શોધખોળ કરો

Kedarnath Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના મોત, 90ને પાર પહોંચ્યો મોતનો આંકડો

Chardham Yatra 2022:  કેદારનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો શરૂ છે. દરરોજ યાત્રા માર્ગમાં શ્રદ્ધાળુના મોત કેદારનાથ યાત્રામાં ચિંતાનો વિષય બન્યો છે.

(રોહિત ડિમરી)

Chardham Yatra 2022:  કેદારનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો શરૂ છે. દરરોજ યાત્રા માર્ગમાં શ્રદ્ધાળુના મોત કેદારનાથ યાત્રામાં ચિંતાનો વિષય બન્યો છે. બુધવારે કેદારનાથ ધામના દર્શન કરીને ગૌરીકુંડ પરત ફરી રહેલા રાજસ્થાનના બે તીર્થયાત્રીઓ પર પથ્થર પડતાં ઘાયલ થયા હતા. સ્થળ પર હાજર એનડીઆરએપ અને એસડીઆરએફની ટીમ દ્વારા બંને ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા. બંનેની તપાસ બાદ ડોક્ટોરોએ પતિને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પત્નિ હોસ્પિટલમાં દાખળ છે. રામબાડા વિસ્તારમાં ડોક્ટરોએ બેહોશ વ્યક્તિને મૃત જાહેર કર્યો. યાત્રા દરમિયાન મૃતકોનો આંકડો 90ને પાર થઈ ચુક્યો છે.

કેદારનાથ યાત્રામાં બે તીર્થયાત્રીઓના મોત 

પ્રથમ ઘટનામાં મૃતકનું નામ લહેરી લાલ છે, જેઓ રાજસ્થાનનો રહેવાસી છે. પતિ-પત્ની બંને કેદારનાથ યાત્રાથી તેમના 10 સભ્યોના ગ્રુપમાંથી ગૌરીકુંડ પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થર પડ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને માહિતી મળી કે રામબાડા વિસ્તારમાં એક વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. માહિતી મળતાની સાથે જ DDRF ચોકી ભીમબાલી લઈ ગયા હતા. ડૉક્ટરે બેભાન વ્યક્તિને મૃત જાહેર કર્યો. આ વ્યક્તિની ઓળખ દિલ્હીના રહેવાસી રામચંદ્ર ભારદ્વાજ તરીકે થઈ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે શું કહ્યું

આ ઘટના અંગે માહિતી આપતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે બુધવારે હથિની ગદેરે પાસે કેદારનાથ યાત્રા પર બે યાત્રિકો પર પથ્થર પડતાં એક તીર્થયાત્રીનું રેસ્ક્યુ અને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. વ્યક્તિને બચાવીને ગૌરીકુંડ લાવવામાં આવ્યો હતો. તેના બેભાન હોવાની માહિતી મળતાં SDRF અને NDRFની ટીમ  તેને બચાવવા પહોંચી હતી. ડોક્ટરોએ તપાસ બાદ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

કેદારનાથ યાત્રા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો

  • બાબા કેદારનાથનું મંદિર હિમાલયની પહાડીઓની વચ્ચે આવેલું છે. તેથી, તીર્થયાત્રા કરતા પહેલા, હવામાન વિશે ખાતરી કરો.
  • વરસાદની મોસમમાં મુસાફરી કરવાનું ક્યારેય ભૂલશો નહીં. કારણ કે પર્વતીય વિસ્તાર હોવાથી અહીં ભૂસ્ખલન અને અન્ય આફતોનું જોખમ સતત રહે છે.
  • જો તમે હાર્ટ પેશન્ટ છો તો આ યાત્રા ન કરો કારણ કે ઊંચાઈ પર ચઢવાને કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.
  • ચઢાણ દરમિયાન, ઉતાવળને બદલે આરામથી ચાલો. ચાલતી વખતે નાસભાગ ન કરો નહીં તો શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.
  • મુસાફરી કરતી વખતે તમારી સાથે છત્રી, રેઈનકોટ રાખો. કારણ કે પહાડોમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે.
  • ભલે તમે ઉનાળાની ઋતુમાં કેદારનાથના દર્શન કરવા જતા હોવ, પરંતુ તમારી સાથે ગરમ વસ્ત્રો અવશ્ય લેજો.
  • ઘણી વખત લોકો એક દિવસમાં પરત ફરવાનો કાર્યક્રમ બનાવે છે જે યોગ્ય નથી. હંમેશ સવારમાં યાત્રા શરૂ કરો અને દર્શન કર્યા પછી રાત્રે ત્યાં આરામ કરો અને બીજા દિવસે ગૌરીકુંડની યાત્રા શરૂ કરો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget