કુંભ અને શેરબજારનું વિચિત્ર જોડાણ: છેલ્લા ૨૦ વર્ષથી કુંભ દરમિયાન કેમ ઘટે છે બજાર? આજે 14 લાખ કરોડ ડૂબ્યા
છેલ્લા છ કુંભ મેળામાં સેન્સેક્સનું નકારાત્મક વળતર, નિષ્ણાતોના મતે અનિશ્ચિતતા અને વપરાશમાં ફેરફાર જવાબદાર

Stock market fall Kumbh Mela: પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ મેળા દરમિયાન શેરબજારના પ્રદર્શન વિશે એક રસપ્રદ તથ્ય સામે આવ્યું છે. છેલ્લા ૨૦ વર્ષમાં જ્યારે પણ કુંભ મેળાનું આયોજન થયું છે, ત્યારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દાયકામાં કુંભ મેળા દરમિયાન સેન્સેક્સે ક્યારેય સકારાત્મક વળતર આપ્યું નથી.
આજે તેને સંયોગ કહો કે ઈતિહાસ, પરંતુ કુંભ દરમિયાન શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ ફક્ત એવું નથી કહેવામાં આવી રહ્યું. છેલ્લા 20 વર્ષના ડેટાના આધારે એવું જોવા મળે છે કે કુંભ મેળાના આયોજન દરમિયાન સેન્સેક્સની સ્થિતિ વધુ ખરાબ થાય છે. જો આજની વાત કરીએ તો કુંભ શરૂ થઈ ગયો છે અને સેન્સેક્સ હજાર પોઈન્ટની નીચે આવી ગયો છે. થોડા જ સમયમાં રોકાણકારોના 14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સોમવારે, સેન્સેક્સ 1048.90 પોઈન્ટ અથવા -1.36% ઘટીને 76,330.01 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 પણ 345.55 પોઈન્ટ અથવા -1.47% ઘટીને 23,085.95 પર બંધ થયો.
૨૦ વર્ષથી ચાલતો ટ્રેન્ડ
છેલ્લા ૨૦ વર્ષમાં કુંભ મેળાનું ૬ વખત આયોજન થયું છે અને દરેક વખતે શરૂઆતથી મેળાના અંત સુધી સેન્સેક્સ રિટર્ન નેગેટિવ જોવા મળ્યું છે. કુંભ મેળો લગભગ ૫૨ દિવસ ચાલે છે અને આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં સરેરાશ ૩.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. SAMCO સિક્યોરિટીઝના અપૂર્વ શેઠના વિશ્લેષણ મુજબ, છેલ્લા ૨૦ વર્ષમાં યોજાયેલા છ કુંભ મેળા દરમિયાન સેન્સેક્સે દર વખતે નકારાત્મક વળતર આપ્યું છે.
ઉદાહરણો
વર્ષ ૨૦૨૧માં ૧ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી કુંભ મેળાના ૧૮ દિવસના સમયગાળામાં સેન્સેક્સ ૪.૧૬ ટકા ઘટ્યો હતો.
સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો ૨૦૧૫માં કુંભ મેળા દરમિયાન જોવા મળ્યો હતો. ૧૪ જુલાઈથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ મેળામાં ૮.૨૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એ જ રીતે, ૫ એપ્રિલથી ૪ મે, ૨૦૦૪ દરમિયાન યોજાયેલા કુંભ મેળા દરમિયાન સેન્સેક્સ ૩.૨૯ ટકા ઘટ્યો હતો.
કુંભ પછી બજારમાં તેજી
જો કે, એવું પણ જોવા મળ્યું છે કે કુંભ મેળો સમાપ્ત થયા પછી બજારમાં તેજી જોવા મળે છે. કુંભ સમાપ્ત થયાના છ મહિના પછી, સેન્સેક્સે છમાંથી પાંચ કેસમાં સકારાત્મક વળતર આપ્યું છે, જેમાં સરેરાશ ૮ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
શું છે કારણ?
અપૂર્વ શેઠના મતે, કુંભ દરમિયાન આ પેટર્નના ઘણા કારણો હોઈ શકે છે. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થાય છે, જેનાથી કેટલીક વસ્તુઓનો વપરાશ વધે છે, તો કેટલીક વસ્તુઓનો વપરાશ ઘટે છે. કેટલાક ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિ અસ્થાયી રૂપે વધે છે, જ્યારે ઘણા ક્ષેત્રોમાં પ્રવૃત્તિ ઓછી થાય છે. આ કામચલાઉ પેટર્ન કદાચ બજારના ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે, કારણ કે આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારો પણ જોખમના ભયથી પ્રભાવિત થાય છે.
આ પણ વાંચો...
પગારમાં HRA ન મળતું હોય તો પણ ટેક્સ છૂટનો લીભ મળશે, જાણો કલમ 80GG હેઠળ કેટલો દાવો કરી શકો છો
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















