શોધખોળ કરો

Vadodara: ગુજરાતની અનેક હોસ્પિટલોમાં અચાનક આયુષ્યમાન કાર્ડ બંધ કરવામાં આવતા ખળભળાટ, ચોંકાવનારો છે મામલો

વડોદરાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રીની આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાઈ છે. રાજ્યભરની અનેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડને સેવાઓ બંધ થતા અનેક સવાલો ઉઠ્યા છે.

વડોદરા: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સુવિધા મળી રહેવા તે હેતુથી  પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અપાયા છે. જોકે રાજ્યભરની હોસ્પિટલોમાં લોકોને સુવિધાઓ અપાયા બાદ હોસ્પિટલોને 300 કરોડથી વધુ નાણાં ઈન્સ્યુરન્સ કંપનીઓએ ન ચુકાવતા વડોદરાની 20 સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલોમા આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી વહેલી તકે નાણાં ચૂકવવા રજુઆત કરાઈ છે. બાકી નાણાં ચૂકવાયા બાદ જ હોસ્પિટલોમાં ફરીથી આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ કાર્યરત કરાશે.

વડોદરાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાઈ

આ અંગે વિગતે વાત કરીએ તો, વડોદરાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાઈ છે. રાજ્યભરની અનેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડને સેવાઓ બંધ થતા અનેક સવાલો ઉઠ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ 300 કરોડથી વધુ નાણાં ન ચુકાવતા હોસ્પિટલોએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં વડોદરાની 300 હોસ્પિટલો સામેલ હતી. 

વડોદરા આઈ.એમ.એ પ્રેસિડેન્ટ મિતેષ શાહે નિવેદન આપતા કહ્યું કે, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની સ્કીમ હતી. આયુષ્યમાન 5, 6 અને 7 જેમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે ગવર્નમેન્ટનું ટાયઅપ થયેલું હતું. ગુજરાત આઈ.એમ.એ તરફથી સ્ટેપ લેવાયું હતું. દરેક હોસ્પિટલોને ગૂગલ ફોર્મ મોકલવામાં આવેલું જેમાં કેટલા નાણાં બાકી છે જેમાં 300 કરોડથી વધુ નાણાં બાકી હોવાનો ખુલાસો થયો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળી રજુઆત કરવામાં આવી

સર્જરી લેવામાં આવતી હોય તેની કિંમત વધુ છે જો નાણાં ન મળે તો હોસ્પિટલ બંધ કરવી પડે તે સ્થિતિ સામે આવી હતી. છેલ્લા અઠવાડિયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળી રજુઆત કરવામાં આવી છે. આયુષ્યમાન 5, 6 અને 7 ના પૈસા રિલીઝ કરવાની માંગ કરાઈ હતી. અત્યારે આયુષ્યમાન 8 ચાલે છે જેમાં બજાજ અલાયન્સનો ઈનસ્યુરન્સ ચાલે છે જેમાં કોઈ તકલીફ નથી. સરકાર પાછલા નાણાં અપાવશે તો અમે ફરીથી આયુષ્યમાન કાર્ડ ચાલુ કરાવી શકીશું.

રાજ્યમાં બાળકોના કુપોષણ અંગેના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં 5 લાખ 70 હાજર 245 બાળકો કુપોષિત છે. રાજ્યમાં 1 લાખ 31 હજાર 419 બાળકો અતિકૂપોસિત છે.  આ આંકડા સામે આવતા જ વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે. આ અંગે કોંગ્રેસ વિધાનસભા પક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. ડબલ એન્જીન સરકારમાં સરકારના લોકો અને મળતીયા પોષિત બન્યા અને બાળકો કુપોષિત થયા. બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ૧૦૭૧૫ કરોડની જોગવાઇ કરાઇ છે. પરિમાણો દુખદ અને ખુબ ગંભીર સામે આવ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ૧ લાખ ૧૮ હજાર ૪૧ બાળકો કુપોષીત હતા. ચાર વર્ષ બાદ વધીને તે સંખ્યા વધીને ૩૦ જિલ્લામાં ૧૨૫૯૦૦ થઇ છે. એક જ વર્ષમાં બાળકોની સંખ્યા ૧૨૫૯૦૦ થી ચાર ગણી વધી પાંચ લાખને પાર થઇ છે. બે વર્ષમાં દસ હજાર કરોડનું બજેટ છતાં કુપોષીત બાળકોની સંખ્યા ચાર ગણી વધી છે. આ ઉપરાંત અનેક બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
શું Apple Watch bandથી થઇ રહ્યું છે કેન્સર? ટેક કંપનીએ આપી આ સ્પષ્ટતા
શું Apple Watch bandથી થઇ રહ્યું છે કેન્સર? ટેક કંપનીએ આપી આ સ્પષ્ટતા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
Embed widget