શોધખોળ કરો

Uttarakhand Road Accident: ગુજરાતી યાત્રાળુઓની બસને ઉત્તરાખંડમાં નડ્યો અકસ્માત, 7 લોકોના મોત, CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું

Uttarakhand News: ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. ગંગોત્રી તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે.

Uttarakhand News: ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. ગંગોત્રી તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 32-33 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 27 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યં છે કે, આ તમામ યાત્રીઓ ગુજરાતી છે. ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે.  હાલ ડીએમ, એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તરકાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. સાથે જ બચાવ કાર્ય પણ ચાલુ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કહ્યું

 

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

 

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા સોશિયલ સાઈટ 'એક્સ' પર પોસ્ટ કરીને લખ્યું, "ગંગનાનીમાં ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહેલી બસના અકસ્માતને કારણે કેટલાક લોકોની જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. પ્રશાસનને તાત્કાલિક રાહત અને બચાવકાર્ય હાથ ધરવા સાથે, ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવાન મૃત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બધા ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

 

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ પણ દેહરાદૂનથી ઉત્તરકાશી જઈ રહેલી પરિવહન નિગમની બસને મૌરીમાના પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હતા. બસ મૌરિયાણા પાસે રોડ પરથી ઉતરી અને ઝાડ પર ફસાઈ ગઈ, જેમાં 20 લોકો ઘાયલ થયાના અહેવાલ હતા. ઉત્તરાખંડ પરિવહન નિગમની સર્વિસ બસ સવારે 5.30 વાગ્યે દેહરાદૂનથી ઉત્તરકાશી જવા રવાના થઈ હતી. આ બસ મુસાફરોથી ભરેલી હતી, જે સમયે આ અકસ્માત થયો તે સમયે બસમાં 20 લોકો હતા. બસે અચાનક કાબુ ગુમાવી દેતાં રોડ પરથી ફંગોળાઈને ઝાડ પર ફસાઈ ગઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

 

બસ પર પથ્થર પડતાં એક મહિલાનું મોત થયું હતું

આ પહેલા 9 ઓગસ્ટના રોજ યમુનોત્રી રોડના ડાબરકોટ ડેન્જર ઝોનમાં મોટો અકસ્માત થયો હતો. પહાડી પરથી સતત પડી રહેલા પથ્થરના કારણે મહિલા મુસાફરનું મોત થયું હતું, જ્યારે એક યુવક ઘાયલ થયો હતો. હૈદરાબાદની રહેવાસી પાયલ (30) યમુનોત્રીના દર્શન કરીને પરત ફરી રહેલી બસ પર પથ્થર પડતા તેનું મોત થયું હતું, જેમાં 17 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. તો બીજી તરફ, મુંબઈનો એક યુવક ક્રિષ્ના ઘાયલ થયો હતો, જેને દહેરાદૂન રિફર કરવામાં આવ્યો હતો. અન્ય મુસાફરને કોઈ ઈજા થઈ ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
'સૌથી સુંદર જગ્યાઓમાંની એક...', CM ઓમર અબ્દુલ્લાએ શેર કરી સાબરમતી રિવરફ્રન્ટની તસવીર, PM મોદીએ કર્યું રિએક્ટ
'સૌથી સુંદર જગ્યાઓમાંની એક...', CM ઓમર અબ્દુલ્લાએ શેર કરી સાબરમતી રિવરફ્રન્ટની તસવીર, PM મોદીએ કર્યું રિએક્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : લાંચનું પ્રદૂષણ ક્યારે નિયંત્રણમાં?
Hun To Bolish: હું તો બોલીશ : ખાતરના ભાવ અને સ્ટોકનું સત્ય શું?
Hun To Bolish: હું તો બોલીશ : મધ્યાહન ભોજનના ઉંદર કોણ?
Botad Mobile Blast : ખિસ્સામાં મોબાઇલ રાખતા હોય તો સાવધાન! | બોટાદમાં મોબાઇલ બ્લાસ્ટ થતાં યુવક ઘાયલ
Ambalal Patel Prediction: ઓગસ્ટ મહિનામાં વરસાદ બોલાવશે ભૂક્કા, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
ટ્રમ્પે 10 થી 41 ટકા સુધીના પારસ્પરિક ટેરિફના આદેશ પર કર્યા હસ્તાક્ષર, ભારત સહિત 70થી વધુ દેશોને અસર
LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
LPG: કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સિલિન્ડરનો નવો ભાવ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
'સૌથી સુંદર જગ્યાઓમાંની એક...', CM ઓમર અબ્દુલ્લાએ શેર કરી સાબરમતી રિવરફ્રન્ટની તસવીર, PM મોદીએ કર્યું રિએક્ટ
'સૌથી સુંદર જગ્યાઓમાંની એક...', CM ઓમર અબ્દુલ્લાએ શેર કરી સાબરમતી રિવરફ્રન્ટની તસવીર, PM મોદીએ કર્યું રિએક્ટ
New Rules: UPIથી લઈને LPG ગેસની કિંમતો સુધી, જાણો આજથી શું શું બદલાયું? જાણો તમામ સવાલના જવાબ
New Rules: UPIથી લઈને LPG ગેસની કિંમતો સુધી, જાણો આજથી શું શું બદલાયું? જાણો તમામ સવાલના જવાબ
Oval Test Weather: ઓવલથી ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, અંતિમ ટેસ્ટમાં કેવી રીતે મળશે જીત?
Oval Test Weather: ઓવલથી ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, અંતિમ ટેસ્ટમાં કેવી રીતે મળશે જીત?
India-US Trade: ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે, સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનો દાવો
India-US Trade: ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે, સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનો દાવો
Monsoon 2025: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે, IMDની ભવિષ્યવાણી 
Monsoon 2025: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે, IMDની ભવિષ્યવાણી 
Embed widget