શોધખોળ કરો

આવતીકાલે રાંધણ છઠ્ઠઃ જાણો, રાંધણ છઠ્ઠ મનાવવા પાછળનો શું છે મહિમા....

શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો શ્રાવણ વદ છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે

Randhan Chhath, Dharma Story: આવતીકાલે ગુજરાતભરમાં રાંધણ છઠ્ઠનો તહેવાર મનાવવામાં આવશે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો રાંધણ છઠ્ઠ મનાવશે, પરંતુ શું તમને ખબર છે આ રાંધણ છઠ્ઠ મનાવવા પાછળનો શું છે મહિમાં, નહીં ને, જાણો અહીં....

આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર  5 સપ્ટેમ્બર મંગળ વારે મનાવવામાં આવશે રાંધણ છઠ્ઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઇ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો, એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠ્ઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે. 

આ તહેવાર ભારતના અલગ-અલગ રાજ્યમા જુદા-જુદા નામે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આને રાંધણ છઠ્ઠ તો ક્યાંક આ દિવસ ને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હળછઠ અથવા રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે. 

ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠ્ઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠ્ઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે.

રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે-ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.

આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રાંધણ છઠ્ઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધીપૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.

શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી બલારામજીનો જન્મ થયો હતો. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ "હળ" પરથી રાખવામા આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે.

આ દિવસે કેવી રીતે કરશો પૂજા : - 
સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યાર બાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી - 
આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલછઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં. 

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit: રાહુલની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો, ભાજપ નેતાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Embed widget