શોધખોળ કરો

Amreli: સાવરકુંડલા પંથકમાં કેરીની ખેતી કરતાં ખેડૂતોની માઠી બેઠી, એક જ વૃક્ષના અડધા ભાગમાં ફાલ તો અડધો ભાગ ખાલીખમ

સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચાઓમાં જાન્યુઆરી માસમાં ફાલ આવી જતા હોય છે. ફાલ આવ્યા બાદ જ કેરીઓ નાની નાની ખાખટી સ્વરૂપે આવે છે.

Agriculture News:  જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચા કરીને ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોય તેમ લાગી રહ્યું છે. પરિણામે આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબાના વૃક્ષોની ખેતી કરીને વાર્ષિક કમાણી કરતા ખેડૂતોની શું છે સ્થિતિ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં..

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આંબાની ખેતી કરતા ખેડૂતોના વૃક્ષો ની સ્થિતિ આંબાના વૃક્ષો પર ફાલ આવી રહ્યો હોય તેવું વૃક્ષો પરથી જણાઈ રહ્યું છે પણ એક જ આંબાના વૃક્ષ પરથી એક સાઈડમાં ફાલ આવી ગયો છે તો એ જ વૃક્ષમાં અડધા ભાગમાં આંબાના વૃક્ષો ફાલ વિનાના અડીખમ ઊભા છે. અમરેલી જિલ્લામાં આઠ હજાર હેક્ટરમાં આંબાના વૃક્ષોના બગીચાઓ આવેલા છે, સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચાઓમાં જાન્યુઆરી માસમાં ફાલ આવી જતા હોય છે. ફાલ આવ્યા બાદ જ કેરીઓ નાની નાની ખાખટી સ્વરૂપે આવે છે.


Amreli: સાવરકુંડલા પંથકમાં કેરીની ખેતી કરતાં ખેડૂતોની માઠી બેઠી, એક જ વૃક્ષના અડધા ભાગમાં ફાલ તો અડધો ભાગ ખાલીખમ

જાન્યુઆરી માસમાં આંબાઓ પર ફાલ મોર આવી જતા હોય છે અને માર્ચના શરૂઆતમાં આંબાઓ પર કેરીઓ આવી જતી હોય છે ત્યારે હાલ કેરીનો પાક પકવતા, આંબાવાડી બનાવતા સાવરકુંડલા પંથકના ખેડૂતો હેરાન પરેશાન થયા હોય તેમ લાગે છે. તાઉતે વાવાઝોડા વીત્યાનાં બીજા વર્ષમાં કેસર કેરીના શોખીનો આ વખતે કેસર કેરીનો સ્વાદ અધૂરો રહેવાની અટકળો પણ આંબાના વૃક્ષો પરથી જોવા મળી રહી છે. વાર્ષિક કમાણી આંબાની ખેતી પર હોય અને કેરી પકવીને આખા વર્ષની કમાણી કરતા ખેડૂતોને ગયા વર્ષે તાઉતે વાવાઝોડાની અસરથી મોટાભાગના આંબાના વૃક્ષોનો સોથ બોલી ગયો હતો પરંતુ જે બચી ગયેલા આંબાઓ છે તેને ઉભા કરીને આ વર્ષે સરભર કરવાની ગણતરી ખેડૂતોની ઉલટી પડે તેવા સમીકરણો આ જાન્યુઆરી માસમાં જોવા મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.

 આંબા પર વાર્ષિક કમાણી કરીને 10 થી 12 લાખ રૂપિયાનો બગીચો આપતા ખેડૂતોના આંબાની કેરીનો ઇજારો રાખવા વાળા પણ હાલ મળી રહ્યા નથી.  કારણ એ છે કે આંબા પર જે ફાલ આવવો જોઈએ તે સાવરકુંડલા પંથકમાં આંબાના વૃક્ષમાં અડધા ભાગમાં જ ફાલ આવ્યો છે જ્યારે અડધો ભાગ ખાલી ખમ પડ્યો છે. ખેડૂતો આંબાના બગીચાની ખેતી છોડવાનું વિચારી રહ્યા છે ત્યારે અમરેલી બાગાયત વિભાગ દ્વારા સાવરકુંડલા પંથકમાં જ અમુક જગ્યાએ આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું કહે છે પરંતુ ધારી,રાજુલા, ખાંભા વિસ્તારમાં આવરણ કેરીના પાકમાં સારું આવશે તેવું બાગાયત અધિકારી જણાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
Embed widget