાને કારણે ઉત્પાદકોને ખર્ચ વધશે જેના કારણે પ્લાસ્ટિકની પ્રોડક્ટના ભાવમાં પણ વધારો થશે. જેની અસર સામાન્ય વ્યક્તિના ગજવા પર પણ જોવા મળશે.

ગુજરાતમાં પ્લાસ્ટિકની વસ્તુનું પ્રોડક્શન

પ્લાસ્ટિકની થેલી, ચોકલેટના રેપર, મસાલાની થેલીઓ જેવી વસ્તુઓ 75 માઈક્રોનથી બને છે. ત્યારે હવે 75થી ઓછી માઈક્રોનવાળી પ્રોડક્ટ પર પ્રતિબંધને કારણે નાના યુનિત પર તેની અસર પડશે અને પ્લાસ્ટિકથી બનતી પ્રોડક્ટ મોંઘી થશે. ગુજરાતમાં વડોદરા, હાલોલ, કાલોલ તેમજ ધોરાજીમાં પાતળા માઇક્રોનવાળા પ્લાસ્ટિકનું પ્રોડક્શન થાય છે.

75થી 120 સુધીના માઇક્રોનથી બનતી પ્રોડક્ટ

75થી 120 માઇક્રોનથી અનેક પ્રોડક્ટ બને છે, જેમાં કેરી બેગ, ચાના કપ, કાન સાફ કરવા માટે પ્લાસ્ટિક સ્ટિક, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટિક, આઇસક્રીમ સ્ટિક, પ્લેટ્સ, કપ, ચશ્માં, પ્લાસ્ટિકની કાંટા ચમચી, છરીઓ, સ્ટ્રો, ટ્રે, રેપિંગ, મીઠાઈ બોક્સ, ઈન્વિટેશન કાર્ડ્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, 30 સપ્ટેમ્બર, 2021થી પ્લાસ્ટિકની કેરી બેગ 60 ગ્રામ પ્રતિ ચોરસમીટરથી ઓછી ન હોવી જોઈએ, સાથે જ 2022ના ડિસેમ્બર મહિનાથી 120 માઈક્રોનથી બનતા પ્લાસ્ટિક પર પણ સરકારે પ્રતિબંધ મુક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget