શોધખોળ કરો

Amreli: સાવરકુંડલા પંથકમાં કેરીની ખેતી કરતાં ખેડૂતોની માઠી બેઠી, એક જ વૃક્ષના અડધા ભાગમાં ફાલ તો અડધો ભાગ ખાલીખમ

સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચાઓમાં જાન્યુઆરી માસમાં ફાલ આવી જતા હોય છે. ફાલ આવ્યા બાદ જ કેરીઓ નાની નાની ખાખટી સ્વરૂપે આવે છે.

Agriculture News:  જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચા કરીને ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોય તેમ લાગી રહ્યું છે. પરિણામે આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબાના વૃક્ષોની ખેતી કરીને વાર્ષિક કમાણી કરતા ખેડૂતોની શું છે સ્થિતિ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં..

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આંબાની ખેતી કરતા ખેડૂતોના વૃક્ષો ની સ્થિતિ આંબાના વૃક્ષો પર ફાલ આવી રહ્યો હોય તેવું વૃક્ષો પરથી જણાઈ રહ્યું છે પણ એક જ આંબાના વૃક્ષ પરથી એક સાઈડમાં ફાલ આવી ગયો છે તો એ જ વૃક્ષમાં અડધા ભાગમાં આંબાના વૃક્ષો ફાલ વિનાના અડીખમ ઊભા છે. અમરેલી જિલ્લામાં આઠ હજાર હેક્ટરમાં આંબાના વૃક્ષોના બગીચાઓ આવેલા છે, સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચાઓમાં જાન્યુઆરી માસમાં ફાલ આવી જતા હોય છે. ફાલ આવ્યા બાદ જ કેરીઓ નાની નાની ખાખટી સ્વરૂપે આવે છે.


Amreli: સાવરકુંડલા પંથકમાં કેરીની ખેતી કરતાં ખેડૂતોની માઠી બેઠી, એક જ વૃક્ષના અડધા ભાગમાં ફાલ તો અડધો ભાગ ખાલીખમ

જાન્યુઆરી માસમાં આંબાઓ પર ફાલ મોર આવી જતા હોય છે અને માર્ચના શરૂઆતમાં આંબાઓ પર કેરીઓ આવી જતી હોય છે ત્યારે હાલ કેરીનો પાક પકવતા, આંબાવાડી બનાવતા સાવરકુંડલા પંથકના ખેડૂતો હેરાન પરેશાન થયા હોય તેમ લાગે છે. તાઉતે વાવાઝોડા વીત્યાનાં બીજા વર્ષમાં કેસર કેરીના શોખીનો આ વખતે કેસર કેરીનો સ્વાદ અધૂરો રહેવાની અટકળો પણ આંબાના વૃક્ષો પરથી જોવા મળી રહી છે. વાર્ષિક કમાણી આંબાની ખેતી પર હોય અને કેરી પકવીને આખા વર્ષની કમાણી કરતા ખેડૂતોને ગયા વર્ષે તાઉતે વાવાઝોડાની અસરથી મોટાભાગના આંબાના વૃક્ષોનો સોથ બોલી ગયો હતો પરંતુ જે બચી ગયેલા આંબાઓ છે તેને ઉભા કરીને આ વર્ષે સરભર કરવાની ગણતરી ખેડૂતોની ઉલટી પડે તેવા સમીકરણો આ જાન્યુઆરી માસમાં જોવા મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.

 આંબા પર વાર્ષિક કમાણી કરીને 10 થી 12 લાખ રૂપિયાનો બગીચો આપતા ખેડૂતોના આંબાની કેરીનો ઇજારો રાખવા વાળા પણ હાલ મળી રહ્યા નથી.  કારણ એ છે કે આંબા પર જે ફાલ આવવો જોઈએ તે સાવરકુંડલા પંથકમાં આંબાના વૃક્ષમાં અડધા ભાગમાં જ ફાલ આવ્યો છે જ્યારે અડધો ભાગ ખાલી ખમ પડ્યો છે. ખેડૂતો આંબાના બગીચાની ખેતી છોડવાનું વિચારી રહ્યા છે ત્યારે અમરેલી બાગાયત વિભાગ દ્વારા સાવરકુંડલા પંથકમાં જ અમુક જગ્યાએ આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું કહે છે પરંતુ ધારી,રાજુલા, ખાંભા વિસ્તારમાં આવરણ કેરીના પાકમાં સારું આવશે તેવું બાગાયત અધિકારી જણાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget