શોધખોળ કરો

RBI Monetary Policy: હજુ સસ્તી લોન માટે જોવી પડશે રાહ, RBI એ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર

RBI MPC Meeting: રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. બેંકો આ લોનથી ગ્રાહકોને લોન આપે છે.

Repo Rate: ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2023-24 માટે મોનેટરી પોલિસી કમિટીની બીજી બેઠકમાં રેપો રેટમાં વધારો ન કરીને લોકોને મોટી રાહત આપી છે. આ FY24 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની આ બીજી બેઠક છે. તેની શરૂઆત 6 જૂને મુંબઈમાં થઈ હતી અને તેનું પરિણામ આજે જાહેર કર્યું છે. આરબીઆઈએ રેપો રેટમાં કોઈપણ ફેરફાર ન કરીને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. 

એપ્રિલમાં છેલ્લી MPC મીટિંગમાં, RBIએ વ્યાજ દરમાં વધારો અટકાવી દીધો હતો અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વખતે રેપો રેટમાં વધારો કર્યો નથી અને લોકોને રાહત આપી છે. ત્રણ દિવસથી ચાલી રહેલી આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપો રેટના દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ બહુમતી સાથે આ નિર્ણય લીધો છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સીપીઆઈ ફુગાવો હજુ પણ અમારા 4 ટકાના લક્ષ્યથી ઉપર છે અને અમારી આગાહી મુજબ 2023-24માં તેનાથી ઉપર રહેશે. આ સાથે તેમણે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ સાથે, તેમણે કહ્યું કે SDF દર 6.25 ટકા અને સીમાંત સ્થાયી સુવિધા અને બેંક દર 6.75 ટકા પર યથાવત છે.

છેલ્લા નાણાકીય વર્ષમાં 6 વખત રેપો રેટમાં 2.50%નો વધારો થયો છે

નાણાકીય નીતિ દર બે મહિને મળે છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારબાદ આરબીઆઈએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2 અને 3 મેના રોજ, આરબીઆઈએ ઈમરજન્સી મીટિંગ બોલાવી અને રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે. આ પછી, 6 થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં, રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.

સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થઈ ગયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યા હતા.

દેશમાં મોંઘવરીના આંકડા

નોંધપાત્ર રીતે, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે એપ્રિલ 2023માં છૂટક ફુગાવો 4.7 ટકાના 18 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. તે આરબીઆઈના સહનશીલતા બેન્ડની અંદર છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર ઓક્ટોબર 2021 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. તે જ સમયે, ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ફુગાવો આ વર્ષે એપ્રિલમાં ઘટીને -0.92 ટકા પર આવી ગયો, જે આ વર્ષે માર્ચમાં 1.34 ટકા હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ખાદ્ય ફુગાવો એપ્રિલમાં ઘટીને 0.17 ટકા થયો છે જે માર્ચમાં 2.32 ટકા હતો.

રેપો અને રિવર્સ રેપો રેટ શું છે?

રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. બેંકો આ લોનથી ગ્રાહકોને લોન આપે છે. નીચા રેપો રેટનો અર્થ એ છે કે બેંક તરફથી ઘણી પ્રકારની લોન સસ્તી થઈ જશે, જ્યારે રિવર્સ રેપો રેટ રેપો રેટની બરાબર વિરુદ્ધ છે.

રિવર્સ રેટ એ દર છે કે જેના પર RBI બેંકો પાસેથી થાપણો પર વ્યાજ મેળવે છે. રિવર્સ રેપો રેટ દ્વારા બજારોમાં તરલતા નિયંત્રિત થાય છે. સ્થિર રેપો રેટનો અર્થ એ છે કે બેંકો પાસેથી લોનના દરો પણ સ્થિર રહેશે.

રેપો રેટમાં વધારાને કારણે લોન મોંઘી બની છે

જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકો પણ મોટાભાગે વ્યાજ દરો ઘટાડે છે. એટલે કે ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજ દરો ઓછા હોય છે, સાથે જ EMI પણ ઘટે છે. તેવી જ રીતે, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે વ્યાજ દરોમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી બની જાય છે. આનું કારણ એ છે કે કોમર્શિયલ બેંકોને આરબીઆઈ પાસેથી ઊંચા દરે નાણાં મળે છે, જે તેમને દર વધારવાની ફરજ પાડે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget