શોધખોળ કરો

IND v BAN: ભારતે 347/9 પર ઈનિંગ કરી ડિકલેર, 241 રનની લીડ, કોહલીની ઐતિહાસિક સદી

કોહલીએ ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. ઉપરાંત તે ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

કોલકાતાઃ ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગ 347/9 પર દાવ ડિકલેર કર્યો હતો. સાહા 17 અને શમી 10 રને નોટ આઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 136 રન બનાવ્યા હતા. સદી ફટકારવાની સાથે જ કોહલી ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 55 અને અજિંક્ય રહાણે 51 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી અલ અમીન હોસન અને ઇબાદત હોસને 3-3 તથા અબુ જાયેદે 2  વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તેની પ્રથમ ઈનિંગમાં 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હોવાથી ભારતને પ્રથમ ઈનિંગમાં 241 રનની લીડ મળી હતી. ભારતે 58 રનમાં ગુમાવી 5 વિકેટ, લંચ પછી થયો ધબડકો એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 289 રન હતો. જે બાદ ટીમે 347/9ના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી. લંચ બ્રેક બાદ ટીમ ઈન્ડિયાનો ધબડકો શરૂ થયો હતો. લંચ પછીની પ્રથમ જ ઓવરમાં જાડેજા આઉટ થયો હતો અને બાદ કોઇપણ બેટ્સમેન ટકી શક્યો નહોતો. આ પહેલા બીજા દિવસની રમતમાં લંચ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા હતા. કોહલી 130 અને જાડેજા 12 રને રમતમાં હતા. કોહલીએ ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. ઉપરાંત તે ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. રહાણે 69 બોલમાં 51 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ અને રહાણેએ ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. પુજારાએ 55 રન બનાવ્યા હતા અને તે ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં અડધી સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. રોહિત શર્મા 21 અને મયંક અગ્રવાલ 14 રને આઉટ થયા હતા. આ પહેલા બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 106 રનમાં જ સમેટાઇ હતી. ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો મહેમાન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તેમના માટે ઓપનર એસ ઇસ્લામે સર્વાધિક 29 રન કર્યા હતા. ભારત માટે ઇશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. ઇશાંતે ઘરઆંગણે 12 વર્ષ પછી પાંચ વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget