શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસ વધીને 69, કુલ 6નાં મોત, ક્યા શહેરમાં કેટલા કેસ અને કેટલાં મૃત્યુ? જાણો અપડેટ
ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે.
![ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસ વધીને 69, કુલ 6નાં મોત, ક્યા શહેરમાં કેટલા કેસ અને કેટલાં મૃત્યુ? જાણો અપડેટ 6 new coronavirus case in gujarat, number of infected patients has increased to 6, total death 6 ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસ વધીને 69, કુલ 6નાં મોત, ક્યા શહેરમાં કેટલા કેસ અને કેટલાં મૃત્યુ? જાણો અપડેટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/30161547/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને કોરોનાવાયરસના કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. બીજી તરફ કોરોનાવાયરસના કારણે મોતને ભેટનારાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. સોમવારે સવારે ગુજરાતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોત થતાં ગુજરાત માટે કોરોના ચિંતાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં કોરાનાના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. સોમવારે ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાં જ ગુજરાતમાં કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય તેવા કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. આ ઉપરાંત ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે.
ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. અણદાવાદ ત્રણ મોત સાથે રાજ્યમાં મોતના આંકડામાં પણ પહેલા સ્થાને છે. આ ઉપરાંત સુરતમાં એક તથા ભાવનગરમાં બે મૃત્યુ થયાં છે. ગુજરાતમાં વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં 9-9, સુરતમાં 8, ભાવનગરમાં 6, ગીર-સોમનાથમાં 2 તેમજ કચ્છ, મહેસાણા,પોરબંદરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)