વડોદરામાં રિંગરોડ નિર્માણ માટે CM ભૂપેન્દ્ર પટેલે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે.
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે. વડોદરા મહાનગર અને તેના આસપાસના ઐદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ વ્યાપને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજીત વિકાસ માટે વુડાએ રિંગરોડ બનાવવાની જરૂરીયાત દર્શાવતું પ્રેઝન્ટેશન અને દરખાસ્ત GUDM માં કરી હતી. વુડાને રિંગરોડ નિર્માણ માટે આ ૩૧૬.૭૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ દરખાસ્ત રજૂ થતાં તેમણે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાને રિંગરોડ નિર્માણ માટે આ ૩૧૬.૭૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા મહાનગરમાં સમગ્રતયા 66 કિ.મી. લાંબા અને 75 મીટર પહોળાઈ ધરાવતા રિંગરોડના નિર્માણ માટે ₹316.78 કરોડની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવણી કરી છે.
— CMO Gujarat (@CMOGuj) August 17, 2024
આ રિંગરોડના નિર્માણથી વડોદરા શહેર અને તેની આસપાસના ઔદ્યોગિક…
વડોદરા મહાનગરમાં આ રિંગરોડ ૬૬ કિ.મી. લાંબો અને ૭૫ મીટર પહોળાઈ સાથે નિર્માણ થવાનો છે. તેના પ્રથમ તબક્કામાં ૪૫ મીટર પહોળાઈ સાથેના ૨૭.૫૮ કિ.મી. લંબાઈના રિંગરોડ માટે મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે.
આ ૨૭.૫૮ કિ.મી.ના રિંગરોડના પ્રથમ તબક્કા માટે નાણાં ફાળવણી થતાં હવે નિર્માણ કાર્ય વેગવંતુ બનશે. આના પરિણામે પૂર્વ વિસ્તારમાં ૧૦.૭૦ કિ.મી. અને પશ્ચિમ વિસ્તારમાં ૧૬.૮૪ કિ.મી. નું કામ હાથ ધરાશે.
વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ₹ 316.78 કરોડની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 17, 2024
પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળાઈ સાથેના 27.58 કિ.મી. લંબાઈના રિંગરોડ માટે આ રકમ ફાળવવામાં આવશે.
આ રોડ થકી સ્ટેચ્યુ ઓફ યુનિટી - એક્તાનગર તરફ જતા રસ્તા પરનું…
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-૮ પર ટ્રાફિક હળવો થશે
એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ-એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-૮ પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે.
પશ્ચિમ વિસ્તારમાં જે ૧૬.૮૪ કિ.મી.ના રિંગરોડનું નિર્માણ થશે તેના કારણે ટ્રાફિક ભારણ ઘટવા સાથે રિંગરોડ ફરતે અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે.
Gandhinagar: રાજ્યના 857 કરોડ રુપિયાના ખર્ચે થશે નાના યાત્રાધામોનો વિકાસ, જુઓ સમગ્ર યાદી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
