શોધખોળ કરો

PIB Fact Check: શું ભારત સરકાર દર મહિને રૂ. 3,500 બેરોજગારી ભથ્થું આપે છે? જાણો આ વાયરલ મેસેજનું સત્ય

કોરોના મહામારી બાદ દેશમાં બેરોજગારીનો દર ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, બેરોજગાર યુવાનોને મદદ કરવા માટે, સરકાર દર મહિને 3,500 રૂપિયાનું બેરોજગાર ભથ્થું આપશે.

PIB Fact Check: ભારતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. આજકાલ સરકાર પણ ડિજીટલાઇઝેશનને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ, ડિજીટલાઇઝેશનની સાથે સાથે સાયબર ગુનાઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા માટે સરકાર સમયાંતરે ચેતવણી આપતી રહે છે. આ સાથે PIB ફેક્ટ ચેક (PIB Fact Check) દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની સત્યતા જણાવતી રહે છે.

આજકાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવા જઈ રહી છે. કોરોના મહામારી બાદ દેશમાં બેરોજગારીનો દર ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, બેરોજગાર યુવાનોને મદદ કરવા માટે, સરકાર દર મહિને 3,500 રૂપિયાનું બેરોજગાર ભથ્થું આપશે. જો તમને પણ આ મેસેજ મળી રહ્યો છે તો અમે તમને આ વાયરલ મેસેજની સત્યતા જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ આ વિશે-

પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી

તમને જણાવી દઈએ કે PIB ઘણા વાયરલ મેસેજની ફેક્ટ ચેક કરે છે. તેના દ્વારા ખબર પડે છે કે આ મેસેજ સાચો છે કે નકલી. પીઆઈબીએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા બેરોજગારી ભથ્થાના વાયરલ મેસેજની હકીકત પણ તપાસી છે. PIBએ જણાવ્યું છે કે એક વાયરલ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના હેઠળ બેરોજગાર યુવાનોને દર મહિને ₹3500 નું ભથ્થું આપી રહી છે. આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ ન કરો.

આવા ફેક મેસેજથી સાવધાન રહો

પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી છે અને જણાવ્યું છે કે આ વાયરલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકાર પીએમ બેરોજગારી ભથ્થા યોજનાના નામે કોઈપણ પ્રકારનું બેરોજગારી ભથ્થું વહેંચી રહી નથી. આ વાયરલ મેસેજ પર મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તેના પર ક્લિક કરીને બધી માહિતી ભર્યા પછી, તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. તમે સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget