શોધખોળ કરો

આ 15 ઓગસ્ટ પર ભારતના આ 3 ધૂરંધરો ક્રિકેટને કહી શકે છે અલવિદા, ધોનીની જેમ સંન્યાસને બનાવશે યાદગાર ?

3 Indian Players Might Retire On 15 August 2024: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી

3 Indian Players Might Retire On 15 August 2024: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીની સાથે સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ 'મેં પલ દો પલ કા શાયર હૂં...' ગીત સાથેનો એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. માહીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ખુબ જ યાદગાર રહી. હવે આ વખતે એટલે કે 15મી ઓગસ્ટ 2024ના રોજ આ ત્રણ ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.

1- ચેતેશ્વર પુજારા - 
ભારતીય ક્રિકેટ ટીમ માટે 100 થી વધુ ટેસ્ટ મેચ રમનારો ચેતેશ્વર પૂજારા છેલ્લા કેટલાક સમયથી ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. 36 વર્ષીય પૂજારાએ જૂન 2023માં ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. હવે ભારતીય ટેસ્ટ ટીમમાં વધુને વધુ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. વળી, પૂજારા માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં પુજારા ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. 15 ઓગસ્ટ નિવૃત્તિની જાહેરાત કરવા માટે સારો દિવસ હોઈ શકે છે.

2- અજિંક્યે રહાણે - 
અજિંક્યે રહાણે ભારત માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે માત્ર ટેસ્ટ ટીમમાં જ જોવા મળતો હતો. જો કે, રહાણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ જુલાઈ 2023માં રમી હતી, જે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ હતી. 36 વર્ષીય રહાણે પણ ભારતીય ટેસ્ટ ટીમના સેટઅપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં રહાણે પણ ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે અને રહાણેની નિવૃત્તિનો દિવસ પણ આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટ હોઈ શકે છે.

3- ભુવનેશ્વર કુમાર - 
ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે નવેમ્બર 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમી હતી. હાલમાં ટીમમાં ઘણા યુવા ફાસ્ટ બૉલરોને તક આપવામાં આવી રહી છે, જેને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે ભુવનેશ્વર માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમાર પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો

Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો

News: ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ વિરૂદ્ધ ACBમાં અરજી, કોણે કરી ને શું છે મામલો, જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Embed widget