શોધખોળ કરો
કઈ તારીખેથી ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, જાણો વિગત
1/7

અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં વાવાઝોડું ઉદભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી.
2/7

હાલમાં આ વાવાઝોડું ઓમાનના સલાહા બંદરથી 1,020 કિલોમીટર દૂર છે. જે ધીમેધીમે પ્રતિ ક્લાકે 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જે તિવ્ર બનતાંની સાથે જ 135 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થશે.
Published at : 08 Oct 2018 11:59 AM (IST)
View More





















